SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ છે. આ જ્ઞાનકોશ તૈયાર કરતી વખતે તેમને ભાઈલાલભાઈ પટેલ, ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, રવિશંકર રાવળ, પંડિત સુખલાલજી કનૈયાલાલ મુનશી અને હંસાબહેન મહેતા જેવી સિદ્ધ હસ્તીઓનો સાથ સાંપડ્યો હતો. ઇ.સ. ૧૯૬૭માં ‘જ્ઞાનગંગોત્રી'નો પહેલો ગ્રંથ ‘બ્રહ્માંડદર્શન’ નામથી પ્રકાશિત થયો હતો. ઇ.સ. ૧૯૭૦માં ઈશ્વરભાઈ કુલપતિ તરીકે છૂટા થયા તો પણ છેક ૧૯૯૬માં ‘લલિતકલાદર્શન’ નામનો ૩૦ મો ગ્રંથ પ્રકાશિત કરી આ શ્રેણીનું સમાપન કર્યું. ઇ.સ. ૧૯૭૩માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે આરૂઢ થયા. ત્યારે વિવિધ કર્મઠ વ્યક્તિઓ તથા અન્ય પ્રકારની ભરપૂર સહાય મેળવી તેમણે ‘સર્વસામાન્ય ગુજરાતી જ્ઞાનકોશ'નું સંપાદન શરૂ કર્યું. પણ સંજોગો એવા ઊભા થયા કે પ્રસ્તુત કાર્ય પૂરું ન થઈ શક્યું. ત્યારપછી તેઓ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ બન્યા. ત્યાંથી નિવૃત્ત થઈ મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમીના અધ્યક્ષ તરીકે નીમાયા. ગુજરાતી જ્ઞાનકોષનું સંપાદન અધવચ્ચે છોડવું પડ્યું તેમ છતાં પ્રૌદ્યોગિકીના વિષયવાર દસ ખંડના ‘જ્ઞાનકોશ'નું કાર્ય ઇ.સ. ૧૯૭૭ના જાન્યુઆરીમાં શરૂ કર્યું. જે ઇ.સ. ૧૯૮૪ના ઓક્ટોબર માસમાં પૂરું થયું હતું. તેમણે બાલભારતી, શિશુભારતી તથા કિશોરભારતી નામે જ્ઞાનસાહિત્ય શ્રેણીનું સંપાદન પણ કર્યું હતું. બાલમાસિક ‘બાલમિત્ર’ તથા વિજ્ઞાનમાસિક ‘વિજ્ઞાનદર્શન’ નું સંપાદનકાર્ય પણ તેમણે થોડો વખત સંભાળેલું. તેમણે અનેક શિક્ષણ-સંસ્થાઓ તથા સમાજસેવા–સંસ્થાઓમાં પોતાનો સહયોગ આપ્યો. તેમણે વિવિધ વિષયો પર ઠીકઠીક સંખ્યામાં પુસ્તકો લખ્યાં છે જેમાંના કેટલાંક છે. ‘બહુરત્નાવસુંધરા' (૧૯૫૬) લાલા લજપતરાય (૧૯૬૫) હિંમતે મર્દા તો મદદે ખુદા’ (૧૯૬૯), સર્જનહારની લીલા (૧૯૬૩), ‘અમેરિકામાં શિક્ષણ (અનુવાદ) (૧૯૭૦) અને કેળવણી અને શિક્ષક તાસીર'. કેટલાંક પુસ્તકોને અન્ય પારિતોષિક પણ એનાયત થયાં છે. ભૂતકાળમાં તેમને ક્ષય થયો હતો. સારણગાંઠના પણ તેઓ દરદી હતા. આ બધું હોવા છતાં અને ચારેક લોહીના ઊંચા દબાણથી પીડાયા હોવા છતાં તેમણે પોતાની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઓટ આવવા દીધી નહોતી. ઇ.સ. ૧૯૮૮ના નબેમ્બર માસની દસમી તારીખે આંતરડાના કેન્સરથી અમદાવાદ ખાતે તેમનું મૃત્યુ થયું. Jain Education International પથપ્રદર્શક અક્ષયકુમાર રમણલાલ દેસાઈ પિતા રમણલાલ વસંતલાલ દેસાઈ એટલે ગુજરાતના પ્રખર સાહિત્યસ્વામી અને વડોદરા રાજ્યના ઉચ્ચકક્ષાના અધિકારી. માતાનું નામ કૈલાસબહેન. અક્ષયકુમાર નાના હતા ત્યારે જ તેમણે માતા ગુમાવી હતી. અક્ષયકુમારનો જન્મ નડિયાદ ખાતે ઇ.સ. ૧૯૧૫ના એપ્રિલની ૧૬મી તારીખે થયો હતો. તેઓ પ્રખર માર્ક્સવાદી કર્મશીલ સમાજશાસ્ત્રી તરીકે પણ જાણીતા હતા. માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જોડાયા. યુનિવર્સિટીમાં હડતાળ પડાવવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવેલો એથી તેમણે યુનિવર્સિટી છોડવી પડી હતી. અભ્યાસ ચાલુ રાખવા તે મુંબઈ ગયા. મુંબઈમાં તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને તે શાખાના સ્નાતકની પદવી મેળવી. તત્કાલીન જાણીતા સમાજશાસ્ત્રી જી.એસ. ઘુર્યેના માર્ગદર્શન હેઠળ તેમણે સમાજશાસ્ત્રનો વિષય લઈ પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમના શોધનિબંધનું શીર્ષક હતું, ‘ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક પાર્શ્વભૂમિ.' અંગ્રેજીમાં લખાયેલો આ શોધનિબંધ ઇ.સ. ૧૯૪૮માં પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયો. તે પુસ્તકની દસથી વધુ આવૃત્તિઓ થઈ છે. ભારતની લગભગ બધી પ્રાદેશિક ભાષાઓમાં આ પુસ્તકનું ભાષાંતર થયું છે. ઇ.સ. ૧૯૪૬માં તેઓ મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૫૧માં તેઓને મુંબઈ યુનિવર્સિટીમાં નિયુક્તિ આપવામાં આવી હતી. અહીં સમાજશાસ્ત્રના પ્રોફેસર અને એ જ વિદ્યાશાખાના અધ્યક્ષ તરીકે લાંબો સમય સેવા બજાવી એ જ પદ પરથી નિવૃત્ત થયા. તેઓ ઇન્ડિયન સોશ્યોલૉજિકલ સોસાયટી અને ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના અધ્યક્ષ હતા. તેમનાં નામથી સત્તરેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. તેમાંનાં કેટલાંક તેમણે સ્વતંત્ર રીતે લખ્યાં છે, કેટલાંક અન્ય લેખકોના સાથમાં લખ્યાં છે. તો કેટલાંકનું તેમણે સંપાદન કર્યું છે. તેમનાં પ્રકાશિત થયેલાં પુસ્તકોમાં સમાજશાસ્ત્રીય દૃષ્ટિબિંદુને કેન્દ્રમાં રાખી વિવિધ વિષયો પર વિચારો પ્રદર્શિત કર્યા છે. તદુપરાંત ‘ઇન્ડિયન કાઉન્સીલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ'ના ઉપક્રમે શ્રમજીવીઓના સંદર્ભમાં તેમણે ૧૩ ગ્રંથોનું સંકલન કર્યું હતું. તેમાંથી બે ગ્રંથોનું પ્રકાશન થયું છે. મેક્ આઈવસના ‘સોસાયટી' નામના એક પુસ્તકનો તેમણે ઇ.સ. ૧૯૬૦માં ‘સમાજ” નામથી અનુવાદ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy