SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ આગળ આવેલા પ્રાણજીવન મહેતા કવિ અને વાર્તાકાર તરીકે વિશેષ જાણીતા છે. માત્ર મેટ્રિક સુધીનો અભ્યાસ કરવા છતાંય તેમનું વાંચન વિશાળ રહ્યું છે. ચિંતન-મનન કરતા રહેવું એ એમના સ્વભાવની ખાસિયત છે. કસ્ટમ હાઉસ કલીઅરીંગના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા પણ હાલમાં નિવૃત્ત થયેલા પ્રાણજીવન મહેતાનો જન્મ તા. ૧૪-૭-૧૯૩૭ના રોજ ભુજ ખાતે થયો હતો. વ્યવસાયની સાથે એમની સાહિત્યસાધના ચાલુ જ રહી. આમ સર્જક તરીકે એમણે આગવી છબી ઊભી કરી છે. આજસુધીમાં પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે. ત્રણ કાવ્યસંગ્રહો ‘કાનોમાતર’, ‘પ્રાકૃત' તથા ‘પ્રા.વચન' પ્રગટ થયા છે. બે વાર્તાસંગ્રહો “પ્રા.કથન” તથા “પ્રપંચતંત્ર' પ્રગટ થયાં છે. કાનોમાતર’ માટે જયંત પાઠક પુરસ્કાર “પ્રાકૃત' માટે મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક, ‘પ્રા.કથન' માટે સરોજ પાઠક પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. કવિ નીતિન વિ. મહેતા મુંબઈ રાષ્ટ્રીય બેંકમાં વર્ષોથી નોકરી કરનાર નીતિન વિ. મહેતાને શાળાજીવનથી સાહિત્યસર્જનની લગની લાગેલી. વિદ્યાર્થી અવસ્થામાં અનેક કાવ્યો એમના હાથે સર્જાતા રહ્યાં અને વિવિધ સામયિકોમાં પ્રગટ થતા રહ્યાં. ભાવનગર ખાતે તા. ૧૧-૭-૧૯૪૯ના રોજ જન્મેલા નીતિન વિ. મહેતાએ અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. ની ઉપાધિ મેળવી. આકાશવાણી માન્ય કવિ નીતિન વિ. મહેતાનો પ્રથમ કાવ્યસંગ્રહ “પગલાંમાં ઊતર્યું આકાશ' ૧૯૮૭માં પ્રગટ થયો. સરકારી તેમજ અન્ય બીજી સંસ્થાઓ દ્વારા એમને અનેક પારિતોષિકો મળ્યાં છે. લેખક, કલાકાર સતીશ વ્યાસ લેખન, અભિનય, દિગ્દર્શનમાં પારંગત એવા સતીશ ચન્દ્રશંકર વ્યાસને જેટલા રંગમંચના કાર્યક્રમો પ્રિય છે, તો બીજી બાજુ સર્જનાત્મક સાહિત્યમાં પણ એટલો જ રસ ધરાવે છે. તા. ૨૧-૫-૧૯૫૭ના રોજ જન્મેલા સતીશ વ્યાસે બી.એસ.સી., એમ.એ. (ગુજરાતી વિષય પ્રથમ વર્ગમાં પ્રથમ) એમ.એ. (હિંદી-અંગ્રેજી), સાહિત્યરત્ન આમ અનેક ઉપાધિઓ મેળવી છે. ૧૯૮૩માં એમણે બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. પ૨૩ એમનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. “વારતા રે વારતા” અને “કાન્હાની કબર' (બાળવાર્તાસંગ્રહ) તેમજ “જૂની ગુજરાતી રંગભૂમિ', “નાટ્યરંગ' (નાટ્યજગતના લેખો). ગુજરાતી-હિંદી ટી.વી. સીરીઅલો, ગુજરાતી નાટક “સરસ્વતીચંદ્ર', ૧ હિંદીફિલ્મ તેમજ દસ એકાંકીમાં અભિનય કરનાર સતીશ વ્યાસ પત્રકારત્વ ક્ષેત્રે ઘણા અખબારોમાં એમની કલમના ચમકારા દેખાય છે. ‘આકાશવાણી’ અને ‘ટી.વી.'ના કલાકાર હાલમાં એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપે છે. કવિસંમેલનો તેમજ અનેક કાર્યક્રમોનું સંચાલનકુશળતાપૂર્વક કરે છે. શબ્દ-ચિત્રકાર, બાળગીતકાર કવિ મધુકાન્ત જોશી જાણીતા શબ્દ-ચિત્રકાર, બાળગીતકાર કવિ મધુકાન્ત જોષીની કલાયાત્રા માણવા જેવી છે. બાળકોને આનંદ અને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી પ્રવૃત્તિઓના વિકાસમાં મધુકાન્ત રસ લઈ રહ્યા છે. ચૂડા (જિ. સુરેન્દ્રનગર)માં તા. ૬-૩-૧૯૫૫ના રોજ જન્મેલા મધુકાન્ત જોશીએ બી.એ., બી.એ.ની ઉપાધિ મેળવી છે. મધુકાન્ત જોષીના આજસુધીમાં ૬ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. ‘ત્યારથી' (કાવ્યસંગ્રહ) “મોર પગલાં પાડે છે.” (બાળસાહિત્ય) ‘હય! મારાં ખોળામાં ફૂલડાં' (બાળજોડકણાં)આ પુસ્તકોને સાહિત્યપ્રેમીઓએ અને વિવેચકોએ બિરદાવ્યાં છે. આંખોમાં, આંગળાઓમાં, કંઠમાં અને હૈયામાં ગજબની તાકાત, જુસ્સો અને સૌંદર્ય ઈશ્વરે જેમનામાં મૂક્યા છે, એવા લેખક–કલાકાર મધુકાન્ત જોષી વધુ ને વધુ સર્જનાત્મક સાહિત્ય રચતા રહે. દલિત સાહિત્યની પરબ માંડનાર હરીશ મંગલમ જેમની વાર્તાઓએ દલિત સાહિત્યને એક આગવી કેડી કંડારી આપી છે અને અનામત વિરોધી આંદોલનો પછી જેમણે નવી જ પરંપરા ઊભી કરીને પોતાના મૌલિક પ્રદાનની ઝાંખી કરાવી છે, એવા હરીશ મંગલમે દલિત સાહિત્યનાં લગભગ તમામ સ્વરૂપોમાં સર્જન કર્યું છે. સામાજિક માળખા સંદર્ભે ઉદ્દભવેલી વિષમતાઓ અને વિસંવાદિતાઓએ જેમના ચિત્તતંત્રને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy