SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) અને મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વની અનોખી લકીર બહુ મોટો પ્રભાવ મૂકી જાય છે. બહુરત્ના વસુંધરા' કહીએ છીએ, તેમ ગુજરાતમાં પણ આવાં અમૂલ્ય પથપ્રદર્શક માનવરત્નો નીપજ્યાં છે. જેઓ “સ્વ'માંથી “સર્વ'ને માટે પ્રવૃત્તિશીલ રહ્યાં છે, પ્રેરણાદાયી બન્યાં છે. બૃહદ્ પ્રતિભાદર્શન' ગ્રંથને આશીર્વચન આપતાં પૂજ્ય મોરારીબાપુએ લખ્યું છે કે “સમાજમાં બીજાને પ્રભાવિત કરવા સહેલા છે પરંતુ સૌને પ્રકાશિત કરવા એ કઠિન કાર્ય છે. સદ્ભાગ્યે આપણા ગુજરાતની વિવિધ ક્ષેત્રની વિભૂતિઓને પ્રભાવિત કરવાને બદલે સૌને પ્રકાશિત કરવાનું પ્રભુકાર્ય કર્યું છે. એ આપણા માટે ગૌરવનો વિષય છે.” ગુજરાતીઓમાં ગજબની કોઠાસૂઝ એટલે જ કદાચ દેશ અને દેશાવરમાં તેઓ સંજોગ અને પરિસ્થિતિને અનુકૂળ થઈને પોતાનું સ્થાન મેળવી લે છે. સાહસિકતા, પુરુષાર્થ અને જે કાંઈ ઉત્તમ લાગે, પોતાને ઉપયોગી હોય તે ગ્રહણ કરી લેવાની તત્પરતા–જેના કારણે જીવનના હરકોઈ ક્ષેત્રમાં તેઓ સફળ થતાં રહ્યાં છે. | ગુજરાતની અસ્મિતા-ગૌરવને યશોવલ કરનારા ગુજરાતીઓને પોતાની આગવી ઓળખ છે. તેનું | વ્યક્તિત્વ છે. કવિ ખબરદારે કહ્યું છે કે “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત.' સુપ્રસિદ્ધ નવલકથાકાર ક. મા. મુનશીએ “અસ્મિતા'ની વાત કરતાં કહ્યું છે કે “અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે : “હું છું અને હું હું જ રહેવા માંગુ છું. એમાં, વ્યક્તિની સુરેખ કલ્પના અને વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બને રહેલાં છે. “કવિ ઉમાશંકર જોશીએ કહ્યું કે “એ તે કેવો ગુજરાતી, જે કેવળ ગુજરાતી’–આજનો ગુજરાતી આ બધાં જ વચનોનું સમન્વિત રૂપ છે તેમ કહી શકીએ. ગુજરાતી જ્યાં જાય છે ત્યાં પોતાનો સંસ્કારવારસો–સંસ્કૃતિને સાથે લઈને જાય છે. અને પોતાનું વાતાવરણ રચે છે. હું હું જ રહીને બીજાનું જે ઉત્તમ છે તે ગ્રહણ કરી જાણે છે, આત્મસાત્ કરી જાણે છે. એટલે જ તો વિશ્વભરમાં ગુજરાતીઓએ પોતાની જગ્યા કરી લીધી છે. સ્થાન મેળવ્યું છે. કવિ ઉમાશંકરે અભિલાષા પ્રગટ કરી છે તેમ, વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની.” આમ, ધરાતલ પર પગ ટેકવીને સમષ્ટિ સુધીનો વિકાસ ગુજરાતીએ સાધ્યો છે. આજે ગુજરાતનું જે વ્યક્તિત્વ ખડું થયું છે તે ‘વાયબ્રન્ટ ગુજરાત'ના ઘડતરમાં, પ્રજાજીવનના ઘડતરમાં આગવી પ્રતિભા ધરાવનારા મહાનુભાવોનું મૂલ્યવાન પ્રદાન છે.. સંપાદકે લખ્યું છે કે “પ્રત્યેક વર્તમાન ભૂતકાળનું સંતાન છે. ભવ્ય ભૂતકાળને ભૂલીને કોઈ રાષ્ટ્ર, પ્રજા, સંસ્કૃતિ વિકાસ પામી શકે નહિ. આપણી ઉત્તમ સાંસ્કૃતિક પરંપરા એ આપણો સર્વશ્રેષ્ઠ અમૂલ્ય સનાતન વારસો છે. ગુજરાતના રાજા, રાજવેદ્ય, વિદ્યાગુરુ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંત, શિક્ષક, ધર્મપુરુષો વિશ્વ વિખ્યાત છે. નવી પેઢીએ એક આંખ એ પુણ્યશાળી મહાભાગ, તેજસ્વી, સત્ત્વશીલ, કીર્તિવંત, પ્રેરક આદર્શલક્ષી મહાનુભાવો તરફ રાખવી જોઈએ. અને બીજી ઉજ્વળ ભવિષ્ય તરફ રાખવી જોઈએ. બન્નેનો સમન્વય વર્તમાનકાળમાં સિદ્ધ કરવો જોઈએ.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy