SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ એવું લાગે છે. વૃક્ષમિત્ર શ્રી નવીનભાઈ અહીં જે રીતે આ છોડવાઓનું જતન કરે છે, તે સાચે જ ખૂબ જ વિશિષ્ટ છે. પર્યાવરણ માટે પણ તેમના ચોક્કસ ખ્યાલો છે, અને તેઓ એનું ચૂસ્ત પાલન કરે છે. આ આરોગ્યધામમાં આવેલું ‘મૌનમંદિર' પણ પ્રવાસીઓ માટેનું અનેરું આકર્ષણ છે. અહીં તમે ‘મૌન’’ ધારણ કરી તમારી આધ્યાત્મિક અને યૌગિક શક્તિઓનો વિકાસ કરી શકો છો. આવા પરમ વૈષ્ણવ, સમાજસેવી અને દાનેશ્વરી શ્રી નવીનભાઈ સુતરિયાને અંતરના ઉમળકાથી વધાવીએ. એમનાં કાર્યોને બિરદાવીએ અને પ્રભુ એમને દીર્ધાયુ, સુખમય સ્વાસ્થ્ય અને આવાં સેવા કાર્યો કરવા માટે વિશેષ શક્તિ બક્ષે એવી પ્રભુપાર્થના સાથે વિરમીએ. યશસ્વી મહિલા સાહિત્યકાર ક્રિશ્નાબહેન જોશી જેમને સાહિત્યમાં સિદ્ધિ સાંપડી હોય, સંગીતમાં સિદ્ધિ સાંપડી હોય અને શિક્ષણમાં પણ સિદ્ધિ હોય, આમ ત્રણે મોરચે અગ્રેસર એવી કોઈ યુવા પ્રતિભા તમે જોઈ છે? તો આવી સિદ્ધિનાં સોપાનો સર કરી ચૂકેલી એક યુવા પ્રતિભાનો પરિચય મેળવીએ. આ બહેન છે ક્રિશ્નાબહેન સદ્ગુણરાય જોશી. તેઓ અમદાવાદ ઇલેક્ટ્રીસિટી કું. માં છેલ્લા દશ વર્ષથી એમની સેવાઓ આપી રહ્યાં છે. વિવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ક્રિશ્નાબહેનનો પ્રવાસનો શોખ તો અદ્ભુત છે. ભારતના મોટા ભાગના પર્વતીય સ્થળોની મુલાકાત તેમણે લીધી છે. એ ઉપરાંત આંદામાનનિકોબાર પણ જઈ આવેલાં છે. તેમજ તેમણે નેપાળનો પ્રવાસ પણ કર્યો છે. તાંજેતરમાં જ તેઓ કૈલાસ માનસરોવર' નો ખૂબ જ કઠિન પ્રવાસ પૂરો કરીને આવ્યાં છે. Jain Education International પથપ્રદર્શક વાચન એ તો એમનો અગ્રીમ શોખ છે. ગીત-સંગીતની દુનિયામાં તેમનું નામ જાણીતું છે. તેઓ ઘણા સમયથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલાં છે. વ્યાવસાયિક ધોરણે તેઓ ગાયન-વાદ્ય ગ્રુપથી ‘સ્વરગુંજન’ અને ‘સુરસંગમ’ સાથે સંકળાયેલા છે. સાહિત્ય પ્રવૃત્તિ તો જાણે એમનો આત્મા છે. સર્જન સાથે ઓતપ્રોત આ બહેને ગુજરાતી સાહિત્યમાં પાંચ નવકલથાનું યશસ્વી પ્રદાન કર્યું છે. તેમની પ્રથમ નવલકથા ઉજાસે ઓળંગ્યા અંધકાર' ગુજરાત સમાચાર દૈનિક)ના ‘શ્રી’ સાપ્તાહિકમાં ધારાવાહી નવકલથા તરીકે પ્રગટ થઈ ચૂકી છે. વાંચકો તરફથી નવલકથાને ખૂબ સારો આવકાર સાંપડ્યો છે. એ જ આ કૃતિ અને એની લેખિકા બહેન ક્રિશ્ના જોશીની સફળતાનું જમા પાસું છે. એમની બીજી નવલકથા ‘અગ્નિચક્ર' એ સંદેશની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં ધારાવાહિક રીતે પ્રગટ થયેલી લોકપ્રિય નવકલથા છે. તેમની આગામી નવલકથાઓ ‘વીસમી ઓક્ટોબર', ‘અધિપતિ’ તેમ જ ‘અનુબંધ’ છે. એમની ટૂંકી વાર્તાઓ પણ ગુજરાતના અગ્રગણ્ય દૈનિકો અને સામયિકોમાં પ્રગટ થઈ ચૂકી છે. ‘સંદેશ’માં પ્રગટ થયેલી એમની ‘વ્યંગકથા’ઓ પણ આવકારણીય બની છે. આકાશવાણી પરથી તેમનું વાર્તા વાચન અને નાટકો અવારનવાર રજૂ થાય છે. તાજેતરમાં જ અમદાવાદ ઇલેક્ટ્રિક રિક્રિએશન ક્લબ તરફથી તેમની પ્રવૃત્તિઓને અનુલક્ષીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટેટ બેંક ઑફ ઓફિસર્સ એસોસિએશન તરફથી તેમનાં પ્રથમ પુસ્તક ‘ઉજાસે ઓળંગ્યા અંધકાર' નો વિમોચન વિધિ પણ યોજાયો હતો. આવાં બહુમુખી ધરાવતા ગુણિયલ ગુજરાતી બહેનને અંતરના ઉમળકાથી આવકારીએ અને તેઓ વધુ ને વધુ સિદ્ધિ હાંસલ કરે એવી સદ્ભાવના સાથે વિરમીએ. અસ્તુ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy