SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) નિદર્શનરૂપે મૂકયાં છે. લેખ વાંચતાં ચિત્રવીથિમાં ફરવાનો અનુભવ થાય છે. કલાપ્રેમીને માટે આનંદપ્રદ અને પ્રેરણાદાયી લેખ છે. વિભાગ-૪ વિધાદાની પ્રતિભાઓ આ વિભાગમાં જુદાં જુદાં ક્ષેત્રે, મૂલ્યવાન પ્રદાન આપી જનારા મનીષીઓનાં જીવનકાર્યને આલેખતા ચાર લેખો છે. ‘તમૈ શ્રી ગુરવે નમઃ” શિક્ષણકાર્યને વરેલા શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટે આ લેખમાં શાળા અને કોલેજમાં અધ્યાપનકાર્ય કરનારી ૩૯ વ્યક્તિઓના સંક્ષિપ્ત છતાં વ્યક્તિત્વદ્યોતક પરિચયો આલેખ્યા છે. પ્રેરક પ્રવૃત્તિઓ, તથા કેળવણી ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ વહન કરનારા ગુરુવર્યો અને સંશોધનક્ષેત્રે કેડી કંડારી જનાર સંશોધકોનાં આ વ્યક્તિચિત્રો અમીટ છાપ મૂકી જનારાં બન્યાં છે. ‘આપણા ખગોળ લેખકોના લેખક વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિશે, લેખો લખનાર ડૉ. સુશ્રુત પટેલ વ્યવસાયે ડૉક્ટર છે. અહીં ૧૭ ખગોળ લેખકોની સંશોધન ક્ષેત્રે વિશેષતા અને કાર્ય દર્શાવતા જઈને ખગોળવિષયનો વિગતોની ચોકસાઈ સાથે પરિચય આપ્યો છે. ગુજરાતના સમાજશાસ્ત્રીઓમાં સમાજશાસ્ત્રના અભ્યાસી અધ્યાપક ડૉ. હરેશકુમાર ઝાલાએ ૧૬ મહાનુભાવોનાં કાર્યની વિગતો આપી છે. સમાજશાસ્ત્રના વિદ્વાન અધ્યાપકો અને સામાજિક પ્રશ્નો અંગે જાગૃતિ લાવનાર અધ્યયન કરનાર અને માર્ગદર્શક બનનાર વ્યક્તિઓના પરિચયો આપ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુજરાતનું મુખ્ય પ્રદાન'–ના લેખક ડૉ. રમેશચન્દ્ર મુરારી સંસ્કૃતિ અને જ્યોતિષ શાસ્ત્રના અભ્યાસી છે. જ્યોતિષ શાસ્ત્ર વિષયક ગ્રંથોનો ઉલ્લેખ કરીને તેના લેખકોનો પરિચય આપ્યો છે. જ્યોતિષના વિવિધ પાસાંનો અહીં સંદર્ભ મળે છે. વિભાગ-૫ ધર્મ-અર્થની સંગતિ આ વિભાગના ચાર લેખોમાં દેશ-વિદેશમાં નામના પ્રાપ્ત કરનાર ગુજરાતના કર્મનિષ્ઠ અને વ્યવહારદક્ષ મહાનુભાવોનો પરિચય કરાવવામાં આવ્યો છે. દેશ-વિદેશે સફળ ગુજરાતીઓ'ના લેખકો વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ અને ધારાશાસ્ત્રી શ્રી કૃષ્ણકાંત વખારિયા તથા સામાજિક કાર્યકર જિતેન્દ્ર કાંતિભાઈ બ્રહ્મભટ્ટ ગુજરાતની અસ્મિતા જાળવીને, દેશવિદેશના ગુજરાતીઓને સાંકળવાનું કામ કર્યું છે. અહીં ૬ પ્રતિભાશાળી કાર્યદક્ષ સફળ વ્યક્તિઓનો પરિચય આપ્યો છે. પટેલો દેશ અને દુનિયામાં ગુજરાતી સાહિત્યના અધ્યાપક અને વિવેચક પ્રા. જશવંત શેખડીવાળાએ આ લેખમાં પટેલ કોમની વિશેષતા અને વિવિધ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કરનાર વ્યક્તિઓનાં કાર્યના નિર્દેશ કર્યો છે. લેખકે સ્વામીશ્રી સચ્ચિદાનંદજી, શ્રી ગુણવન્ત શાહ વગેરેના પ્રવાસ ગ્રંથોમાંથી પણ વિગતો આપી છે. પાટીદાર સમાજના પ્રતિભાવંતોના આલેખક શ્રી ગોરધનદાસ સોરઠિયા અમરેલીના જાણીતા નિર્ભીક પત્રકાર છે. તેમને માટે કહેવાયું છે કે પદવી પ્રમાણપત્ર વિનાના સાક્ષરજન એટલે ગોરધનદાસ.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy