SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ પથપ્રદર્શક વંદનીય વિભૂતિઓ —યશવંત કડીકર વિશ્વસાહિત્યમાં ચરિત્ર સાહિત્યનું મહત્ત્વ અનેરું છે. વિશ્વના મહાન પુરૂષોએ વિશ્વનું કલ્યાણ કર્યું છે, તો એમનાં પ્રેરક ચરિત્રોએ નવી પેઢીમાં પ્રેરણાના સ્ત્રોત વહાવ્યા છે. આ ચરિત્ર સાહિત્યને પોષવાનું કામ ગુજરાતી સાહિત્ય પણ કર્યું છે. અને આવાં ચરિત્રોનાં પુસ્તકોના કારણે જ ગુજરાતી સાહિત્ય અકાદમીએ યશવંતભાઇને ગિજુભાઈ બધેકા સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કર્યા છે. આવાં વિરલ અને વિશિષ્ટ ચરિત્રો આ લેખમાળામાં પ્રસ્તુત કર્યા છે. જે આ ગ્રંથના વાચકો માટે રાહબર બની રહેશે એવી શ્રદ્ધા છે. કવિવર ટાગોરે સાચું જ કહ્યું છે કે-“પ્રેરણાદાયી ચરિત્રો જ માનવીનું ચારિત્ર ઘડે છે.” આ લેખમાળા રજૂ કરનાર શ્રી યશવંતભાઈ કડીકર વિષે પ્રા. રતિલાલ નાયક એક નોંધમાં લખે છે કે શ્રી યશવંત કડીકર એટલે ગુજરાતી સાહિત્યનું એક ગૌરવવંતુ નામ. ગુજરાતી સાહિત્યમાં છેલ્લા ચાલીસ વર્ષથી સતત ખેડાણ કરી રહેલા યશવંત કડીકરનું વતન તો મહેસાણા જિલ્લાનું “કડી' ગામ. એટલે જ એમણે પોતાનું નામ કડીકર રાખ્યું છે. આમ તો તેઓ વૈષ્ણવ વાણિયા છે અને એમની અટક “શાહ' છે. પણ વતનની મમતાએ તેમને “કડીકર' બનાવ્યા છે. યશવંતભાઈએ શું લખ્યું છે, એના કરતાં શું નથી લખ્યું –એનો જવાબ આપતાં મૂંઝવણ અનુભવવી પડે તેમ છે. વાર્તા, લઘુકથા, કવિતા, નાટક કે નવલકથા હોય કે પછી પુસ્તકોનું અવલોકન હોય. બધાં ક્ષેત્રે એમની કલમે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ઉલ્લેખનીય છે. ભારતભરની બધી ભાષાઓમાં સૌથી વધુ કોલમ લખનાર લેખક તરીકે તેઓ પંજાબ અને કેરાલા સરકાર દ્વારા સન્માનિત થયા છે. એમનાં અઢીસો ઉપરાંત પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. જેમાં ૧૬૫ બાળ-સાહિત્યનાં તથા બાવન નવલકથાઓનો સમાવેશ થાય છે. સુપ્રસિદ્ધ નવલકથાકાર-વાર્તાકાર પ્રો. પ્રિયકાન્ત પરીખ શ્રી યશવંત કડીકર વિશે કહે છે, “શ્રી યશવંતભાઈ બાળસાહિત્યકાર પહેલા પણ બાળસાહિત્યનાં ખેડાણ ઉપરાંત એમણે વાર્તા-નાટક, હાસ્ય સાહિત્ય, નવલકથા-કટારલેખનનિરંતર શિક્ષણ, અગોર વિશ્વ જેવા બહુવિધ વિષયો પર પણ સફળતાપૂર્વક કામ પાર પાડી, લગભગ ૩૫૦ પુસ્તકો જેમાં બાળ સાહિત્યના ૧૬૫ પુસ્તકો ગુજરાતી સાહિત્યને અર્પણ કર્યા છે. આ ઉપરાંત “ગુજરાત સાહિત્ય પરિષદ' ગુજરાત સાહિત્ય અકાદમી' જેવી સંસ્થાઓની મધ્યસ્થ સમિતિના સભ્યપદે પણ છે. એમની બહુવિધ લેખન પ્રવૃત્તિ વધુને વધુ વિકસતી રહે અને એના સુફળ સાહિત્યને પ્રાપ્ત થાવ એવી શુભેચ્છા! ' યશવંત કડીકર ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના ચૂંટાયેલા સભ્ય છે. કાવ્યગોષ્ઠિ' (સાહિત્યિક સંસ્થા)માં પણ વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે. એમને “રાષ્ટ્રીય', રાજ્યના અને અન્ય રાજ્યનાં સાહિત્યિક પારિતોષિકો મળેલાં છે. દૂરદર્શન' અને “આકાશવાણીપરથી અવાર-નવાર એમના કાર્યક્રમો પ્રસારિત થાય છે. આવા યશસ્વી સાહિત્યકારને આપણે આવકારીએ અને સાહિત્ય ક્ષેત્રે તેઓ વધુ ને વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે. એવી શુભેચ્છા સાથે વિરમીએ. અસ્તુ. -સંપાદક, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy