SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પ્રાધ્યાપક છે. વચ્ચે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ તરીકે સેવા. કવિ અને વિવેચક સિતાંશુ પ્રાચીન યુરોપીય સાહિત્યના “મિથ' તથા ભારતીય સંકલ્પનાનો આધાર લઈ કવિતાને સમષ્ટિની વાણી બનાવે છે. “ઓડિસ્ટસનું હલેસું' માટે ગુજરાત સરકારનો પુરસ્કાર. “જટાયુ' માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને તાજેતરમાં નર્મદચંદ્રક એનાયત થયો. ઉપરાંત એન્સાયકલોપિડીયા ઓફ ઇન્ડિયન લીટરેચર, દિલ્હીના સંપાદક તરીકે સેવા આપી છે. કવિતાના નવા શિખર સિતાંશુમાં જોવા મળે છે એમ કહીશું. ઉમાશંકર જોશી : (જન્મ ઇ.સ. ૧૯૧૧ મૃત્યુ ઈ.સ. ૧૯૮૮) ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારોની સૂચિમાં ઉમાશંકર આગલી હરોળમાં બિરાજે છે. શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠાના ઇડર તાબાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગુજરાત વિદ્યાપીઠમાં રહી વિશ્વશાંતિ' કાવ્ય લખેલું અને રાષ્ટ્રીય ચળવળમાં પણ ભાગ લીધેલો. સાહિત્ય, શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે એમની સેવા મૂલ્યવાન હતી. ગુજરાત યુનિવર્સિટી તથા શાંતિનિકેતનમાં આવેલી વિશ્વભારતી યુનિવર્સિટીના તેઓ કુલપતિ હતા. કવિતા, વાર્તા, એકાંકી, સંશોધન, સંપાદન, વિવેચન, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. “સંસ્કૃતિ' નામનું માસિક ચલાવતા હતા. તેમના “નિશીથ' કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મરણોપરાંત પ્રેમાનંદ સુવર્ણચંદ્રક મળ્યો છે. સાહિત્ય અકાદમી, દિલ્હીના તેઓ પ્રમુખ હતા. તેમની મહત્ત્વની કૃતિઓ “ગોષ્ઠિ', “નિશીથ', “હૃદયમાં પડેલી છબીઓ', “સાપના ભારા', “શ્રાવણી મેળો', અને સંશોધન ક્ષેત્રે “અખો : એક અધ્યયન', પુરાણોમાં ગુજરાત' છે. પ્રકૃતિ, દીનજનવાત્સલ્ય, વિશ્વશાંતિ, માનવપ્રેમ વગેરે ભાવો તેમની કવિતામાં નિરૂપાયા છે. ઈશ્વર પેટલીકર : (જન્મ : ઇ.સ. ૧૯૧૬, મૃત્યુ ઈ.સ. ૧૯૮૩) ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલનો જન્મ ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં થયો હતો. નિવાસ અમદાવાદમાં. ૪૮૩ સાહિત્ય અને સમાજસુધારણા તેમની મુખ્ય પ્રવૃત્તિઓ હતી. તેમણે “જનમટીપ', “ભવસાગર', “પંખીનો મેળો', ‘પાતાળકૂવો', “કાજળકોટડી', “મારી હૈયાસગડી' વગેરે ઉલ્લેખપાત્ર નવલકથાઓ આપી છે. ગ્રામજીવનને લક્ષતી આ પ્રકારની કતિઓની સાથે તેમણે નગરજીવનને આલેખતી “તરણાં ઓથે ડુંગર', 'લાક્ષાગૃહ', “જૂજવાં રૂપ' વગેરે નવલકથાઓ પણ આપી છે. પારસમણિ', “ચિનગારી', “આકાશગંગા', “કઠપૂતળી' વગેરે તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ઘટનાપ્રધાન એવી એમની વાર્તાઓમાં કરુણાભરી સંવેદનાના સૂર સંભળાય છે જેમાં લોહીની સગાઈ” અને “દિલનું દર્દ' ઉલ્લેખનીય છે. મૂળે ગ્રામજીવનનું આલેખ કરતા આ લેખકે “ગ્રામચિત્રો' માં ચરિત્રનિબંધો આપ્યા છે. કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી) (જન્મ : ૧૯૦૫) માંગરોળમાં જન્મેલા આ વિદુરે ફક્ત હાઈસ્કૂલ કક્ષાનું ઔપચારિક શિક્ષણ લીધું છે. પરંતુ જ્ઞાનના અગાધ દરિયામાં તેમણે કોઈની મદદ વગર સહેલ કરી છે. “રણજિતરામ સુવર્ણચંદ્રક', “મહામહિમોપાધ્યાય’ અને ‘પદ્મશ્રી' એવા સન્માનથી અલંકૃત થયેલા આ મહાપંડિતે સંસ્કૃત અને ગુજરાતી ભાષાનાં વ્યાકરણ, રૂપરચના, શાસ્ત્ર અને સુસજ્જ ગ્રંથો આપ્યા છે. ઉપરાંત ગુજરાતી ભાષાનો લધુકોશ, અનુપ્રાસ કોશ, ગુજરાતી ભાષાનો પાયાનો કોશ, બૃહદ્ ગુજરાતી કોશ-ખંડ ૧૨ એમ પાંચ કોશ આપ્યા છે. ઉપરાંત ધર્મ અને પુરાણને લગતાં સંપાદનો કર્યા છે. પુરાતત્ત્વ, શાસ્ત્ર, વ્યાકરણ એમ અનેક વિષયોમાં અગાધ જ્ઞાન ધરાવનાર આ મહાવિદ્વાન નમ્રતાથી અને અવિરતપણે પોતાનું કાર્ય આજે ય (૨૦૦૪) કર્યે જાય છે. તેમણે ઇતિહાસ અને વિવેચન ઉપરાંત મૌલિક સર્જન પણ કર્યું છે. “અજેય ગૌરીશંકર અને ખાનદાન લોહી’ એમના એકાંકી સંગ્રહો છે. શ્રી વલ્લભાચાર્યજી અને બીજા કવિ, સાહિત્યકારોના જીવનચરિત્ર લખ્યાં છે. તેમણે સંસ્કૃત ભાષામાં પણ નોંધપાત્ર સર્જન કર્યું છે. અનેક સુંદર અનુવાદો આપ્યા છે. આંગળીને વેઢે ગણાય તેવા વિદ્વાન. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy