SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) બહુવિધક્ષેત્રે સમર્પિત જીવનદર્શન - દરેક વિચારવંત વ્યક્તિનું આગવું જીવનદર્શન (Vision of Life) હોય છે, અને તેને મૂર્તિમંત કરવા માટે ચોક્કસ મિશન હોય છે. જીવનદર્શન ધરાવતી દરેક વ્યક્તિ મિશનરી હોતી નથી, પણ મિશન ધરાવતી વ્યક્તિ દાર્શનિક જરૂર હોય છે. આવી ભેખધારી વ્યક્તિઓ જે ક્ષેત્રમાં કાર્ય હાથ ઉપર લે છે ત્યારે પોતાની જાતને અને જીવનને સમર્પિત કરી દે છે. આવી વ્યક્તિઓનું જીવન ધન્ય હોય છે, તેમનાં ક્ષેત્રમાં અનન્ય પ્રદાન કરી સ્મૃતિચિહ્નો મૂકતાં જાય છે. નવી વિચારધારા, સર્જનાત્મકતા વગેરે આવી વ્યક્તિના વ્યક્તિત્વનાં લક્ષણો હોય છે પોતાનું કામ અધૂરું ક્યારેય છોડતા નથી. તેમણે એક જાતનું તપ આદર્યું હોય છે. એમના કામની દિશા ચોક્કસ હોય છે. એમણે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે તેમની તેમને પાકી ખબર હોય છે. સમાજજીવનનાં વિવિધક્ષેત્રમાં સમર્પિત (dedicated) આવી વિરલ પ્રતિભાઓનો જે તે સમાજ ખરેખર તો ત્રણી છે. ચાલીશ વર્ષની દીર્ઘ સાધનાયાત્રામાં સ્મૃતિ સંદર્ભગ્રંથોના સંપાદન કાર્ય નિમિત્તે અનેક વિષયોનો અભ્યાસ થતો રહ્યો, અનેક પ્રવાહોની જાણકારી મળતી રહી, અનેક ક્ષેત્રના મહાનુભાવોનો પ્રત્યક્ષરૂપે યા તો પરોક્ષરૂપે પણ પરિચય થતો રહ્યો. માનવજીવનની જે એક વણઝાર નિરંતર વહી રહી છે તેના પાયામાં સાંસ્કૃતિક વારસાના જે અમૃતબિંદુઓ પડ્યા છે એ ગૌરવશાળી મૂલ્યોને સમયે સમયે ગ્રંથસ્થ કરતા રહેવું જોઈએ. એવા શુભ આશયથી ચાર દાયકા સુધીની યાત્રામાં જે કાંઈ જીવનનું અમૂલ્ય અનુભવ ભાથું મળ્યું છે તેથી ધન્યતા અનુભવું છું. વિધાદાની પ્રતિભાઓ ઉન્નતિને શિખરે પહોંચેલો આ ગુજરાત પ્રદેશ અનેકોના હીન પ્રયત્નોથી અનેકવાર પછડાયો હોવા છતાં આજ બેઠો થઈ શક્યો છે. તેના પાયામાં સંસ્કૃતિનાં વહેણો, સંસ્કારવૈભવ અને આપણાં ચિરંજીવ જીવનમૂલ્યોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. વિદ્યારૂપી ધન આપણી શ્રેષ્ઠ ધનસંપત્તિ છે. આ વિદ્યા આપવાની હોતી નથી, પ્રાપ્ત કરવાની હોય છે. ભારતીયકેળવણી અને તેની પરંપરા આશ્રમપ્રથામાં પ્રતિબિંબિત થાય છે. વિદ્યાર્થી ગુરુની સાથે આશ્રમમાં રહીને, તેની સેવા કરીને. વિદ્યા પ્રાપ્ત કરતો હતો. સમય જતાં ભારતીય કેળવણી વિવિધ તબક્કાઓમાંથી પસા અને આધુનિક શિક્ષણમાં “મુક્ત શિસ્ત'ની વિચારસરણી પ્રચલિત બની. | ગુજરાતમાં સ્વ.શ્રી ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદીના અથાક પ્રયત્નોને પરિણામે માર અને દાબ વિનાનું બાલશિક્ષણ અસ્તિત્વમાં આવ્યું. ભારતીય કેળવણીમાં ગુરુનો મહિમા અનન્ય છે. આ નવી કેળવણીએ સમાજને અનેક ઉત્તમ કેળવણીકારો, શિક્ષણશાસ્ત્રીઓ, આચાર્યો વગેરેની ભેટ આપી, જેમણે સંસ્કૃતિના પારંપારિક સંસ્કારોનું પુનઃસ્થાપન કર્યું. વિદ્યાના આરાધક એવા અનેક પ્રતિભાવંતોએ આ ક્ષેત્રમાં તેમનું વિશિષ્ઠ પ્રદાન આપ્યું છે તે પણ ગૌરવપ્રદ ઘટના છે. ધર્મ–અર્થની સંગતિ ધર્મ અને અર્થ બને હિન્દુ સંસ્કૃતિના ચાર પૈકી બે મુખ્ય આધારસ્તંભો છે, એટલું જ નહીં પરંતુ બને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy