SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) દશે દિશાઓનાં દ્વાર ઉદ્ઘાટિત થઈને મારાં બધાં જ સર્જન-આયોજનોમાં અનેકોની અંત:પ્રેરણાની અમૃતહેલી વરસતી જ રહી છે. સૌથી મોટાં બે તત્ત્વો ઃ કાળ અને કર્મ દશે દિશાનાં ભારોભાર સમૃદ્ધ પ્રકાશનો વચ્ચે પણ આયુષ્યની ધાર હવે બુટ્ટી થતી હોવાનો ‘સાવધાન' સ્વર સંભળાય છે. હવે કર્મની મંઝિલ બહુ લાંબી નથી. વિરલ ગ્રંથમણિઓનાં પ્રકાશન સાહસમાં મળેલા અદમ્ય સહયોગ સફળતા અને ઉચિત પ્રશસ્તિઓએ મને અત્યંત આશા ઉત્સાહથી ભરી દઈને છેલ્લે એક સારગર્ભિત સાહસ કરી લેવા પ્રેરણા આપી. વ્યક્તિના વ્યક્તિત્વને નજીકથી નીરખવાની, અંદર પડેલા સગુણોને જાણવા માણવાની એક ગજબની ધૂન બચપણથી હતી, જે જિજ્ઞાસા જીવનના સંધ્યા સમય સુધી સ્વભાવિકપણે જળવાઈ રહી. આ સારગર્ભિત સાહસમાં ગુજરાતનું સુંદર માનસચિત્ર રમણીય પ્રાદેશિક શૈલીમાં વ્યક્તિઓનાં જીવનકવન દ્વારા આલેખાયું છે અને તે પણ સાક્ષરોની કલમ દ્વારા કંડારાયું છે, જેમાં ભૂતકાલીન ભવ્યતાની નિશાનીઓ, અવશેષો, સ્મારકો, સાહિત્ય, સંગીત, શિલ્પ, ચિત્રકળા વગેરેનો સુમેળભર્યો વિકાસ અને સમન્વયની સર્જન ગંગોત્રીએ જીવનમૂલ્યોનું આપણને દર્શન કરાવ્યું છે. જેમાં પ્રજાવત્સલ રાજવીઓ, યુગસર્જક લોકનાયકો, નારીરત્નો, ગાંધીવાદી વિચારકો વગેરેનો સમાવેશ થાય છે. સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં કેટલાયે પુરુષોએ તેમનાં જીવનમાં અનન્ય કાર્યો દ્વારા ઇતિહાસનું સર્જન કરી પથપ્રદર્શક પ્રતિભાઓની ભૂમિકા ભજવી છે. અંધકારમાં દિશાહીન થઈને ભટકતો મનુષ્ય આવી જ પ્રતિભાઓની આંગળી પકડીને પ્રકાશ તરફ ગતિ કરી શક્યો છે. તે આ ભૂમિનું મોટું સદ્ભાગ્ય સમજવું. અધ્યાત્મમાર્ગના યાત્રીઓ છેલ્લા ચાર દાયકામાં સૌના શુભેચ્છા સહયોગથી તથા પૂર્વની કોઈ આરાધનાના પુણ્યબળે મારા જીવનક્રમમાં એક અદ્ભુત વળાંક આવ્યો. વિવિધ ધર્મસાહિત્યના મનન ચિંતનથી આગળ અને આગળ પ્રગતિ, અંગત જીવનમાં થતી રહી, માતા વાગીશ્વરીની કૃપાથી લેખન, સંપાદનમાં પણ કદી ન કલ્પેલી દિશા ઊઘડી. સૌની કરુણાવર્ષાએ મારી દેવી સંપદા અનેકગણી વધારી છે. આમ મને જ્ઞાનભક્તિનો અભુત એવો પરમ સંતોષ અનુભવાયો છે. નામી અનામી જે જે પ્રતિભાઓએ પોતાના જીવનકવન દ્વારા, લેખનથી કે કર્તવ્યથી ગુજરાતના આધ્યાત્મિક ઘડતરમાં જે કાંઈ યોગદાન આપ્યું છે તે સૌનાં પ્રેરણાદાયી તત્ત્વોને શબ્દદેહ આપી અત્રે રજૂ કરાયાં છે. સાંસારિક જીવનની દડમજલના પ્રવાસીઓ તો સૌ કોઈ હોય પણ તેમાંથી મુક્ત થઈ પોતાના તેજ ઝબકારથી સમાજને એક અનોખી પ્રભા આપી જનારા વિરલ હોય છે. હૈયાની સુવાસથી મઘમઘતા અનેક માનવપુષ્પોએ દેશ અને દુનિયાના ચોકમાં સ્નેહ અને બિરાદરીનો પમરાટ પ્રસરાવી ગુજરાતના સબળ સત્ત્વને સૌંદર્યમંડિત કર્યું છે. સંસારની ક્ષણભંગુરતાને પામી જઈ શ્વેત અને ભગવાં ધારણ કરી અલખની ધૂણી ધખાવી ચિંતન મનન દ્વારા કે જપ તપ દ્વારા અધ્યાત્મમાર્ગની કેડી કંડારી આપી છે. ભવસાગરની ભવાટવિમાંથી નીકળી જનારા નરબંકાઓનો માર્ગ પણ સીધો સરળ તો હરગીઝ નથી. એ તો સંકુલ અને સંકીર્ણ, જટિલ અને ઊંચા ચઢાણવાળો છે. અનેક વિટંબણાઓથી ભરેલો છે છતાં પણ મંગલજીવનને ઉજાગર કરતી આ યાત્રા અવધૂતોએ ઘોર સાધનાનો સ્વેચ્છાએ સ્વીકારેલો માર્ગ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy