SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ હતું. આ પ્રદર્શનમાં ૪૦૦ મીટર લાંબુ પેઇન્ટીંગનું કેનવાસ દિલ્હી બાલભવનની આર્ટ ગેલેરીમાં ગોઠવાયું હતું. જેનું વજન ૨૦૦ કિલોગ્રામ થયું હતું અને આ પ્રદર્શન લોકપ્રિય બન્યું હતું અને આ કારણે પંદર દિવસ માટે યોજાયેલું આ પ્રદર્શન એક મહિના સુધી ચાલુ રાખવું પડ્યું હતું. છાપાંઓએ પણ એમને ખૂબ જ પ્રસિદ્ધિ આપી હતી. કોઈ પત્રકાર આ પ્રદર્શન જોવા જાય તો સંતોકબા ખૂબ જ મીઠાશથી કહે, “ભાઈ, મારો એક સરસ ફોટો તો પાડશો ને? તમારા છાપામાં કે સામયિકમાં એ છપાય તો મને એની નકલ તો મોકલશો ને? હું તમને એના પૈસા આપીશ.” સંતોકબાએ એક મહત્વની વાત આ દિલ્હી પ્રદર્શનમાં એક પત્રકારને કહેલી કે “મારું આ પેઈન્ટીંગ એક માણસ રૂપિયા ૨૫ હજારમાં ખરીદી લેશે એમ એમણે કહી દીધું છે, પરંતુ દસ્તાવેજો તૈયાર થયા ન હોઈ મારે એ ખરીદનારનું નામ ખાનગી રાખવું પડશે. સંતોકબા નાની ઉંમરે વિધવા થયાં હતાં, પછી એમનો ચિત્રો દોરવાનો શોખ શરૂ થયો હતો, પણ પછી ૬૫ વર્ષની ઉંમરે તો એમણે ચિત્રકળાનો રીતસરનો વ્યવસાય શરૂ કર્યો. એમનું પહેલું પ્રદર્શન વડોદરામાં ગોઠવાયું હતું અને બધાં જ ચિત્રો રૂા. ૧૮૦૦ માં વેચાઈ ગયાં હતાં., ત્યારબાદ એમણે ૨૪ ફૂટ લાંબા કાગળ ઉપર રામાયણની કથા આલેખી હતી. જે તરત જ એર ઇન્ડિયાએ ખરીદી લીધી હતી અને મુંબઈના એરપોર્ટ પર ગોઠવી હતી. એ પછી રામાયણ ૭૫ ફૂટ લાંબા કેનવાસ પર એમણે આલેખ્યું અને પછી ૧૯૮૭માં ૨૫ ફૂટ લાંબા કેનવાસ ઉપર એમણે મહાભારત રજૂ કર્યું. આ બધું એર ઇન્ડિયાએ ખરીદી લીધું. પછી તો એક જર્મન કલાકારની નજરે સંતોકબાનું પેઈન્ટિંગ પડ્યું તો તે ખુશ થઈ ગયો અને જર્મની અને ઓસ્ટ્રેલીયામાં સંતોકબાનાં ચિત્રોનાં પ્રદર્શન યોજાયાં. આપણા ગુજરાતના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા પછી તો એમણે એક મોટો સંકલ્પ કર્યો. ‘૧૯૮૯ માં જગતમાં ચિત્રકલાની દુનિયામાં કદી ના કોઈએ કર્યું હોય એવું હું કરી બતાવીશ.' એ જ વર્ષમાં આપણા સંતોકબાએ સાત હજાર મીટર લાંબા કેનવાસ ઉપર સંપૂર્ણ મહાભારત આલેખવાનો નિર્ણય કર્યો. આ એવું મહાકાર્ય છે, જે થવું મુશ્કેલ છે. છતાં આજે ૧૨૦૦ મીટર લાંબુ કેનવાસ તૈયાર થઈ ગયું છે. Jain Education International પથપ્રદર્શક એમની સાથેની મુલાકાતમાં એમણે ઘણી રસપ્રદ વાતો કહી–“રામાયણનું મારું ૭૫ ફૂટ લાંબુ કેનવાસ રૂા. ૬૦ હજારમાં વેચાયું હતું. સાત હજાર મીટર લાંબા કેનવાસ ઉપર મહાભારત પૂરું કર્યા વિના હું મરવાની નથી. અમદાવાદની મિલોમાં ફરી ફરીને મેં સાત હજાર મીટર કાપડ ખરીદી લીધું છે. હું શુદ્ધ વનસ્પતિ રંગો વાપરું છું. જે ખૂબ જ મોંઘા હોય છે. આવા દશ ગ્રામ રંગની કિંમત રૂા. ૩૫૦ થી ૪૦૦ થાય છે. ફેવીકોલવાળા મને ખૂબ જ મદદ કરે છે. તેઓ મને મફત ફેવીકોલ આપે છે. નાનાં નાનાં ચિત્રો વેચીને હું મહિને હજાર– બે હજાર કમાઈ લઉં છું.' સંતોકબા વિશે એવું મનાય છે કે સૌથી લાંબુ કેનવાસ ચીતરવામાં ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ નોંધાવાની શક્યતા છે. એના સંચાલકો સંતોકબાના કાર્ય વિશે તપાસ કરી રહ્યા છે. કદાચ સંતોકબાએ દોરેલ કૃતિઓ ઉત્કૃષ્ટ કૃતિઓ નહીં હોય પરંતુ ૮૫ વર્ષની ઉંમરે પણ કંઈક સર્જન કરવાની એમની ધગશ, ઉત્સાહ અને શ્રદ્ધા તો દાદ માંગી લે તેવી છે. એમનાં આ કાર્યમાં તેઓ ખૂબ જ સફળતા મેળવે, એમનો સંકલ્પ સાકાર થાય અને એમનું નામ ગીનેસ બુકમાં નોંધાય અને આપણા સંતોકબા એ ભારતના પિકાસો બની રહે એવી શુભકામના સાથે આપણે વિરમીએ. અવકાશમાં ગુજરાતનું ગૌરવ વધારતી સુનીતા પંડ્યા ગુર્જરની ગૌરવવંતી નારી આજે તો વિશ્વમાં ઉડાન ભરી રહી છે ત્યારે આપણી છાતી ગજગજ ફુલે છે. ગુજરાતનાં નારી રત્નોએ વિશ્વમાં જે વિકાસની કેડી હાંસલ કરી છે. તે જોઈને તો આપણા સૌનાં મન પ્રસન્નતા અનુભવે છે. આ વાત છે આપણા યશસ્વી નારીરત્ન ચિ. બહેન સુનીતા પંડ્યાની. થોડા દિવસો અગાઉ એટલે પહેલી ફેબ્રુઆરીએ સવારે અમેરિકન શટલયાન કોલમ્બિયા આકાશમાં તૂટી પડ્યું ત્યારે આપણા દેશના પહેલા મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનું એમાં અવસાન થયું ત્યારે આખા દેશે સખ્ત આઘાતની લાગણી અનુભવી હતી. આ સમયે કલ્પના ચાવલાના કુટુંબને લાગેલા સખ્ત આઘાતમાં, તેમને આશ્વાસન આપવા માટે એક ગુજરાતી યુવતી એમની સાથે હ્યુસ્ટનમાં હતી. આ ગુજરાતી યુવતી સુનીતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy