SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 0000 (૪૧) પુરોવચન [સંપાદકશું નમ્ર નિવેદન] માનવીનો ઉચ્ચત્તમ આદર્શ ભલે વિશ્વમાનવ બનવાનો હોય પણ પ્રારંભ તો પોતાના કુટુંબ સમાજ, નગર અને પ્રદેશના ગૌરવની સીડીનાં પગથિયાંથી જ થતો હોય છે. માનવીની અંતિમ ઇચ્છા અને ઝંખના પણ કોઈ દૈવીતત્ત્વને પામવાની અને તે દ્વારા કોઈ અલૌકિક આનંદને પ્રાપ્ત કરી લેવાની હોય છે. તેથી જ માનવીની મંગલ જીવનયાત્રાનો માર્ગ અંધકારમાંથી પ્રકાશ તરફનો રહ્યો છે. દરેક મનુષ્ય જાણ્યે અજાણ્યે આ પ્રકાશને પામવા સતત મથામણ કરતો રહે છે. અનેક તાણાવાણા અને સંઘર્ષમાંથી પસાર થતાં મનુષ્યને મહાપુરુષોનાં પ્રેરક જીવનમાંથી મળેલાં દિશાસૂચનો દીવાદાંડીરૂપ બની રહે છે. www.bmY ગુજરાત ગુણગર્વિલો પ્રદેશ, જ્યાં દાન, શૌર્ય અને ભક્તિ ત્રણેય પાંગર્યાં છે. જે ભૂમિમાં ભવ્ય અને ઉદાત્ત પ્રેરણાના પીયૂષ પડેલાં છે તેવી આ સંસ્કારભૂમિના પેટાળમાં સમયે સમયે, કેટલાંયે એવાં નરરત્નો પાક્યાં, જેમણે સરેરાશ માણસને તિમિરમાંથી જ્યોતિ તરફ લઈ જવાનું અતિ ઉત્તમ અને સતુત્ય કાર્ય કરી સમાજ ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. Jain Education Intemational ઉષાના રંગબેરંગી પ્રકાશથી અરુણોદય આવે અને ભુવનભાસ્કર ગાઢ તમસને વિદારી સ્વપ્રકાશથી અજવાળાં પાથરે તેમ સૌના મંગલ આશીર્વાદની અમી વર્ષાએ આજ સુધીમાં વીશેક જેટલા સમૃદ્ધ સ્મૃતિસંદર્ભગ્રંથો પ્રગટ કરી શકાયા. જ્યારે જ્યારે કોઈ નવસર્જનની શુભ મંગળ કલ્પના મારા મનમાં સળવળવા માંડે છે, ઘણાં સ્પંદનો, ભાવનાઓ તરંગો મનમાં ઊઠ્યા છે ત્યારે મને કદી કોઈ અજંપો રહ્યો જ નથી. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy