SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સાચા અર્થમાં રજૂ કરી રહ્યાં છે અને આમ તેઓશ્રી લોકજાગૃતિ કેળવવાના હિમાયતી બની રહ્યાં છે. એમની સિદ્ધિઓ પણ બિરદાવવા જેવી છે. તાલ, લય, સૂર વગેરેની સારી જાણકારીના નર્તનના પદ, ચલનની સારી સમજ અને પારંપરિક ગૌરવશાળી લોકસંસ્કૃતિને સાચા સ્વરૂપમાં જાળવણી. આ બધી એમની સિદ્ધિઓને કારણે ‘સહિયર’ સંસ્થાને શરૂઆતનાં પાંચ વર્ષમાં જ ૨૮ જેટલાં પારિતોષીકો મળ્યાં છે. અને કલા જગતમાં ‘સહિયર’ સંસ્થાએ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ કારણે જ આ ‘સહિયર’ સંસ્થાને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાથે સંલગ્ન થવાનું બહુમાન સાંપડ્યું છે. જાગૃતિબહેને આપણી પ્રાચીન લોકકલાનો ભવ્ય વારસો જાળવ્યો છે એટલું જ નહીં, એને સન્માનપૂર્વક લોકો સુધી પહોંચાડ્યો છે. અને આ કાર્યમાં તેઓ એટલાં બધાં ઓતપ્રોત છે અને દૃઢ નિશ્ચયી છે કે કલાની જાળવણી માટે તેઓશ્રી સર્વ કંઈ કરી છૂટવા તૈયાર છે અને આ માટે એમણે ‘ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' નાં માર્ગદર્શન હેઠળ બે દિવસ એમ આખા વર્ષનાં રાસ-ગરબા તથા લોકનૃત્યોની તાલીમ શિબિરનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી એમણે ત્રણસોથી વધુ કલાકારો તૈયાર કર્યા છે. આજે જ્યારે ગરબો શેરીમાંથી અને ક્લબમાં અને ક્લબમાંથી હવે પાર્ટી પ્લોટમાં ખોવાઈ ગયો છે ત્યારે આપણી અતિ પ્રાચીન આવી ગૌરવશાળી લોકસંસ્કૃતિને જાળવવાનો જાગૃતિબહેનનો આ પ્રયત્ન ખૂબ જ આવકારણીય અને અભિનંદનીય બની રહેશે. ગુજરાતના જાણીતા લોકસાહિત્યવિદ્ અને ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જોરાવરસિંહ જાદવે આપણા જાગૃતિબહેનને ‘સહિયર'ના સાચા ‘પ્રહરી’ તરીકે બિરદાવ્યાં છે. આપણે પણ જાગૃતિબહેનના આ લોકકલા અભિગમને અંતરના ઉમળકાથી આવકારીએ અને આ ક્ષેત્રે તેઓ વધુ ને વધુ સિદ્ધિનાં સોપાનો સર કરે એવી શુભેચ્છાઓ સાથે વિરમીએ અસ્તુ. સેવાના વ્રતધારી શ્રી નવીનભાઈ સુતરિયા ઉમરેઠની સુજલામ સુફલામ ધરતીના પનોતા પુત્ર જેમનામાં પ્રેમ, લાગણી અને ભાવનાના ત્રિવેણી સંગમનાં દર્શન Jain Education Intemational ૪૯૩ થાય છે–એવા ઋષિમાનવ શ્રી નવીનભાઈ સુતરિયાને મળવું એ પણ એક લ્હાવો છે. ઉમરેઠની ધરતીએ સાહિત્યકારો શિક્ષણશાસ્ત્રીઓ, રાજકારણીઓ, કાયદાશાસ્ત્રીઓની સાથે સાથે ગુર્જર ગિરાને દાનવીરો પણ આપ્યા છે. આવા જ એક દાનવીર રત્ન છે-શ્રી નવીનભાઈ સુતરિયા. એમણે એમની જ્ઞાતિની સંસ્થાઓ જેવી કે ખડાયતા ભુવન–મુંબઈ, ખડાયતા ભુવન-નાથદ્વારા [રાજસ્થાન] અને ખડાયતા ભુવન–ડાકોર એમની સખાવતથી ચાલતી સરસ વ્યવસ્થા, સંપૂર્ણ સગવડવાળાં યાત્રાળુઓ માટેનાં અનોખાં નિવાસસ્થાન છે. મુંબઈમાંથી ખૂબ જ મોટા ધંધા વેપારમાંથી નિવૃત્તિ લઈ, સમાજસેવાના કાર્યમાં લાગી ગયેલા શ્રી નવીનભાઈ એક મળવા જેવા માણસ છે. સાદાઈ તો જાણે એમને વારસામાં મળી હોય એમ સંપૂર્ણ સાદગીભર્યું જીવન જીવતા, આ ત્યાગીપુરૂષને જોતાં તમને કલ્પના પણ ના આવે કે સેવાની સુગંધ સમા આપણા આ નવીનભાઈ કરોડોના આસામી હશે. એમની વિશિષ્ટતા એ છે કે એમની સેવાઓ અને દાન પરંપરા એમની જ્ઞાતિ પૂરતાં મર્યાદિત નથી પરંતુ શ્રી નીરુબહેન રાવળની સંસ્થા દાજીપુર, અપંગ બહેનો માટેની સંસ્થા “મંથન”, ડૉ. દેવયોગીની અપંગ-બાળકોની નાનીકડીની સંસ્થા “મમતા’ અને વિકાસની કેડીએ ખૂબ જ આગળ વધી રહેલી ડૉ. દેવયોગીની સંસ્થા “મંગલમ્” ને એમણે લાખોનાં દાન આપી અપંગોની વિકાસ પ્રવૃત્તિમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી નવીનભાઈનું એક આદર્શ અને સોનેરી સ્વપ્ન ડાકોરનું આરોગ્યધામ. નડિયાદ-ડાકોર રોડ પર, ડાકોરની નજીક આવેલું આરોગ્યધામ જોતાં જ ગદ્ગદ્ થઈ જવાય છે. પ્રભુસેવા કરતાં માનવસેવા કરવી એ તો અનેરું કાર્ય છે. અને માનવ આરોગ્ય સેવાનો યજ્ઞ આપણા શ્રી નવીનભાઈએ તન, મન અને ધનથી આરંભ્યો છે. આરોગ્યધામમાં ત્રણ બેડ રૂમની બનાવેલી સ્વચ્છ હવા ઉજાસવાળી રૂમો, એક મોટો હોલ, સ્વચ્છ અને સાદું ભોજન અને અહીં રોપેલા આરોગ્યવર્ધક છોડવાઓ. વાતાવરણને હર્યુભર્યું બનાવે છે. આ છોડવાઓમાં આયુર્વેદિક દવાવાળા છોડવાઓ પણ છે. આપણા આ પ્રકૃતિપ્રેમી માનવીને “એલોપથી” કરતાં ‘હોમિયોપેથિક” અને આયુર્વેદિક દવાઓમાં વિશેષ શ્રદ્ધા હોય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy