SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ રાસ તથા ગરબાના વર્કશોપ ચલાવી તેમાં એશિયન કોમ્યુનિટિ અને અંગ્રેજોને રાસ રમતા કરેલ. આ દરમ્યાન બ્રિટીશ યુનિવર્સિટીના પ્રતિનિધિઓને રાસના, તાલ, પરિધાન, પદ્ધતિ વિશે વિગતવાર વાકેફ કરેલ, નિદર્શન આપેલ અને બ્રિટનમાં રાસ મંડળ તૈયાર કરાવેલ. મહાત્મા ગાંધી જયંતિ વખતે પોરબંદરના કીર્તિમંદિર ખાતે શ્રેષ્ઠ સામાજિક સેવા બદલ તે વખતના મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરીના હસ્તક એવોર્ડ અર્પણ કરેલ. ગુજરાત લોકકલા કેન્દ્ર અમદાવાદ તરફથી ‘લોકકલા એવોર્ડ', નહેરુ યુવા કેન્દ્ર મારફત સાંસ્કૃતિક કલા માટેનો એવોર્ડ પણ મળેલ છે. શ્રી રાણાભાઈ સીડા રાસની આપણી પરંપરાને સાચવીને બાળકોને તૈયાર કરવાનું નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. શ્રીમતી પ્રભા અરવિન્દ પાઠક (નાટ્ય કલા) ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પાસે પચ્છેગામમાં શિક્ષણ અધિકારી શ્રી રામશંકર ભટ્ટને ઘેર ૨૭-૧૨-૨૬ના રોજ એમનો જન્મ. ભાવનગર અને અમદાવાદમાં એમણે ઉચ્ચ શિક્ષણ લીધું અને પ્રસિદ્ધ કવિ વિવેચક શ્રી રામનારાયણ પાઠકના ભત્રીજા શ્રી અરવિંદ પાઠક (જાણીતા અભિનેતા અને અનુવાદક) સાથે એમણે લગ્ન કર્યાં. પ્રભાબેન પાઠકે રંગભૂમિ, રેડિયો અને ટેલિવિઝનનાં અભિનયના ક્ષેત્રે છેલ્લે અડધા સૈકાથી વિશિષ્ટ પ્રદાન કર્યું છે. પ્રભાબહેને ૧૯૪૪માં લોકનાટ્ય સંઘમાં (ઈપ્ટા)ના “સીતા” નાટકમાં મુખ્ય ભૂમિકાથી અભિનયનો પ્રારંભ કર્યો. એમની કારકિર્દીનું સૌથી મહત્ત્વનું પાસું તે અડધા સૈકા દરમ્યાન ગુજરાતી રંગભૂમિની ઉઘડતી રહેલી નવી નવી દિશાઓના લગભગ બધાં જ મહારથીઓ દ્વારા દિગ્દર્શિત-લિખિત નાટકોમાં વિવિધ ભૂમિકાઓ અદા કરી જયશંકર ‘સુંદરી'નું મેનાગૂર્જરી', જશવંત ઠાકરનાં “સીતા”, “શ્રુતપતિ”, “કાશીનાથ”, “પરિત્રાણ”, વગેરે. મૃણાલિની સારાભાઈનું “ચાંડાલિકા”, કૈલાસ પંડ્યાનું “પ્રેમરંગ”, “અંડર સેક્રેટરી', વગેરે. તેમણે અમદાવાદની આધુનિક રંગભૂમિના અને રેડિયો ટેલિવિઝનનાં એવાં એવાં પ્રયોગશીલ નાટકોમાં પણ ખૂબ કામ કર્યું જેથી ગયા પચાસ વર્ષની મંચન અને સમૂહકલાની તવારીખનાં તેમને પ્રતીક ગણી શકાય. એમણે સર્જેલા પાત્રોસીતા, પાની, અમથીકાકી, ગાંધારી, કુંતી, ચાંડાલિકા, પ્રિયવંદા, ગંભીરા વગેરે અત્યંત લોકપ્રિય બન્યાં હતાં. આકાશવાણી, ઇસરોનું ખેડા ટેલિવિઝન અને પ્રાદેશિક તથા રાષ્ટ્રીય દૂરદર્શન તેમજ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો છે. Jain Education Intemational પથપ્રદર્શક “ધનજી-મકનજી-માલજી'', “ત્રિભેટે”, “હું ને મારા એ”, “કાકાની ડેલી”, “માણસ નામે ઉખાણું”, “વીણાવેલી”, “ગ્રામજગત”, “ન્યાય-અન્યાય”, “ભવની ભવાઈ”, વગેરે મુક્ત, સાહજિક અને જીવંત આંગિક અભિનય, કમનીય મુખ ભાવો અને ભાવદર્શનમાં અખિલાઈ પામવા અવાજના વિશિષ્ટ પ્રાયોજન માટે પ્રભાબેન આ ક્ષેત્રમાં સૌનાં પ્રેરણાદાયી રહ્યાં છે. મંચન કે સમૂહ માધ્યમની ત્રેવડને પિછાણીને માત્ર સર્જનાર પ્રભાબેન બહોળા કુટુંબ અને મિત્રવર્ગને પોતાની શીળી છત્રછાયામાં સ્નેહ-ઉષ્માસહ જાળવી રાખી રહ્યા છે. પાઠકદંપતી અભિનય ક્ષેત્રનું સફળ, સંસ્કારી અને ઊજળું ઉદાહરણ છે. શ્રીમતી સરોજબહેન ગુન્દાણી (લોકસંગીત) સૌરાષ્ટ્રના ચોટીલા ગામનાં વતની. બાળપણથી જ સંગીતની અભિરુચિ હોવાથી તેમનાં માતુશ્રીએ પાંચ વરસની નાની ઉંમરથી જ મુંબઈના પી. મધુકર પાસે સંગીતનું શિક્ષણ લેવા માટેની શરૂઆત કરાવી દીધી. ૯ વરસની ઉંમરથી શાસ્ત્રીય ગાયકની તાલીમ સાથે તેઓ મુંબઈમાં ગણેશોત્સવ વખતે જાહેરમાં કાર્યક્રમો આપવા લાગ્યાં. ૧૯૪૯માં અમદાવાદ સ્થાયી થયાં અને તેમનો સંગીતનો આગળનો અભ્યાસ પ્રખર ગુરૂ શ્રી કાલિદાસભાઈ બી. જોશી પાસે લેવાનો શરૂ કર્યો. અને માત્ર ૧૩ વરસની વયે સરોજબહેન સંગીત વિશારદ ગોલ્ડ મેડલ સાથે થયાં. સરોજબહેન સંગીત અલંકાર થયેલાં છે. દર વરસે ૬ થી ૮ વિદ્યાર્થીઓને સંગીત વિશારદ સુધી તૈયાર કરે છે. ૧૯૫૪ થી આકાશવાણી અમદાવાદ ઉપરથી સુગમ સંગીતના કાર્યક્રમો આપી રહ્યાં છે. આકાશવાણીના તેઓ એ ગ્રેડના કલાકાર છે. દૂરદર્શન અને ફિલ્મ માટે પણ તેઓ પોતાનો અવાજ આપી ચૂક્યાં છે. ૧૯૭૦માં તેઓ આફ્રિકા પણ જઈ આવ્યાં છે. ત્યારબાદ ૧૯૮૮ થી ૧૯૯૩ સુધી તેઓ અમેરિકાના ન્યૂયોર્ક-ન્યૂજર્સી-આટલાન્ટા-શિકાગો–વર્જિનિયાફિલાડેલ્ફિઆ વગેરે ઘણાં સ્થળોએ સુગમ સંગીત અને ગરબાના કાર્યક્રમો આપી લોકોની ઘણી જ ચાહના મેળવી છે. એચ.એમ.વી. ગ્રામોફોન કંપનીએ લગભગ ૫૦ ગીત-ગરબાભજન અને લોકગીતની રેકર્ડ બનાવી છે, જેનાં ઘણાં જ ગીતો પ્રખ્યાત થયેલાં છે. આકાશવાણીના સ્વર પરીક્ષક તરીકે તેમની નિમણૂક થયેલી છે. આકાશવાણી અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભૂજમુંબઈ–દીલ્હી-લખનૌ વગેરે સ્ટેશનો ઉપરથી કાર્યક્રમો આપ્યા છે. એમના ચાર સંતાનો જે બધાજ સંગીત વિશારદ થયા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy