SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. અસાઈત : (સમય : ઇ.સ. ચૌદમો સૈકો) અસાઈત ઠાકરના નામે ‘હંસાઉલિ' મળે છે જે બે આત્માઓના જન્મજન્માન્તરના પ્રણયની કલ્પનોત્થ કથા છે. સંપ્રદાય નિરપેક્ષ શુદ્ધ સાહિત્યના રચિયતા તરીકે પુરોગામીઓમાંના એક, અસાઈતે લોકનાટ્ય ભવાઈનો પણ પુરસ્કાર કર્યો જે અનુગામી સૈકાઓમાં લોકપ્રિય બની. તેમણે લખેલા વેશો આજે પણ ભજવાય છે. નરસિંહ મહેતા (આશરે ઇ.સ. ૧૪૧૪ થી ૧૪૮૦) જૂનાગઢના રહેવાસી અને ગુજરાતના પ્રસિદ્ધ ભક્તકવિ નરસિંહ મહેતા અધ્યાત્મ, ચિંતન અને ઊર્મિ દ્વારા કાવ્યત્વને ઊંચી કોટિએ પહોંચાડનાર હોઈ આદિ કવિનું બિરૂદ પામે છે. તેમનાં પદ અને પ્રભાતિયાં ઘરે ઘરે ગવાય છે. ઝૂલણા છંદમાં રચાયેલું પ્રભાતિયું વૈષ્ણવજન તો તેને રે કહીએ' ગાંધીજીને બહુ પ્રિય હતું. નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહને અસ્પૃશ્યતાનો કોઈ છોછ ન હતો તેથી ઘણું સહેવું પડેલું. તેમના જીવનમાં બનેલા ચમત્કારો વિષે કથાઓ પ્રચલિત છે જેના વિષે તેમણે પોતે ‘શામળશાનો વિવાહ’, ‘હૂંડી’ અને ‘કુંવરબાઈનું મામેરુ’માં વર્ણન કર્યું છે. નરસિંહ મહેતાનો તત્ત્વસિદ્ધાંત વલ્લભાચાર્ય (૧૯૭૯૧૫૩૦)ના સિદ્ધાંતની પૂર્વકલ્પના રજૂ કરતો એક પ્રકારનો સર્વેશ્વરવાદ (Pantheism) છે જે તેમની કવિતામાં દૃષ્ટિગોચર થાય છે : ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે.' અને વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું ઇત્યાદિ કૃષ્ણભક્તિના રંગે રંગાયેલી કવિતા મધુર અને લયબદ્ધ છે. મીરાંબાઈ : (ઇ.સ.નું સોળમું શતક) ભક્ત કવિયત્રી મીરાંનો જન્મ મેડતાના કૂકડી ગામે રાઠોડવંશમાં થયો હતો. મેવાડના રાણા સંગ્રામસિંહના પાટવીપુત્ર ભોજરાજ સાથે તેમનું લગ્ન થયું. નામપણથી કૃષ્ણભક્તિના રંગે રંગાયેલી મીરાંને રાજમહેલના વૈભવ કે બંધન અનુકૂળ ન આવ્યા અને સાસરે ત્રાસ વેઠવો પડ્યો. એમ કહેવાય છે કે મીરાંને રાણાએ વિષથી ભરેલો પ્યાલો મોકલ્યો હતો પરંતુ કૃષ્ણનો પ્રસાદ સમજી તે પી જનારી મીરાં પર ઝેરની કોઈ અસર થઈ નહિ. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં ગોપીભાવથી લખેલાં સુંદર પદો છે જેમ કે : પગ ઘુંઘરુ બાંધ મીરાં નાચી રે, મને ચાકર રાખોજી, બૈરી મૈં તો પ્રેમ દીવાની. Jain Education International. પથપ્રદર્શક અખો : (ઇ.સ.ની ૧૭મી સદીનો પૂર્વાર્ધ) અમદાવાદ નજીક આવેલા જેતલપુર ગામનો વતની અખો વ્યવસાયે સોની હતો. એક વખત તેની ધર્મની માનેલી બહેને અખાનાં બનાવેલાં ઘરેણાંની બીજા સોની પાસે ચકાસણી કરાવી તેથી દુ:ખી થઈ અખો વૈરાગ્ય તરફ વળ્યો. અવળવાણી માટે જાણીતા અખાએ છપ્પા નામની કાવ્યરચના દ્વારા સમાજમાં પ્રવર્તતા દંભ, પાખંડ, અંધશ્રદ્ધા અને અજ્ઞાન પર પ્રહારો કર્યા છે. છપ્પા ઉપરાંત ‘અખેગીતા’, ‘અનુભવ–બિંદુ' અને ‘ગુરુશિષ્ય સંવાદ' જેવી દીર્ધ કાવ્ય રચનાઓ પણ એણે આપી છે. અખાની સરળ સચોટ વાણી મર્મને ભેદે છે : (૧) એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ. (૨) પોતે હરિને ન જાણે લેશ અને કાઢી બેઠો ગુરુનો વેશ, જયમ સાપને ઘે૨ે પરોણો સાપ મુખ ચાટી વળ્યો ઘેરય આપ એવા ગુરુ ઘણા સંસાર, તે અખા શું મૂકે પાર? નર્મદાશંકર લાલશંકર દવે : નર્મદ (જન્મ ઇ.સ. ૧૮૩૩, અવસાન : ૧૮૬૩) સૂરતમાં જન્મેલા નર્મદે મુંબઈ એલ્ફિન્સ્ટન કોલેજમાં એક વર્ષ અભ્યાસ કર્યો પછી શિક્ષક તરીકે સેવા આપી. ૧૮૫૮ થી ‘કલમને ખોળે માથુ મૂક્યું' અને સાહિત્યસર્જન કર્યું. ‘નર્મકવિતા’ દ્વારા સાહિત્યક્ષેત્રે પ્રવેશ કરનાર નર્મદ નવજાગૃતિકાળનું મુખ્ય બળ બન્યો. સમાજસુધારણા પ્રત્યેની તેની ધગશ અહીં ‘હિન્દુઓની પડતી’ અને ‘વૈધવ્ય ચિત્ર’માં પ્રગટ થાય છે. ઉપરાંત ‘ઋતુવર્ણન’, ‘સદનરસિક’ દ્વારા પ્રકૃતિ અને પ્રણય તેમજ રાષ્ટ્રભાવનાની ઉત્કૃષ્ટ ઊર્મિની ઉત્તમ કવિતાઓ દ્વારા તેમણે ગુજરાતી ભાષામાં શુદ્ધ કવિતા પ્રત્યેની સંપ્રજ્ઞતા કેળવવાનું કામ કર્યું છે. ‘સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે' એવી પંક્તિઓએ નર્મદને ગુજરાતી પ્રજામાં કાયમી સ્થાન અપાવ્યું છે. નર્મદે ગુજરાતી નિબંધનો આવિષ્કાર કર્યો. સુધારક તરીકે તેમણે અનેક વિષયો પર ભાષણો આપ્યાં. મંડળી મળવાથી થતા લાભ’, ‘સ્વદેશાભિમાન’, ‘લગ્ન અને પુનર્લગ્ન’ વગેરે ‘નર્મગદ્ય’ માંના મોતીબિન્દુ સમા લેખો છે. પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ વગેરે ગ્રંથો દ્વારા સાહિત્ય મીમાંસાની ચર્ચા કરી. કૃષ્ણકુમારી, રામજાનકીદર્શન જેવા છ નાટકો આપ્યાં. નર્મકોશ અને નર્મવ્યાકરણ આપ્યું. પ્રેમાનંદ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy