SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) ‘પટેલો કૃષિ અને વ્યાપારક્ષેત્રે પાવરધા તો સાહિત્ય, કલા, શિક્ષણ, સમાજસેવા, રાજકારણ ક્ષેત્રે પણ અગ્રણી એવા વિવિધ ક્ષેત્રના ૨૬ મહાનુભાવોના વ્યક્તિત્વનો યથાર્થ અને પ્રભાવક પરિચય અહીં આપવામાં આવ્યો છે. અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો પરિચય છે. તો પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મૂક લોકસેવક મોતીભાઈ અમીનનો પરિચય આપતા તેમના જીવનનો ઉદ્દેશ તેમના જ શબ્દોમાં ટાંક્યો છે. જે સૌને માટે પ્રેરણારૂપ છે. “મારું કામ અંધારું હોય ત્યારે અજવાળું કરવાનું છે. કંઈ ન હોય ત્યાં કંઈક કરી બતાવી માર્ગદર્શક બનવાનું છે, ઊંઘતાને જગાડવાનું છે, જાગતાને બેઠા કરવાનું છે, બેઠેલાને ઊભા કરવાનું છે, ને ચાલતાને દોડતા કરવાનું છે.” વિચારશીલ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિઓનાં આવાં વચનો જીવનમાં દીવાદાંડીરૂપ બની રહે છે. યશપતાકા ફરકાવનારા આ ગુજરાતીઓ પ્રા. બિપીનચન્દ્ર ૨. ત્રિવેદીએ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનારાં ૧૩ ગુજરાતી બંધુ-ભગિનીઓના ગૌરવાન્વિત વ્યક્તિત્વનો અહીં પરિચય કરાવ્યો છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે તેમાં વય, કલા કે ફલકને લક્ષમાં ન રાખતાં જે તે વ્યક્તિનાં કાર્યની સિદ્ધિને, તેના ઉચ્ચ આદર્શને કેન્દ્રમાં રાખીને તેમનાં વ્યક્તિત્વની ઝાંખી કરાવી છે. વિભાગ-૬ : ગ્રંથ પ્રકાશન સંસ્થાઓના પ્રણેતાઓ આ વિભાગમાં ત્રણ લેખો છે. ‘પત્રકારો : કટારલેખકોનાં લેખિકા ડૉ. પુનિતા હર્ષે અધ્યાપક, લેખક અને સંપાદક છે. તેઓ કહે છે “જીવ માત્રને તેની ઊજળી અને આગવી બાજુથી જોવા અને તેની અન્ય બાબતો કુદરત નિર્મિત છે તેમ માની ચાલવું.” તેમની આ માન્યતામાં ગુણગ્રાહી દૃષ્ટિકોણ જોવા મળે છે. ડો. પુનિતાબહેને કેટલાક ઓછા જાણીતા પણ વધુ ખંતીલા અને મહેનતુ, આગવો ચીલો પાડનારા ૪૫ પત્રકારો, સંપાદકો અને કોલમ લેખકોનો સંક્ષેપમાં છતાં જે તે વ્યક્તિનો યથાર્થલક્ષી પરિચય આપ્યો છે. ‘ભાવેણાનું મસ્તક ઉન્નત રાખનારાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો’માં ભાવનગરના જાણીતા કવિ અને પત્રકાર શ્રી મહેન્દ્રભાઈ ગોહિલની કલમે ભાવનગર શહેર અને જિલ્લાના પ૫ અગ્રણીઓનાં તેજલ્દી વ્યક્તિત્વ અને કારકિર્દીનો પરિચય આલેખાયેલો છે. વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓનાં પ્રદાનનો નિર્દેશ મળે છે. સમાપન આ બૃહદ્ ગ્રંથમાં બહુવિધ ક્ષેત્રની વ્યક્તિઓનાં જીવન-કાર્યનો સંક્ષેપમાં પરિચય મળે છે. માનવી પોતાનાં જીવનમાં કોઈને કોઈ આદર્શ-જીવનમૂલ્ય સ્વીકારીને પ્રાપ્ત કર્તવ્યો નિભાવે છે. સંપાદકે નોંધ્યું છે કે “માત્ર રોટીથી જ જીવન નથી ટકતું. એ માટે સગુણોની સ્થાપના કરવી અનિવાર્ય છે તો જ વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર ટકી શકે છે, વિકસી શકે છે. અનેક સંતો-મહંતો-ભક્તો, અનેક ધર્મ અને સમાજના સમર્થ સુધારકો અનેક દેશભક્તો અને ગાંધીવિચારધારાના અનેક સેવકો પોતાના રોજિંદા અને અદના જીવન દ્વારા આ સંદેશ આપતા ગયા છે.” અહીં સંપૂર્ણ ચરિત્ર આપવાનો ઉપક્રમ નથી, પરંતુ વિશિષ્ટ કાર્ય કરી જનારા મહાનુભાવોનાં વ્યક્તિત્વના પ્રભાવક અંશો આલેખવાની દૃષ્ટિ રહી છે. કેટલીક અલ્પપરિચિત વ્યક્તિઓ પણ અહીં છે. પરંતુ એના દઢ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy