SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ અજમાવ્યા. આ દરમ્યાન શ્રી લક્ષ્મીકાન્ત દોશીએ સંગીત વિશારદ, શિક્ષા વિશારદ (ગાયનમાં), સંગીત અલંકાર (સિતારમાં) તેમજ સરોદમાં (ગુજરાત યુનિ.નો ડીપ્લોમાં) તેમજ બી.એમ.યુ.એસ. (સૌરાષ્ટ્ર યુનિ.) અને છેલ્લા સંગીત પ્રવીણ (ડૉ. ઇન મ્યુઝિક)ની પદવીઓ પ્રાપ્ત કરી છે. શરુઆતના વર્ષોમાં જુદી જુદી સ્કૂલોમાં પાર્ટ ટાઈમ સર્વિસ કરી જેને લીધે ભીલ, આદિવાસી, હરિજન વગેરે પછાત કોમના બાળકોમાં સંગીતના સંસ્કારનું સિંચન કર્યું તેમ જ બાળકોની જેલમાં જઈને પણ બાળ–કેદીઓને સંગીત દ્વારા સંસ્કાર આપ્યા. ૬૧ની સાલમાં મ્યુઝિક કોલેજમાં નિમણૂક મળી, અને બઢતી મળતાં હાલ સંગીત નાટ્ય મહાવિદ્યાલયમાં આચાર્ય અને નિયામકની ફરજ બજાવીને નિવૃત્ત થયેલ છે. આ જ સમય દરમ્યાન તેઓ શ્રી છેલ્લા ૩૦ વર્ષથી રાજકુમાર કોલેજમાં પણ માનદ્ સેવા આપી રહ્યા હતા. શ્રી દોશી મારફત અનેક વિદ્યાર્થીઓ તાલીમ લઈ દેશ-પરદેશમાં તેમજ રાજકોટ, મુંબઈ વગેરે શહેરોમાં સંગીતના કાર્યક્રમો આપી રહ્યા છે. સરોદ તેમનું મુખ્ય વાદ્ય છે. જેના દ્વારા ગુજરાત તેમજ દેશભરમાં અનેક કોન્ફરન્સ જેવી કે, હરિદાસ (મુંબઈ) બૈજુ સમારોહ, ગુજરાત એકેડેમી દ્વારા નવસારીમાં તેમજ એકેડેમીની જ અન્ય કોન્ફરન્સ જેવી કે ઓમકાર સમારોહ, તાનારીરી તેમજ અમદાવાદમાં સંકલ્પ સમારોહ વગેરેમાં સફળતાપૂર્વક કાર્યક્રમ આપી નામ કર્યું. તેઓશ્રીને ૧૯૭૭માં સૂર-સિંગાર સંસદ મુંબઈ તરફથી સૂરમણી અને નવેમ્બર ૨૦૦૦માં વિવેકાનંદ યુથ ક્લબ તરફથી રાજકોટ-રત્નના એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ ૧૯૯૬માં રાજકોટ સિટી થિયેટર તરફથી તેમનું સન્માન કરવામાં આવેલ છે. છેલ્લા ૪૦ વર્ષનો શિક્ષણનો અનુભવ, તેમજ છેલ્લા ૧૨ વર્ષથી આચાર્યના અનુભવથી હાલમાં સંગીત મહાવિદ્યાલયમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. તેનો યશ તેમને ફાળે જાય છે. શાસ્ત્રીય સંગીતનું આ એક મહાન કાર્ય તેઓ કરી રહ્યા છે. શ્રી કરશન જે. પઢિયાર (લોકકલા) જન્મ, તા. ૩૧-૧૨-૧૯૨૯ના રોજ લીંબડીમાં થયો છે. શૈક્ષણિક અભ્યાસ ગુજરાતી ૪ ધોરણ પાસ લીંબડીમાં જ કર્યા તેઓ રાવળ (જોગી) જ્ઞાતિના છે. બાપ-દાદાનો મૂળ વ્યવસાય પ્રાચીન વાજીંત્ર, “ડાક”ના વાદન સાથે દેવ-દેવીઓનાં પ્રશસ્તિ ગાન જેવા કે દોહા, (આરણ્યું,) ગીત, (ઝીલણિયા), દેવદેવીઓની વાર્તા વગેરે આહવાન કરી માતાજીના ભૂવાઓને Jain Education International પથપ્રદર્શક ધૂણાવવાનો છે. માતાજીનો માંડવો (મંડપ) તથા તાવો, વરસો જ જેવા ધાર્મિક ઉત્સવોમાં જે, તે માતાજીને કુળદેવી તરીકે પૂજતા, (માનતા) જે તે જ્ઞાતિનાં ગોઠીઓ, (કુટુંબીજનો)ના દેવદેવિયોના ઉત્સવો ઉજવવાનો તેમનો મુખ્ય વ્યવસાય છે. પ્રાચીન લોકગીતો, ભજનો વગેરે ગાવાના મને તેમના (બા) પાસેથી મળ્યા છે અને દોહા-છન્દો ગાવા-સમજવા તે લીંબડીના રાજ્ય કવિ શ્રી શંકરદાન જેઠીભાઈ દેથા, (ચારણ) પાસેથી વિદ્યા મેળવવાનો લાભ મળ્યો છે. ઇ.સ. ૧૯૫૬માં લોકસાહિત્ય સભા રાજકોટ તરફથી જુનાગઢ મુકામે શ્રી રતુભાઈ અદાણીનાં રાષ્ટ્રીય સેવાના વિચારથી એક લોકસાહિત્ય વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં પૂરા બે વર્ષમાં અભ્યાસ પૂરો કરી લોકસાહિત્યની સાથે પિંગળ શાસ્ત્રનું જ્ઞાન મેળવી તેની પરીક્ષામાં પ્રથમ કક્ષા પાસ થઈ મેળવી. લોકસાહિત્ય વિદ્યાલયના અભ્યાસ દરમ્યાન, લીંબડીના રાજ્ય કવિશ્રી શંકરદાનજી દેથા (ચારણ) પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ, શ્રી મેરુભા ગઢવી, લોક સેવક શ્રી રતુભાઈ અદાણી, શ્રી જયમલ્લભાઈ પરમાર, રાજકોટ તથા પોરબંદરના રાજ્ય કવિશ્રી યશકણજી રત્તુ (ચારણ) તથા શ્રી પીંગળશીભાઈ ગઢવી, શ્રી રામનારાયણ ના. પાઠક, જામનગરના રાજ્ય કવિ શ્રી નારાયણદાનજી બાલિયા (ચારણ) વગેરે મહાનુભાવોના જીવન-કવનના સાહિત્યના રંગે રંગાવાનો પુરો લાભ મળ્યો. ઇ.સ. ૧૯૫૬થી આકાશવાણી રાજકોટ કેન્દ્રના લોકગાયક છે. હાલમાં આકાશવાણીએ તેમને ક્લાસ એ.માં ગાયક તરીકે લીધા છે. આકાશવાણી ઉપરાંત ટી.વી. તેમજ ગુજરાતી ફિલ્મમાં ગાયક તરીકે જોડાયા છે. ગુજરાત અને ગુજરાત બહાર, મુંબઈ, પુના, હૈદ્રાબાદ, સિકંદરાબાદ, દિલ્હી, કલકત્તા જેવા ભારતનાં શહેરોમાં યોજાતા અનેક લોકડાયરાઓમાં તેમજ મુંબઈની સંસ્થાના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. ગુજરાત રાજ્યના માહિતી ખાતાનાં પણ અનેક કાર્યક્રમો આપ્યા છે. શ્રીમતી કાશીબહેન ગોહિલ (લોકકલા) જન્મ સને ૧૯૪૮ ફેબ્રુઆરીની પહેલી તારીખ, સાહિત્ય, સંસ્કાર અને કલાનું ધામ એવું શહેર ભાવેણું (ભાવનગર) જેનું ગંગાજળિયા તળાવમાં કીડીયારું તેટલો માનવ મહેરામણ ઉભરાયું હતું. હાજર રહેનાર નર–નારી કૃષ્ણકુમારસિંહજી જેવા દૈવી રાજા અને બળવંતરાય મહેતા જેવા લોકસેવક, સાધુસંતો, વેપારીઓ, સમાજસેવકો, ખેડૂતો, સરકારી કર્મચારીઓના ચહેરા પર ગમગીની હતી જે તેના અંતરની વેદનાને વાચા આપતી હતી, પ્રભુના પયગંબર સમા પ્યારા બાપુ ગાંધીજીની આ શોક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy