SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૯૪૨ની ચળવળનો પ્રથમ શહીદ વીર વિનોદ કિનારીવાલા ૧૯૪૨ની ક્રાન્તિનો ગુજરાતનો પ્રથમ શહીદ વીર વિનોદ કિનારીવાલા, ગુજરાત કોલેજનો ઇન્ટર સાયન્સનો વિદ્યાર્થી વિનોદ કિનારીવાલા. એ ચળવળનો આગેવાન વિદ્યાર્થી નેતા. ગુજરાતની આખી વિદ્યાર્થી આલમ એક થઈ ગઈ. અમદાવાદ એમાં મોખરે અને એમાંય ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ સોથી મોખરે હતા. યુવાનોમાં ઉત્તેજના વધી રહી હતી. કરેંગે યા મરેંગે'નાં સૂત્રો બુલંદ અવાજે ઝિલાઈ રહ્યાં હતાં. અને એકાએક ધાણી ફૂટે તેમ ગોળીઓ છૂટવા લાગી, પોલીસ હવે એ યુવાનોને એક ડગલું આગળ વધવા દેવા માગતી જ નહોતી. આ વિદ્યાર્થીઓમાં આપણો ફૂટડો જુવાન વિનોદ કિનારીવાલા આપણા ત્રિરંગાની શાન જાળવવા માટે મરણિયો બન્યો હતો. બંદૂકની ગોળીની એને બીક નહોતી. એણે પોલીસને પડકારી! ત્રિરંગા સાથે એ આગળ વધ્યો.પોલીસે નિશાન તાકી એને રોકવાની કોશિષ કરી. વિનોદ કહ્યું : બીક રાખે મનુષ્યો બાયલા રે, અમે બહાદુર ને બળવાન અમે ડરતા નથી હવે કોઈથી રે!' ચલાવવી હોય તો ચલાવો ગોળી પણ આ ત્રિરંગો અંતિમ શ્વાસ સુધી મારા હાથમાં જ રહેશે..........! અને સનનુનું કરતી એક ગોળી વિનોદની કાયાને વીંધી ગઈ. વિનોદ ભોંય પર પટકાયો. મિત્રો દોડી આવ્યા. વિનોદ જાણતો હતો કે પોતાને વાગેલી ગોળી જીવલેણ છે! ડોકટરો આવી પહોંચ્યા. પણ વિનોદના આત્માની તો શહીદોની પંક્તિમાં વાટ જોવાઈ રહી હતી. દેશભક્તિનું ગીત સાંભળીને એ પોતાના વતનને પોતાના સાથીઓને કાયમી અલવિદા કહેવાની તૈયારી કરી રહ્યો હતો. | વિનોદના મિત્રો સ્વસ્થ થયા. એમણે આંસુ લૂછી નાખ્યા અને વિનોદનું વહાલું ગીત સમૂહમાં ગાવાનું શરૂ કર્યું. “રંગ જાય ના, યુવાન રંગ જાય ના, જો જે જો જે જુવાન રંગ જાયના!' ૪૮૫ વિનોદે પરલોક પ્રયાણ કર્યું. પોતાના મિત્રોને મુક્તિ જંગ ચાલુ રાખવાનો મૂક સંદેશ આપીને! ૨૦-૯-૧૯૨૪ એ આપણા વીર વિનોદનો જન્મદિવસ અને ૯ ઓગષ્ટ ૧૯૪૨ એ વિનોદ શહીદ થયો. અઢાર વર્ષનો આ અરમાનભર્યો યુવાન આઝાદીના માંચડે અમર થઈ ગયો. આ વાતને તો આજે પંચાવન વરસ થયાં. આજે જ્યારે આપણા દેશની આઝાદ ભૂમિ પર સ્વાભિમાની ત્રિરંગાને જોઈએ છીએ ત્યારે રાષ્ટ્રીય શાયર મેઘાણીની પેલી પંક્તિઓ આપણી આંખને ભીંજવી જાય છે...... તારે કાજે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં, પુત્ર વિજોગી માતાઓનાં નયન ઝરણ ઠલવાયાં. ઝંડા! અજર અમર રેજે, વધવધ આકાશે જાજે! પછી તો આપણા રાષ્ટ્રધ્વજની શાન જાળવનાર આપણા વીર વિનોદનો દર વર્ષની નવમી ઓગષ્ટ “શહીદ દિન’ ઉજવાતો. પછી મૂકેલ ઈટો પાસે જ ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓને લાગ્યું કે શહીદનું સ્મારક રચાવું જોઈએ. વિનોદ તો જાણતો પણ નહિ હોય કે એના મૃત્યુ પછી એનું સ્મારક રચાશે ને ગુજરાતમાં પહેલી શહીદ ખાંભી થશે અને તેની અમર શહાદત લોકમુખે ગવાશે. આજે એની પુણ્યતિથિએ આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ. ઇન્દુલાલ યાજ્ઞિક મૃત્યુ : ૧૭-૭-૧૯૭૨ અમીર નગરીના ફકીર બાદશાહ' શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતના સામાજિક, રાજકીય અને આર્થિક પ્રશ્નોની રજૂઆત નિર્ભય રીતે કરવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. એમનું ખમીર પણ અજોડ હતું. અંગત સુખસગવડોની પરવા કર્યા વગર અલગારી રીતે જીવન જીવી એમણે લોકોનાં કામો કર્યા છે. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ૨૨-૨-૧૮૯૨માં નડિયાદમાં થયો હતો. એમના પિતાનું નામ ડૉ. કનૈયાલાલ અને માતાનું નામ મણિગૌરી. અગિયાર વર્ષની વયે તો એમણે પિતાનું છાયાસત્ર ગુમાવ્યું. ચૌદ વર્ષની વયે તેઓ મેટ્રિક થયા, એ પહેલાં બાર વર્ષની વયે એમનાં લગ્ન થઈ ગયેલાં. ૧૯૧૦માં તેઓ બી.એ. થયા અને ૧૯૧૨માં એલ.એલ.બી. પણ થયા. ૧૯૧૩ થી ૧૯૧૫ સુધી વકીલાત કરી પણ એમાં એમને મજા ન આવી. ૨૧ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy