SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૦ કાગળ (વાર્તાસંગ્રહો), રાવજી પટેલ, ઈશ્વર પેટલીકર, સુરેશ જોષીના નિબંધો, રચનાલોક, કાવ્યપદાર્થ (વિવેચનો) તથા કેટલાંક સંપાદનો ધ્યાનપાત્ર છે. પંચમહાલ જિલ્લામાં મોટા પાલ્લામાં તા. ૯-૧૧૧૯૪૯ના રોજ જન્મેલા મણિલાલ ગુજરાતી સાહિત્ય સાથે એમ.એ., પી.એચ.ડી. થયા છે. ૧૯૭૩ થી અધ્યયન ક્ષેત્રે સંકળાયેલા રહી શિક્ષણજગતમાં એમણે એક આગવી પ્રતિભા વિકસાવી છે. એમ. ફિલ.માં ૨૫ વિદ્યાર્થીઓ અને પી.એચ.ડી.માં ૧૦ વિદ્યાર્થીઓએ એમનાં માર્ગદર્શન હેઠળ ડીગ્રીઓ મેળવી છે. જન્મભૂમિ પ્રવાસી, સમકાલીન, ગુજરાત ટુ ડે તેમ જ ન્યૂયોર્કથી પ્રગટ થતા ગુજરાત ટાઈમ્સમાં વર્ષોથી કોલમ લખતા આવ્યા છે. ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ૪ ઇનામો, ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ૪ ઇનામો અને અન્ય સ્થળોએ કામ કરતી સાહિત્યિક સંસ્થાઓ તરફથી એમને પુસ્તકો તેમજ સાહિત્ય માટેના ૬ ઇનામોથી નવાજવામાં આવ્યા છે. ૧૯૯૩માં એમણે લંડનની મુલાકાત લીધી. અનેક સાહિત્યિક અને શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા રહી એમનાથી બનતી સેવા આપી રહ્યા છે. આવા ઉચ્ચ કક્ષાના સર્જક મણિલાલ હ. પટેલ સ્વભાવે મીતભાષી, નિખાલસ અને નમ્ર છે. ગ્રામજીવનનાં રેખાચિત્રો વિષેનું લખાણ એમનું આગવું લક્ષણ રહ્યું છે. એમણે પ્રકૃતિ સાથે ઘરોબો કેળવ્યો છે અને એટલે જ લખે છે : છાંયડાની શું ખબર આકાશ ઊંચા તાડને એ વિશે તું પૂછ જઈને લીમડાના ઝાડને. ઉચ્ચ કક્ષાના સ્કોલર નીતિન મહેતા એમ.એ.માં ગુજરાતી વિષયમાં પ્રથમ આવીને બી. કે. ઠાકર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી, મુંબઈ વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક નીતિન મહેતાએ કવિતા તેમજ વિવેચન ક્ષેત્રે અદ્ભૂત કામ કર્યું છે. એમ.એ., પી.એચ.ડી. થયેલા નીતિન શાંતિલાલ મહેતાનો જન્મ જૂનાગઢ ખાતે તા. ૧૨-૪-૧૯૪૪ના રોજ થયો હતો. એમની કવિતાઓ તેમજ વિવેચનલેખો ‘ફાર્બસ’, ‘પરબ', Jain Education International પથપ્રદર્શક ‘શબ્દસૃષ્ટિ’, ‘એતદ્’, ‘નવનીત સમર્પણ’, ‘ખેવના’, ‘કંકાવટી’ જેવા સામયિકોમાં નિયમીત રીતે પ્રગટ થતા રહ્યા છે. એમની કવિતાના અનુવાદ હિંદી, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષામાં થયા છે. ૧૯૯૨માં સાહિત્ય અકાદમીની ફેલોશિપ મેળવનાર, નીતિન મહેતાનાં પ્રગટ થયેલાં પાંચ પુસ્તકોમાં નિર્વાણ (કાવ્યસંગ્રહ) અને કાવ્યબાની (વિવેચન) ને અનુક્રમે સંનિધાન ક્રિટીક એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યાં છે. હમણાં તાંજેતરમાં ૨૦૦૪માં અપૂર્ણ (વિવેચનસંગ્રહ) તૈયાર થયો છે. ટૂંકી વાર્તાના કસબી તારિણીબેન દેસાઈ દૂરદર્શનની ચેનલ પરથી ટી.વી. સીરીયલ ‘કશ્મકશ’માં તેમની વાર્તા ‘મહાલક્ષ્મી' ટી.વી.ના પડદે રજૂ થઈ ત્યારે દર્શકોએ હોંશેહોંશે એને વધાવેલી. ટૂંકીવાર્તાના કસબી અને ટૂંકી વાર્તા માટે જેમને અનન્ય પ્રેમ છે, એવાં તારિણીબેન દેસાઈ ફિલોસોફીના વિષય સાથે એમ.એ. થયાં. ત્યારબાદ સંગીત વિશારદ, રાષ્ટ્રભાષા રત્ન, જ્યોતિર્વિદ જેવી બીજી કેટલીક ડીગ્રીઓ પણ પ્રાપ્ત કરી. જાણીતા કવિ અને સાહિત્યકાર સુધીર દેસાઈનાં પત્ની તારિણીબેનનો જન્મ વડોદરા ખાતે તા. ૨૨-૧૨-૧૯૩૫ના રોજ થયો હતો. આધુનિક વાર્તાકાર તરીકે પોતાની વિશિષ્ટ છબી ઊભી કરનાર તારિણીબેન દેસાઈના ત્રણ વાર્તાસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. ‘પગ બોલતા લાગે છે’, ‘રાજા મહારાજાની જે— આ બે વાર્તાસંગ્રહોને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પારિતોષિક મળ્યાં છે. આકાશવાણી અને દૂરદર્શન પર અનેકવાર આવી ચૂકયાં છે. તાજેતરમાં ૨૦૦૩માં તેમનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘મરૂન, જામલી, ગુલાબી' પ્રગટ થયો છે. ‘સૂર્યો જ સૂર્યો’ના રચિયતા સંસ્કૃતિરાણી દેસાઈ કવિતાવાંચન માટે સતત દેશના અનેક શહેરોમાંથી જેમની વારંવાર માંગ થતી રહી છે, એવા સંસ્કૃતિરાણી દેસાઈની અનેક કાવ્યરચનાઓ અંગ્રેજીમાં પ્રકાશિત થતી રહી છે. સાહિત્યકાર બેલડી સુધીર દેસાઈ–તારિણીબેન દેસાઈનાં સુપુત્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy