SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ કૃષ્ણલાલ શ્રીધરાણી (જન્મ : ઇ.સ. ૧૯૧૧, મૃત્યુ : ઈ. સ. ૧૯૬૦) કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો હતો. તેમનો અભ્યાસ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ, અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ તેમજ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં રહી કર્યો હતો. વધુ અભ્યાસ તથા વ્યવસાય અંગે કેટલાંક વર્ષો અમેરિકામાં રહ્યા હતા. “કોડિયાં’ અને ‘પુનરપિ' તેમના કાવ્યસંગ્રહો છે. “વડલો', મોરનાં ઈંડાં” અને “પિયા ગોરી’ નાટ્યસંગ્રહો છે. કવિતા અને નાટકના ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં અનોખું પદાર્પણ છે. ઉપરાંત પત્રકારત્વના ક્ષેત્રે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી હતી. હીરાબહેન રામનારાયણ પાઠક (જન્મ : ઇ.સ. ૧૯૧૬ મૃત્યુ : ઇ.સ. ૧૯૯૫) મુંબઈમાં જન્મેલાં લેખિકા હીરાબહેને અધ્યાપિકા તરીકે ફરજ બજાવી છે. વિસ્મયપૂર્ણ સંવેદનશીલતા દર્શાવતી કવિતા, પરલોકે પત્ર' માટે સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક, ‘ગવાક્ષદીપ' માં નિબંધ, “આપણું વિવેચનસાહિત્ય’, ‘આસ્વાદભાષ્યો', “ચંદ્ર ચંદ્રાવતીની વાર્તા'નું સંપાદન કર્યું. સંસ્કૃત સાહિત્ય પ્રત્યેનો અનેરો લગાવ. સુરેશ જોશી (૧૯૨૧-૧૯૮૬) સોનગઢ પાસે વાલોડ ગામે જન્મેલા શ્રી સુરેશ હરિપ્રસાદ જોશી મ.સ. યુનિ. ખાતે પ્રાધ્યાપક તરીકે સુદીર્ધ ખ્યાતિ મેળવી ચૂક્યા હતા. કવિતા, નવલિકા, નવલકથા, નિબંધ, વિવેચન, સંપાદન, અનુવાદ-દરેક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ આગવું યોગદાન આપનાર સુરેશ જોશી સાહિત્યમાં ચીલાચાલુ વિભાવનાઓના વિરોધી હતા. સાહિત્યના મર્મને પામનાર એક સ્પષ્ટવક્તા વિવેચક હોવા ઉપરાંત એક સંવેદનશીલ સર્જક, આસ્વાદક પણ હતા. જનાન્તિકે' નિબંધસંગ્રહ માટે નર્મદચંદ્રક (૧૯૬પ૧૯૭૧)માં રણજીતરામ ચંદ્રક ઉપરાંત સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડથી સન્માનિત થયા છે. કુન્દનિકા કાપડિયા : (૧૯૨૭) જન્મસ્થળ : લીમડી. લેખિકા અને પત્રકાર. કુન્દનિકાબહેન આજે તો નંદિગ્રામ જઈ વસ્યા છે. તેમની સાચી ઓળખ તો “સાત પગલાં આકાશમાં’ બની રહી છે જેના માટે પથપ્રદર્શક તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો અને એથી વિશેષ લોકચાહના મળી. નવલિકાસંગ્રહો, નિબંધ, સંપાદન અને અનુવાદના ક્ષેત્રમાં પણ પ્રશંસનીય કાર્યસાધના, ‘સાત પગલાં આકાશમાં' નારીજીવનની અનોખી ચેતનાનો વિસ્તાર કરેલ છે. શ્રી નરોત્તમ કાકૂભાઈ પલાણ : (જન્મ ઇ. સ. ૧૯૩૫) શ્રી નરોત્તમ પલાણ ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ સર્જકવિવેચક ઇતિહાસ, વિવેચક-ઇતિહાસ-પુરાતત્ત્વવિદ્ છે. તેમના રસના વિષયો અનેક છે, પ્રવાસ, લોકજીવન, લોકસાહિત્ય, ધર્મ દરેક ક્ષેત્રમાં તેમની આગવી સૂઝ અને રસ-રૂચિ છે. પોરબંદર પાસેના રાણીખીરસરા ગામે જન્મ તથા પ્રારંભિક શિક્ષણ પછી પૂના, જૂનાગઢ, અમદાવાદમાં અભ્યાસ. પ્રાધ્યાપક અને છેલ્લે રાજકોટ કુંડલિયા કોલેજના પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત. કુમારચંદ્રક, “ચાલો પ્રવાસે' પુસ્તક માટે રાજ્ય સરકાર તરફથી પારિતોષિક, રેડિયો રૂપક ‘આરતી અને આઝાન’ માટે પ્રસાર ભારતીનું ઇનામ. આમ અનેક પ્રકારે અલંકૃત. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ, પુરાતત્ત્વ સંશોધન મંડળના મંત્રી. સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદના મંત્રી જેવા અનેક પદ શોભાવે છે. સામાયિકો, વર્તમાનપત્રોમાં નિયમિત કોલમ દ્વારા જનસંપર્ક. તેમની કલમે રખડપટ્ટી (૧૯૭૦), સરસ્વતીના તીરે તીરે (૧૯૭૨), માધવમધુ (૧૯૭૮), એક અધ્યાપકની ડાયરી, ઇતિહાસ વિમર્શ (૧૯૭૯), લોકો, સાહિત્ય-લોકગીત (૧૯૮૧), શ્રી કે.કા. શાસ્ત્રી, ગ્વાલ ગ્રંથ (૧૯૮૧), ધૂમલી સંદર્ભ (૧૯૮૨), ધૂમલી રાજકીય અને સાંસ્કૃતિક (૧૯૮૨), હેમચંદ્રાચાર્ય (૧૯૮૯), સંપાદન : કવિતા ચયન, શતદલ પરિમલ (૧૯૯૦), નિરાલાની સાહિત્ય સાધના (અનુવાદ), સૌરાષ્ટ્રના ટાપુઓ (૨૦૦૩), ચૂંટેલાં ભજનો, વ્યક્તિ અને સમષ્ટિ અને તાજેતરમાં લખાયેલી “હૂ હૂ' શીર્ષકની નવલકથા એમ અનેક ગ્રંથો મળે છે. વિવેચક તરીકે તેઓ રસથી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ચર્ચા કરનારા મર્મજ્ઞ અને રસજ્ઞ, ભાવક અને ટીકાકાર પણ છે. ઇતિહાસ અને પુરાતત્ત્વનું તેમનું બહોળું જ્ઞાન અને સમજ સાહિત્યના ક્ષેત્રે નવા પરિમાણો ખોલે છે. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા : (જન્મ : ૧૯૪૧) ભૂજમાં જન્મેલા સિતાંશુ હાલ મ.સ. યુનિ. ખાતે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy