SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૪oo. આપણાં સાંસ્કૃતિક આધાર-સંભો -સુલભા રામચંદ્ર દેવ પુરકર આ લેખમાળા આપણા સાહિત્યકારો-કવિઓ, લેખકો, વિવેચકો, ચિંતકો, લોકસાહિત્ય, સંસ્કૃતિના મશાલચીઓની સંક્ષિપ્ત ઓળખ આપે છે. આ સર્વે આપણી સંસ્કૃતિની સરવાણીને વહેતી રાખનારા સ્ત્રોતો છે. મૂલ્યોને ટકાવી રાખનારા આધાર-સ્તંભો છે. વેગવંતુ, પ્રફુલ્લ સાહિત્ય એ સતત ઉત્કર્ષ સાધતા નિરોગી સમાજનું પ્રતિબિંબ છે. જે સમાજ પોતાના સાંસ્કૃતિક વારસાને સાચવી નથી શકતો તે સમાજ લાંબો સમય જીવંત રહી નથી શકતો. આપણા દેશના ઇતિહાસમાં દરેક તબક્કે વિપરીત પરિસ્થિતિમાં પણ ઉદાત્ત સાહિત્યનું સર્જન થતું રહ્યું છે. જ્ઞાનની સરવાણી અવિરત વહેતી રહી છે. ઝેરનો પ્યાલો પીનારી મીરાંબાઈ હોય કે અનેક કસોટીમાંથી પાર ઉતરતા નરસિંહ મહેતા હોય. સામાજિક બહિષ્કારનો સામનો કરતા નર્મદ હોય કે રાજકીય આંટીઘૂંટીમાં સપડાયેલા કવિ કલાપી હોય, સાહિત્યસર્જનનો મહાયજ્ઞ અખંડ ચાલુ રહ્યો છે. ભક્તિ, ચિંતન, મનન, જ્ઞાન અને મનુષ્ય સ્વભાવના સમભાવપૂર્ણ અવલોકનના પરિપાકરૂપે જે અમૂલ્ય મોતી પ્રાપ્ત થયા છે તે આપણાં ગ્રંથોમાં સચવાઈને પડ્યા છે. તે રચયિતાઓનો સંક્ષિપ્ત પરિચય ઝલકરૂપે અપાયો છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી સુલભા દેવપુરકર (જન્મ : ૧૯૬૪) એક સુસંસ્કૃત પરિવારમાં જન્મી ઉચ્ચ અભ્યાસ કરી પોરબંદરની શ્રી વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજમાં અંગ્રેજી વિષયના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી રહ્યા છે. હાલમાં Ph.D. માટે ૧૯ મી સદીના ભારતીય નવલકથાકારો પર સંશોધન કરી રહ્યા છે. તેઓ પોતે સર્જનાત્મક સાહિત્ય, વિવેચન અને અનુવાદમાં મહત્ત્વની કામગીરી કરી રહ્યા છે. બાળસાહિત્યમાં પણ તેમનું વિશેષ પ્રદાન રહ્યું છે. તેમની કૃતિઓમાં અંગ્રેજી કાવ્ય સંગ્રહ સ્વીટર (Twiter) ૧૯૯૮માં, ગુજરાતી કાવ્યસંગ્રહ ‘તમરાં ૨૦૦૨ માં, વાર્તાસંગ્રહ “સામે પાર' ૨૦૦૪ માં પ્રગટ થયા છે. બાળસાહિત્યમાં “મનુડીની હોડી અને બીજી વાતો ૧૯૯૯ માં, જંતર-મંતર ૨૦૦૨ માં, ‘છત્ત અને ફg' ૨૦૦૩ માં, મેરે આસપસ કી દુનિયા ૨૦૦૩માં અને ડાહી ડમરી ડોલી' ૨૦૦૪ માં પ્રકાશિત થયાં છે. અંગ્રેજીમાં બાળવાર્તાઓ સામાયિકમાં પ્રગટ થઈ છે. | ‘ઇન્ડિયન લીટરેચર’ માં રમેશ પારેખની કવિતાનો કરેલો અનુવાદ શ્રેષ્ઠ અનુવાદ તરીકે છપાયો. “તમરાં ની કવિતા એક મહત્વના સંગ્રહમાં સ્થાન પામી અંગ્રેજીમાં સંશોધનલેખો, ગુજરાતીમાં પુસ્તક–અવલોકનો, લેખો ઇત્યાદિ પ્રકાશિત. ટૂંકી વાર્તા ક્ષેત્રે પદાર્પણ સમયે શ્રી નરોત્તમ પલાણના શબ્દો હતાં–“...એની કલમમાં એક પ્રૌઢીનો અનુભવ થાય છે.” સુંદર ચિત્રાત્મક શૈલી, મનુષ્યના મનના અંતઃસ્તલમાં ડોકિયું કરવાની દૃષ્ટિ, માનવસહજ સૌ ઉણપો, ખૂબીઓ, ખામીઓને સ્વીકારી જીવન પ્રત્યે ઉદારતાથી જોવાની આવડત છે. માનવજીવનમાં દુઃખ અને હાસ્ય બંનેની શક્યતાઓનો સરસ વિસ્તાર કરી જાણે છે. ધન્યવાદ. – સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy