SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ | પ્રતિભાઓ આવી અનેક માતબર અને લોકપ્રિય રચનાઓ કવિ મેઘબિંદુએ સાહિત્યજગતને આપી છે. સરળતા અને સહજતા એ કવિ મેઘબિંદુનાં કાવ્યોની વિશેષતા છે. એમણે ગીતો, ગઝલો, અછાંદસ તેમ જ છંદોબદ્ધ કાવ્યો લખ્યાં છે. પરંતુ ગીતોમાં કવિ વધુ ખીલ્યા છે. એમણે સંબંધોના અનેક ફોટોગ્રાફ કવિતાના કેમેરાથી ઝડપ્યા છે. કચ્છ નારાયણ સરોવરના વતની, કરાંચીમાં ૯-૧૨ ૧૯૪૧ના રોજ જન્મેલા મેઘજી ખટાઉ ડોડેચા જેઓ કવિ મેઘબિંદુ’ના નામે પ્રખ્યાત છે. તેઓ અનેક સામાજિક, સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેઓ કહે છે આંસુ એ મનુષ્યજીવનની પરવશતા છે, કવિતા એ કવિની પરવશતા છે. પ્રભુ પ્રેરણાથી મળી છે કવિતા છતાં મારા નામે છપાવી શકું છું. એમના ચાર કાવ્યસંગ્રહો “સંબંઘ તો આકાશ', ‘દરિયો', વિસ્મય’ અને ‘અનુભૂતિ' પ્રગટ થઈ ચૂક્યા છે. જાણીતા ગાયક સંગીતકાર, પુરૂષોત્તમ ઉપાધ્યાય એમના કાર્યક્રમમાં “મેઘબિંદુ'ની રચનાનો ઉલ્લેખ કરતાં કહેતા હોય છે કે અમેરિકામાં રહેતા વ્યાસદંપતી આઠઆઠ વર્ષથી એકબીજાથી અલગઅલગ રહેતા હતા. મેઘબિંદુની રચના “જન્મોજનમની આપણી સગાઈ' હંસા દવેએ અમેરિકામાં રજુ કરી હતી. આ રચના સાંભળીને ત્રાસદંપતી એક થયાં હતાં. સાહિત્યનીકવિતાની આ તાકાત છે. કવિતા ઉપરાંત ટૂંકીવાર્તાઓ, સંગીતરૂપકો, નાટકો પણ એમણે લખ્યાં છે. સુગમ સંગીતના જાણીતા સ્વરકારો, પુરૂષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઈ, મોહન બલસારા, દક્ષેષ ધ્રુવ, શિવકુમાર પુંજાણી, ઉદયન મારુ જેવા અનેક સંગીતકારોએ એમની ૨૦૦ થી વધારે રચનાઓને સ્વરબદ્ધ કરી આકાશવાણી, દૂરદર્શન તેમજ સંગીતની મહેફિલોમાં રજૂ કરી છે. એમના ગીતોની કેસેટ-સીડી પણ બહાર પડી છે. ખીંટી ઉપર તું ક્યાં સુધી લટકાવી રાખશે, મેલા થયા સંબંધ એને ધોઈ નાખને.!' ગઝલસાગરનું મોતીબિંદુ ગુણવંત ઉપાધ્યાય ‘ક્ષણોના થાકનું પ્રસ્વેદબિન્દુ લઈ હથેળીમાં, અમારી આંખમાં બેસી ગયું છે કોઈ રસ્તામાં.” ગુજરાતી ગઝલસાગરનું ચમક ચમક થતાં ચાંદરણા જેવું સ્નિગ્ધ શીતલ મોતી, એટલે ઉપલો શેર. છેલ્લાં ત્રીસેક વર્ષની શબ્દસાધના પછી ગઝલના વિકસિત ફલક પર એમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ગઝલ, ગીત, અછાંદસ રચનાઓના કવિ ગુણવંત ઉપાધ્યાય કહે છે, ગઝલસર્જન મારા માટે રૂધિરાભિસરણ જેટલું જ અનિવાર્ય જણાતાં, યુગચેતનાની અનિવાર્ય આવશ્યકતા અનુસાર ગઝલમાં આંતરસ્વરૂપની અભિવ્યક્તિના સંદર્ભે ગઝલને નવો આયામ આપવાની ખેવના સાથે મારું વલણ હંમેશા પ્રયોગાત્મક રહ્યું છે. સિસ્મોગ્રાફ (કાવ્યસંગ્રહ), ઉત્નનન, યથાવત, ફૂલની શાહી સવારી (ગઝલસંગ્રહ), પ્રગટ થઈ ચૂક્યા છે. ભાવનગરમાં રહેતા, ખાંભા, જિ. અમરેલી ખાતે ૯-૫૧૯૪૯ના રોજ જન્મેલા ગુણવંત ઉપાધ્યાયનું ગુજરાતી ગઝલક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન બદલ, રાજય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રગટ થયેલા હુઝ હુ' જેવા ગ્રંથોમાં એમના જીવનવૃત્તાંતની નોંધ લેવાઈ છે. એમના યથાવત ગઝલસંગ્રહને ૧૯૯૦-૨000ના દશાબ્દીના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે કવિશ્રી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ-૨૦૦૧માં આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનેક એવોર્ડ્ઝ એ મેળવી ચૂકયા છે. તેમના પ્રયોગાત્મક કાવ્યોમાં કાવ્યની બાની અને ગઝલની ગરિમાનું અનોખું સંયોજન અનુભવાય છે. જે ગુજરાતી સાહિત્યની ગઝલોનું સુચારુ પ્રતિનિધિત્વ કરે છે. બે નયનનો ભાવ કવિતા બે નયનનો લય ગઝલ કે ગીત હો, વાંસળીના સૂર છેડો એ જ સંવાદી શ્વસન, કર ઉત્પન્ન!' “નવચેતન'ના નિષ્ઠાવાનતંત્રી : મુકુન્દ પી. શાહ સુપ્રસિદ્ધ ગુજરાતી સામયિક “નવચેતન'ના સ્થાપક તંત્રી ચાંપશીભાઈ ઉદ્દેશીનું ૧૯૭૪માં અવસાન થયું ત્યારે સાહિત્યજગતમાં સોપો પડી ગયો હતો. અગાઉ “પ્રસ્થાન' કૌમુદી’ ‘શારદા' “વીસમી સદી” આ બધાં સામયિકો સ્થાપક તંત્રીઓના અવસાન પછી બંધ થઈ ગયાં હતાં. પણ ચાંપશીભાઈના અવસાન બાદ “નવચેતન' હાઉસ મેગેઝીન બનીને આજ લગી ચાલુ જ રહ્યું. આબાલવૃદ્ધ સૌને ગમે એવી સામગ્રી પીરસવાનું ધ્યેય છે. આનો સાચો યશ જેને જાય છે, એ ચાંપશીભાઈ જેમને સાહિત્યના માનસપુત્ર માનતા હતા એ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy