SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ હાસ્યસાહિત્યમાં આવું સરસ ખેડાણ કર્યું છે, ત્યારે ગુજરાતી સાહિત્ય જગત એમના માટે જરૂર ગૌરવ લઈ શકે. જુદાં જુદાં દૈનિકો જેવાં કે ‘સંદેશ’, ‘નવચેતન’, ‘જનસત્તા’ ઓટ વગેરે સામયિકોમાં એમના ‘હાસ્યલેખો' પ્રગટ થયા છે, અને ‘સમભાવ’ [દૈનિક] માં તો એમની ‘હાસ્યપલ્લવ’ નામની કોલમ પણ ચાલુ છે. આમ તો આપણાં આ બહેન પલ્લવી મિસ્ત્રીનો જન્મ ૧૨૧૦-૧૯૫૮ના રોજ નવસારીમાં થયેલો. પિતાશ્રી છગનલાલ મિસ્ત્રી અને માતા લલિતાબહેન મિસ્ત્રીનાં આ સંસ્કારી પુત્રીએ ડી.એ.એ. ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. એમના પતિશ્રી જિતેન્દ્રભાઈ સી. મિસ્ત્રી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. બે બાળકોનાં માતા પલ્લવીબેન સાહિત્ય સર્જન માટે સમય ફાળવી શકે છે. એ એમની વિશિષ્ટતા લેખી શકાય. શ્રી પલ્લવીબેનને બીજાં સાહિત્ય કરતાં હાસ્ય સાહિત્ય તરફ વધુ પક્ષપાત છે. એમ એમના લેખો અને પુસ્તકો વાંચતાં લાગે પરંતુ હું તો એમ જ કહીશ કે આ તો એમની હાસ્ય સાહિત્ય પ્રત્યેની નિષ્ઠા છે. વતન તો પલ્લવીબેનનું જન્મસ્થાન નવસારી છે પણ એમનું માદરે સુરત છે, અને સુરતવાસીઓને હાસ્ય રસ તો કોઠે પડી ગયો છે. એની પ્રતીતિ તો સુરતના હાસ્યના બે ધુરંધર સર્જકો શ્રી જ્યોતીન્દ્ર દવે અને શ્રી ધનસુખલાલ મહેતાને વાંચતાં જ આપણને થાય એટલે સુરતના સંસ્કારોને તો આપણી આ ગૌરવવંતી બહેને સાચે જ શોભાવ્યા છે. પલ્લવીબેન રોજિંદા જીવનમાંથીય હાસ્યનું નવનીત નીતારી શકે છે. એ એમની સૃજનશીલતાને આભારી છે. પલ્લવીબેન સારા લેખિકા તો છે જ, સાથે સાથે સારા વક્તા પણ છે. હાસ્ય સાહિત્યમાં એમના ત્રણ નોંધપાત્ર પુસ્તકો છે (૧) “હાસ્ય પલ્લવ” [૧૯૯૭] (૨) “છે મજા તો એજ” [૧૯૯૯] (૩) “હાસ્યકળશ છલકે" [૨૦૦૨] આ ત્રણે પુસ્તકોએ આગવો વાચક વર્ગ ઊભો કર્યો છે– એ જ આ લેખિકા બહેનની સિદ્ધિ કહી શકાય. સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સર્જકોનો ફાળો મહત્ત્વનો રહેલો છે—અને એમાંય જ્યારે સ્ત્રી સર્જક હોય ત્યારે તો તે રાષ્ટ્ર Jain Education Intemational ૪૯૧ અને સમાજને મહત્ત્વનો રાહ ચીંધી શકે. કારણ, આપણે ત્યાં કહેવાયું છે કે—સો શિક્ષક બરાબર એક માતા” એટલે સાહિત્યનું સર્જન કરતી ગૃહિણી તો સમાજ વિકાસની પારાશીશી બની શકે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમાજ–રાષ્ટ્ર તેની સંસ્કાર સ્વામીનીઓથી ઓળખાય છે. એ જ એનું સાચું ઘરેણું છે. એનો ઇતિહાસ સમયે સમયે કરવટ બદલતો જ રહે છે. છતાં તેની વિકાસ યાત્રા નિરંતર ચાલતી રહે છે. આપણા સમાજ જ્ઞાતિનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે, સમયે-સમયે નવાં નવાં ક્ષેત્રોમાં વ્યક્તિત્વનો ઉજાસ પાથરનાર વ્યક્તિઓ-વ્યક્તિ વિશેષો પ્રાપ્ત થતાં રહ્યાં છે. આપણા બેન પલ્લવી મિસ્ત્રી હાસ્યસાહિત્યક્ષેત્રે એક આવકારણીય અને અભિનંદનીય નામ છે. એક નવું પરિમાણ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે. આવાં આપણાં આ યશસ્વી બહેન પલ્લવી મિસ્ત્રીનો હાસ્ય દરબાર પણ વિશિષ્ટ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છતાં સાહિત્ય રસિક પતિ શ્રી જીતેન્દ્રભાઈ, બે સુપુત્રો જીગર અને સાકેત-આ બધાં જ એમનાં સર્જનનાં પ્રેરક બળો છે. બહેન પલ્લવીનાં સાહિત્ય સર્જનને બિરદાવીએ અને પ્રભુ એમને દીર્ધાયુ, સુખમય સ્વાસ્થ્ય અને હાસ્ય સાહિત્ય સર્જનક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બક્ષે એવી પ્રભુપાર્થના સાથે વિરમીએ. સંસ્કારમૂર્તિ પ્રા. શ્રી પુરાણી સાહેબ શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારનો ત્રિવેણી સંગમ એટલે અમારા શ્રી પુરાણી સાહેબ. આમ તો શિક્ષણ જગત્ એમને પ્રા. કે. જે. પુરાણી તરીકે ઓળખે છે. એમનું પૂરું નામ તો છે પુરાણી ક્ષિતિજ જસવંતરાય. પરંતુ પુરાણી સાહેબ કહો એટલે તો આખું ડાકોર અને આજુબાજુના પંથકના સૌ ઓળખે. ડાકોરના ઠાકોરની અસીમ કૃપા એમના ઉપર ઊતરી છે. કારણ કે એમનું જન્મ સ્થળ અને શિક્ષણ કાર્ય તો અમદાવાદમાં થયેલું પરંતુ એમનું અધ્યાપન કાર્ય ડાકોરમાં થયેલું. તા. ૧૬-૧૨-૧૯૩૫ ના રોજ અમદાવાદમાં જન્મેલા શ્રી પુરાણીસાહેબે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં લીધું. એમની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેઓ બી.એ. પાસ થયા. ભારતીય સંસ્કૃતિ-સમાજશાસ્ત્ર સાથે અને બી.એ. માં એમનો ખાસ વિષય હતો, એન્ટાયર ઇંગ્લીશ એમણે એમ.એ. પણ એન્ટાયર ઇંગ્લીશ સાથે કર્યું. અને પછી તેઓશ્રી અધ્યાપક તરીકે આર્ટ્સ-કોમર્સ કોલેજ સિદ્ધપુરમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy