SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) એકબીજાના પ્રેરક છે. બન્નેની સંગતિ જ મનુષ્યને ઉત્કૃષ્ટ જીવનનાં દર્શન તરફ દોરી જાય છે. હિન્દુ સંસ્કૃતિના વિચારકોએ અર્થને આસુરી અને દેવી સંપત્તિ એમ બે વિભાગમાં વર્ગીકૃત કરી છે. તેથી જ કહેવાય છે કે આસુરી સંપત્તિ અધ:પતન તરફ દોરી જાય છે. જ્યારે દેવી સંપત્તિ અનેક રીતે આનંદમંગલના દીવડા પ્રગટાવે છે. ભામાશા અને જગડુશા જેવાં નરરત્નો આપણે ત્યાં પાક્યા એવા જ અસંખ્ય શ્રેષ્ઠીઓ થયા જેઓએ સંપત્તિ સારાએ સમાજની છે એમ સમજીને ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત ધારણ કર્યો. અસંખ્ય શ્રેષ્ઠીઓએ પોતાની સંપત્તિનો ઉપયોગ જનહિતાર્થે કર્યો છે. તીર્થસ્થાનોનાં નવનિર્માણમાં, ગુરુકુળપરંપરાના સંરક્ષણ માટે અસંખ્ય દાતાઓએ એમના ધનકોશ ખુલ્લા મૂકી દીધા. હોસ્પિટલો, ધર્મશાળાઓ જેવાં સાર્વજનિક કાર્યોમાં એમનું ધન વાપરીને પુણ્યરાશિ એકઠી કરી લીધી છે. મંત્રશાસ્ત્રીઓ, ખગોળશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ, દાનવીરો વગેરેએ એમની આવકનો ચોક્કસ ભાગ નિયમિત રીતે ધર્મ પાછળ વાપરી, વાપરવાનું પસંદ કરી ધર્મ-અર્થની સંગતિ યથાર્થ રીતે કરી બતાવી છે. ગ્રંથપ્રકાશન પ્રવૃત્તિના પ્રણેતાઓ માહિતીવિસ્ફોટ અને માહિતીના પ્રત્યાયનના આ યુગમાં મનુષ્ય જ્ઞાનવ્યવસ્થાપનની અવનવી વ્યુહરચનાઓ અને પ્રયુક્તિઓ ખોળી કાઢી અને આ પ્રક્રિયામાં પ્રત્યાયનેનાં નવાં સમૂહ માધ્યમોનો ફાળો અમૂલ્ય છે. અખબારો, રેડિયો, ટી.વી., કમ્યુટર, ઇન્ટરનેટ દ્વારા લેખકોએ કરેલું વૈચારિક આક્રમણ ખાળવું સામાન્ય મનુષ્ય માટે અશક્ય બન્યું. ઉપરાંત રોજબરોજ ઢગલાબંધ પ્રકાશિત થતાં પુસ્તકોનાં પ્રકાશનનો વ્યાપ વાચકની વાચનક્ષમતાના પરિઘ કરતાં અનેકગણો મોટો થઈ ગયો. ગ્રંથપ્રકાશકો, પત્રકારો, કટારલેખકો, લલિતકળાને પ્રોત્સાહન આપતાં વૃંદો વગેરેએ વૈચારિક ક્રાંતિને વેગ આપી નૂતનવિચારોના આવિષ્કારમાં અનન્ય પ્રદાન આપ્યું. | ગુજરાતમાં કેટલીયે પ્રકાશનસંસ્થાઓએ અમૂલ્ય વિચારોને ગ્રંથસ્થ કરી સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ અને હસ્યાન્તરણ કર્યું. આ સૌએ પણ ગુજરાતના વિકાસમાં સિંહફાળો આપ્યો છે એમ જરૂર કહી શકાય. આભારદર્શન ચાલીશ વર્ષ પહેલાંનું મારું રાજકીય જીવન અને ત્યારપછીનું આજનું જીવન ઘણું જ જુદું અનુભવાય છે. સૌનાં શુભાશિષ અનેકોની શુભ લાગણી અને સૌથી વધુ તો સામા વળતરની અપેક્ષા વિના મિત્રો મુરબ્બીઓનો સ્વયંસ્કુરિત સક્રિય સહયોગ સતત મળતો રહ્યો એ મારી મૂડી, જેમાં મેં મેળવ્યા જ કર્યું છે, કદી ગુમાવ્યું નથી. સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું છે તે સવાયું કરીને ઋણમુક્ત થવા એક માત્ર સમર્પણ ભાવથી છેલ્લો અમારો આ યત્કિંચિત્ પ્રયાસ એક નવી જ ક્ષિતિજ દોરીને, પુરુષાર્થની એક નવી જ કેડી કંડારવાનું પરમ સદ્ભાગ્ય મેળવ્યું છે. અમારી લાંબી સાહિત્યયાત્રામાં ડૉ. કુમારપાળ દેસાઈ, પ્રતાપસિંહજી જાડેજા, શ્રી જનાર્દનભાઈ દવે, બિપિનચંદ્ર ત્રિવેદી, રસેશભાઈ જમીનદાર અને પ્રબુદ્ધજીવનના તંત્રી શ્રી રમણભાઈ સી. શાહનો યશસ્વી ફાળો છે. આ ગ્રંથનાં પાને પાને ઝળકતો ગુજરાતી પ્રતિભાઓનો ગરવો રંગ એક એક વિભાગને પૂરતો ન્યાય આપવા શક્ય પ્રયત્ન કર્યો છે. ગુજરાતી પ્રજાના ખમીર ખુમારી ગૌરવ અને દાનાઈની આપણને જરૂર પ્રતીતિ થશે જ. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy