SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ જોડાયા. ત્યાંથી આર્ટ્સ-સાયન્સ કોલેજ-કપડવંજમાં આવ્યા અને પછી તો એમણે એમના શિક્ષણનું કાર્યક્ષેત્ર ડાકોર બનાવ્યું. અને ડાકોરની ભવન્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. અહીં ભવન્સ કોલેજ-ડાકોરમાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તરીકે પછી ઉપાચાર્ય તરીકે અને ઇન્ચાર્જ આચાર્ય તરીકે અભિનંદનીય સેવાઓ આપી, અહીંથી જ પુરાણી સાહેબ નિવૃત્ત થયા. કુલ ૩૪ વર્ષ સુધીની એમની શિક્ષણ ક્ષેત્રની યશસ્વી સેવાઓએ અનેક વિદ્યાર્થીઓનાં જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આજે પણ એમના વિદ્યાર્થીઓ કહે છે કે “અમને પુરાણી સાહેબ જેવા અધ્યાપક મળ્યા એ અમારા જીવનનું ગૌરવ છે-અને અમે જે સિદ્ધિઓનાં સોપાનો સર કર્યાં છે-એના પાયામાં શ્રી પુરાણી સાહેબ છે. એમના શૈક્ષણિક ક્ષેત્રના વિશિષ્ટ પ્રદાનની વાત કરી તો— (૧) યુ.જી.સી.-બ્રિટીશ કાઉન્સીલ ૧૯૬૮ સમર ઇન્સ્ટિટ્યુટ (૨) એડવાન્સ સમર ઇન્સિટટ્યુટ (૩) ફેકલ્ટી ઇમ્પ્રુવમેન્ટ કાર્યક્રમમાં પ્રદાન. (૪) પી. જી. ટીચર (૫) ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્શિયલ કોમ્યુનિકેશનમાં અભ્યાસક્રમ તૈયાર કરવા વાણિજ્ય વિદ્યાશાખાની સબ કમીટીમાં સભ્ય. (૬) પ્રાથમિક શાળાના શિક્ષકો માટે અંગ્રેજીના નવા અભ્યાસક્રમના માર્ગદર્શન માટેના તજજ્ઞ તરીકે સેવા. (૭) અંગ્રેજી માધ્યમની શાળાના શિક્ષકોને ઓરીએન્ટશન કોર્સમાં માર્ગદર્શન. (૮) ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે યોજાયેલ સેમીનારમાં ફેકલ્ટી મેમ્બર તરીકે સેવા. (૯) ભાષા [અંગ્રેજી]ની લેબોરેટરી ઊભી કરવાનું આયોજન કરી આદર્શ લેબોરેટરી તૈયાર કરી. (૧૦) શૈક્ષણિક સંસ્થામાં સલાહકાર સમિતિના સભ્ય. (૧૧) ભારતીય સંસ્કાર કેન્દ્ર ડાકોરમાં ટ્રસ્ટી. (૧૨) તાનારીરી અકાદમીના પ્રમુખ. (૧૩) સાહિત્ય-કલા-નૃત્ય-સંગીતની પ્રવૃત્તિઓ. (૧૪) લાયન્સ ક્લબ ડાકોરમાં સતત ત્રણવાર મંત્રી પદે. (૧૫) એન.સી.સી. ઓફિસર તરીકે સેવા-૭ વર્ષ–કેપ્ટન રેન્ક. Jain Education International પથપ્રદર્શક (૧૬) રાષ્ટ્રીય સેવા યોજનાના અધિકારી તરીકે-૧૦ વર્ષ. (૧૭) સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિઓ-સૌથી વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓ મેળવી આપવા બદલ સમગ્ર ગુજરાત ખાતેની ટ્રોફી શ્રી કે. કે. વિશ્વનાથન-ગવર્નરના હસ્તે પ્રદાન. (૧૮) વિદ્યાર્થીઓને સમાજ અભિમુખ કરવા બદલ ગુજરાત રાજ્યના ગવર્નર શ્રીમતી શારદાબેન મુકર્જીના હસ્તે પ્રશંસાપત્ર અર્પણ. (૧૯) આકાશવાણી-અમદાવાદ-વડોદરા ઉપરથી ‘અમૃતધારા’માં, ‘લઘુવાર્તાલાપો’નું નિયમિત પ્રસારણ યુવાવાણી કાર્યક્રમોનું આયોજન. આમ વિવિધક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર આપણા પુરાણી સાહેબ ફક્ત ડાકોરનું જ નહીં, પણ ગુજરાતનું ગૌરવ છે. આવા નિષ્ઠાવાન શિક્ષણશાસ્ત્રી, પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને સમાજ સેવાને વરેલા આ મહામાનવને અંતરના ઉમળકાથી આવકારીએ અને પ્રભુ એમને દીર્ઘાયુ, સુખમય સ્વાસ્થ્ય અને એમના કાર્યક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ બક્ષે એવી પ્રભુપાર્થના સાથે વિરમીએ. ગુણિયલ ગુર્જરનારી જાગૃતિબહેન ઠાકોર સાહિત્ય હોય, સંગીત હોય કે કલા હોય. આ ત્રણે ક્ષેત્રે ગુર્જર નારીનું પ્રદાન અનોખું રહ્યું છે. આવાં કેટલાય નારીરત્નો છે. જેમનાં યશસ્વી પ્રદાનના કારણે ગુર્જરભૂમિ ગૌરવવંતી બની છે. આવાં જ આપણા એક યશસ્વી બહેન છે જાગૃતિબહેન ઠાકોર. ગુજરાતની ખૂબ જાણીતી સંસ્થા ગુજરાત લોક કલા ફાઉન્ડેશન સાથેની એક સંસ્થા છે ‘સહિયર' લોક કલા સંસ્થાન. જે છેલ્લા વીસેક વર્ષથી લોકકલા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરી રહી છે. એના યશભાગી છે, આપણાં આ જાગૃતિબહેન. જાગૃતિબહેને માત્ર આઠ-નવ વર્ષની ઉંમરથી રાસગરબા તથા લોકનૃત્યના જાહેર (સ્ટેજ) કાર્યક્રમો દ્વારા એમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૮૩માં જાગૃતિબહેને ‘સહિયર’ સંસ્થાની સ્થાપના કરી. આ અંકુર આજે તો વટવૃક્ષ બની દેશ-પરદેશમાં એની સિદ્ધિનાં સોપાન સર કરી ચૂકેલ છે. એમની વિશેષતા એ છે કે પારંપરિક લોકસંસ્કૃતિને તેઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy