SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શૈલીમાં “શ્રીમદ્ ભાગવતજી'નું રસપાન કરાવ્યું. તેમ જ સાતેક જેટલાં “ગીતા વિદ્યાલયો' સ્થાપી, આપણા પવિત્રમય ગ્રંથ “શ્રી ગીતાજી’ના ગૂઢાર્થોને લોક ભાષામાં રૂપાંતરિત કરીને લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પુરૂષાર્થ કર્યો. શ્રી મનહરલાલજી મહારાજનો જન્મ તા. ૧૮-૧૧- ૧૯૨૭ના રોજ, તેમના મોસાળ અમરેલી જિલ્લાના કોટડાપીઠા' ગામમાં થયો હતો. પિતા ગિરધરલાલ મહેતા રાજકોટ જિલ્લાના, જેતપુર તાલુકાના મેવાસા ગામે ગોરપદું કરતા હતા. ત્રણ વર્ષની ઉંમરે માતા ગોદાવરી માની છત્રછાયા ગુમાવી, પાંચ ધોરણ સુધીનો અભ્યાસ મેવાસામાં જ પૂર્ણ કરી, તેર વર્ષની ઉંમરે, આગળ અભ્યાસાર્થે ગોંડલ પાસેના દેરડી (કુંભાજી) ગામે ગયા. અહીં ધોરણ સાત સુધીનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરી, જેતપુરની કમરીબાઈ હાઈસ્કુલમાં દાખલ થયા. જેતપુરના આ અભ્યાસકાળ દરમ્યાન, તેઓ અવાર-નવાર આનંદ આશ્રમ'–બીલખાની મુલાકાતે જતા. જેના સુફળ રૂપે બાળ મનહરલાલજીમાં સફળ ‘ભાગવતાચાર્ય' બનવાનાં બીજ રોપાયાં. જેતપુરથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસાર્થે કાશી’ ગયા. જ્યાં પ. પૂ. ડોંગરેજી મહારાજ અને શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી’ જેવા સહાધ્યાયીઓ સાથે સાત વર્ષ સુધી સંસ્કૃતનો અભ્યાસ કરી, છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં શિક્ષક તરીકે જોડાયા. આ જ સમય ગાળામાં બાબરાનાં પુષ્પાબહેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી, પત્નિ તથા ચાર સંતાનો (ગીતા, વર્ષો, સંધ્યા અને કૃષ્ણકાંત)ની સાંસારિક જવાબદારી પણ સ્વીકારી. બાળપણમાં સેવેલા ‘ભાગવત કથાકાર’ થવાના સંકલ્પને સિદ્ધ કરવા શિક્ષકની નોકરી છોડી, ધારી ગયા. ત્યાં દાદા ભગવાનજીભાઈના સહકારથી કેરિયાચાડ' ગામથી ‘ભાગવતકથાની શરૂઆત કરી. આ સાથે જ બાળકોમાં અને આમ સમાજમાં ‘ભાગવત ગીતાજી’નાં જ્ઞાન અને સંસ્કાર રોપવા, જામનગરની અંદર ઇ.સ. ૧૯૫૨માં ગીતા વિદ્યાલય’ નામની સંસ્થાની સ્થાપના કરી. મનહરલાલજી મહારાજના પથપ્રદર્શક આવા માનવીય મૂલ્યને ઉજાગર કરનારા કાર્યની વિદ્વાનોએ સરાહના કરી. લોક-સમાજ તરફથી મળેલા પ્રતિસાદથી નિશ્ચિત થઈ ચૂકેલી પોતાના જીવનની દિશા મુજબ મનહરલાલજી મહારાજે પછીથી ભારતભરમાં જ્ઞાન, સેવા, ધર્મ અને કર્મનો સંદેશ પહોંચાડવા ઠેરઠેર ગીતા વિદ્યાલયોની સ્થાપના કરી. પાંચેક જેટલી હાઈસ્કુલની પણ સ્થાપના કરી. તેમજ ૧૧૦૦ થી વધુ જગ્યાએ શ્રીમદ્ ભાગવત કથાઓ કરી. આ ઉપરાંત રામાયણ, શિવમહાપુરાણ જેવી ધાર્મિક કથાઓ પણ અનેકવિધ જગ્યાએ તેઓએ કરેલી. ભારતીય-વૈદિક સંસ્કારના પ્રચાર-પ્રસારની સાથે સાથે સામાજિકક્ષેત્રે પણ તેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. જેમાં ૧૦,૦૦૦ ગાયોનું પાલન, ૧૦,૦૦૦ કન્યાઓનું કન્યાદાન, અભ્યાગતોને આશરો, ભૂખ્યાને ભોજન વગેરે નોંધપાત્ર છે. આ ઉપરાંત જૈન પરંપરાના મહારાજશ્રી અધ્યાત્મનંદજીની સાથે જોડાઈને, જૈન સાધ્વી–મહાસતીજીઓને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરાવ્યો. જીવનના અંતિમ દિવસોમાં ચાર દિવસ સુધી મૌન રહ્યા ત્યારે ધર્મ પત્નિ શ્રી પુષ્પા બહેને પૂછ્યું : શું થાય છે? તો કહે : હવે આપણે માયા સંકેલવી જોઈએ. ચાર દિવસ પહેલા આપેલો જીવનયજ્ઞ પૂર્ણ કરવાનો આ સંકેત તા. ૧૬-૦૬૨૦૦૧ ને શનિવારના રોજ સાચો ઠર્યો. ઉપનિષદના ‘તેન ત્યક્તાન ભંજિથા’ સૂત્રને આત્મસાત કરનાર શ્રી મનહરલાલજી મહારાજે, ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક જેવા અનેકવિધ સેવાકીય ક્ષેત્રોમાં “જલકમલવતુ’ રહીને સેવા કરી. જેનું ઉત્તમ ઉદાહરણ એ છે કે–તેઓ આજીવન ભાડાના મકાનમાં જ રહ્યાં. શૂન્યમાંથી સર્જન કરીને ઊભી કરેલી તમામ સમૃદ્ધિ સમાજને સમર્પિત કરનાર આ “ગુરૂજી' ખરેખર આપણાં સૌ માટે મોંઘીમિરાત હતા. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy