SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૭. પ્રતિભાઓ. ૧૯૮૧ માં એમનો એક સંગ્રહ The silken Tassel. રિશમનું ફૂમતું] નામે પ્રસિદ્ધ થયો હતો. રાષ્ટ્રપ્રેમને લગતાં તેમનાં કાવ્યો તો બેનમૂન છે. શ્રી મટભાઈ કાંટાવાલાએ તેમના માટે કહેલું કે. ખબરદાર” એ “પુરૂષ”, “કવિ” કે “સંત” નથી. એ તો જીવતી જાગતી ભાવના છે.” આ ભાવનાશીલ કવિનું તા. ૩૦-૭-૧૯૫૩ ના રોજ નિધન થયું. દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનો ફાળો આપનાર શ્રી જમશેદજી તાતા જન્મ ૧-૭-૧૮૩૯ મૃત્યુ ૧૯-૫-૧૯૦૪ આપણા દેશના મહાન ઉદ્યોગપતિ ઉદાર દિલના નિષ્ઠાવાન માનવી અને આપણા અદ્યતન ઉદ્યોગોના જનક સર જમશેદજી તાતાએ એમની દીર્ઘ દૃષ્ટિથી દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ મહાન ઉદ્યોગપતિનો જન્મ તા. ૧-૭-૧૮૩૯ ના રોજ નવસારીમાં થયો હતો. એમના પિતાશ્રી નૌસેરવાનજી તાતા મોટા વેપારી હતા. દેશ-પરદેશમાં તેમનો વેપાર પથરાયેલો હતો. જમશેદજીએ પ્રાથમિક શિક્ષણ નવસારીમાં જ લીધું. અને ૧૪ વર્ષની ઉંમરે મુંબઈની એલફિંસ્ટન્ટ કોલેજમાં દાખલ થયા અને ત્યાં એક “સ્કોલર' તરીકે પ્રતિષ્ઠા જાળવી રાખી. અહીંયા એમને દીનશા વાછા અને રામકૃષ્ણ ભાંડારકર જેવા સહાધ્યાયીઓ મળ્યા. બે વર્ષ કોલેજમાં અભ્યાસ કર્યા પછી પિતાની સાથે વેપારમાં જોડાવાની ફરજ આવી પડતાં, કોલેજનો અભ્યાસ છોડી દેવો પડ્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન જ કરશેજી દાજની પુત્રી હીરાબાઈ સાથે તેમનાં લગ્ન થયાં. જેનાથી ૧૮૫૯ માં દોરાબ તાતા અને ૧૮૭૧ માં રતન તાતા જેવા પુત્રોના પિતા બનવા સભાગી બન્યા. એમના એક ઔદ્યોગિક એકમોનાં ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જમશેદજીએ કહ્યું હતું—ખૂબ સરળ, નિખાલસ અને પ્રામાણિક ધંધાકીય સિદ્ધાંતોને કારણે ઝીણામાં ઝીણી બાબતો પર નિકટથી અને કાળજીપૂર્વક ધ્યાન રાખવું-એ બંને બાબતો સફળતા તરફ દોરી જાય છે.” ઈ.સ. ૧૮૭૭માં નાગપુરમાં એસ્પેસ મીલ નાંખીને અધતન યંત્ર સામગ્રી, ખૂબ જ ઊંચી કક્ષાનું વ્યવસ્થાતંત્ર, કરકસર ભર્યો વહીવટ, દીર્ધદૃષ્ટિભર્યું આયોજન અને મિલ કામદારોનું કલ્યાણ એ સૌ બાબતોએ તેમને દેશ-વિદેશમાં અદ્ભુત સફળતા અપાવી અને દર વર્ષે મિલ પણ સારો નફો વધારતી ગઈ. એ પછી તો કુર્લાની ધરમશી મિલ, અમદાવાદની એડવાન્સ મિલનો વહીવટ હાથમાં લઈ તેમનું અધતનીકરણ કરી, મજબૂત પાયા પર મૂકી દીધી. આ માટે તેમણે “સ્વદેશી કંપની' પણ સ્થાપી. આપણા દેશમાં ટેક્ષટાઈલ્સ ઉદ્યોગોનું આધુનીકરણ એ જમશેદજી તાતાને આભારી છે. એ જ રીતે મુંબઈનો વિકાસ ઊંચી ઇમારતો તથા તાજમહાલ હોટલ દ્વારા રોનક વધારવા માટે અથાગ પ્રયાસો તેમણે કર્યા અને આમ કરીને તેમણે મુંબઈને પ્રવાસીઓના નકશા પર મૂકી આપ્યું. સર જમશેદજીની દૃષ્ટિએ ભારતનું આધુનીકરણ ચાર બાબતો પર અવલંબે છે. ભૌતિક પ્રગતિ, ઊંચી જાતના પોલાદનું ઉત્પાદન, વીજળીકરણના જનરેટર્સ અને વૈજ્ઞાનિક તથા ટેકનોલોજિકલ શિક્ષણનો વિકાસ. છોટા નાગપુરનાં જંગલોમાંથી મળી આવેલ લોખંડને ધ્યાનમાં લઈ ત્યાં આયર્ન એન્ડ સ્ટીલ કંપની સ્થાપી. એક વિશાળકાય કારખાનું, અદ્યતન યંત્ર સામગ્રી સાથે ઊભું કર્યું. જોતજોતામાં જંગલોમાં મંગલ કરતું “જમશેદપુર’–એક નૂતન ઔદ્યોગિક તીર્થ ધામ વસી ગયું. ઉપરાંત તેમણે ટેક્ષટાઈલ્સ ઉદ્યોગને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે હેતુથી “હાઈડ્રોઇલેકટ્રીક સ્કીમ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા'ની યોજના કરી હતી અને બેંગ્લોરમાં સાયન્ટિફિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના તેમણે કરી હતી. આ મહાન ઉદ્યોગપતિનું તા. ૧૯-૫-૧૯૦૪ના રોજ અવસાન થયું. ગુજરાતના ગૌરવવંતા નારીરત્ન સંતોકબા જન્મ : ૧૫-૬-૧૯૧૭ પંચ્યાશી વર્ષની ઉંમરના સંતોકબાએ ચિત્રકલા ક્ષેત્રે સાચે જ વિક્રમ સર્યો છે. વિદ્યાનગરમાં રહેતા આ વયોવૃદ્ધ બાએ મહાભારતની ચિત્રકથા સાત હજાર મીટર લાંબા કાપડ ઉપર આલેખવાનો આઠ વર્ષ પહેલાં સંકલ્પ કર્યો હતો. તેમાંથી આજે મહાભારતનું ૧૨૦૦ મીટર લાંબુ કેનવાસ તો એમણે તૈયાર કરી દીધું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતના ગૌરવવંતાં આ નારીરત્નની કલાનું પ્રદર્શન પાંચ વર્ષ અગાઉ દિલ્હી ખાતે યોજાયું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy