SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યાં છે. હાલમાં તેઓશ્રી પ્રિન્સિપાલ તરીકેનો હોદ્દો શોભાવી રહ્યાં છે. ઈ. સ. ૧૯૮૬માં ‘સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ' વિષય પર સંશોધન કરી તેઓએ પી.એચ.ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરી. એકવીસ જેટલા હિરજન સંતોના જીવન–કવનની રૂપરેખા આપી. એ સંતોની સાધના પરંપરા, પંથ, પાટઉપાસના વિશે ક્ષેત્ર કાર્ય કરી સૌ પ્રથમવાર આધારભૂત વિગતો મેળવી. આ પુસ્તકનો અનુવાદ પેરિસ યુનિવર્સિટીના ડૉ. માલીર્ઝા એ ફ્રેન્ચભાષામાં કર્યો છે. એ પછીના વર્ષોમાં ડૉ. ગોહિલ સંત-પરંપરા, નિજારપંથ અને પાટપરંપરાના વિશેષ અનુભવ સાથે સંકળાયેલા રહ્યા અને જાત-અનુભવ કર્યો. ઈ. સ. ૧૯૯૪માં (અન્ય લેખકમિત્રો સાથે) ‘સંતવાણી સત્વ અને સૌંદર્ય' પુસ્તક આપ્યું. જેમાં તેમણે પ્રકાશિત સંતવાણીના ગૂઢ સત્યો અને પરંપરાનું આકલન કરી સંતવાણીના અર્થો આપવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો. કચ્છ-સૌરાષ્ટ્રના મેઘવાળ સમાજમાં ચાલતી વિશિષ્ટ ધાર્મિક પરંપરા પર આધારિત બારમતી સંપ્રદાય' (ઈ. સ. ૨૦૦૧) વિશેનું સંશોધન તેમના દ્વારા પ્રથમ વખત જ પ્રકાશમાં આવે છે. મામૈદેવ, માતંગદેવ, પાલણપીરની આગમ કથતી, પાંચમા વેદની વાણી તરીકે ઓળખાતી સામગ્રી પ્રથમ વાર રજૂ થઈ. મોરલો મરત લોકમાં આયો' (ઇ. સ. ૨૦૦૩)માં તેમણે દાસીજીવણના જીવન અને દર્શન તેમ જ તેમના ભજનો તથા અર્થઘટનો રજૂ કર્યા. દલિત સંત દાસી જીવણે સમાજ જાગૃતિ તથા સામાજિક એકતા અને સમરસતા માટે કરેલા કાર્યોની નોંધ પણ લીધી. ‘ભજન રૂપ દર્શન’ એ ડૉ. ગોહિલની સંશોધન યાત્રાનો પરિપાક છે. ભજનની વ્યાખ્યાઓ, ભજનના લક્ષણો, ભજનનો ઉદ્ગમ અને પરંપરાનો વિગતે અભ્યાસ રજૂ કરીને ભજનના પ્રકારો, ભજનની પરંપરા, સાધના પરંપરા, પ્રતીકાત્મકતા જેવા મુદ્દાઓની ચર્ચા કરી છે. “જ્યોતને પાર્ટ ૨ે પ્રગટ્યા અલખધણી'' (ઇ.સ. ૨૦૦૨) તેમનું મૂલ્યવાન સંપાદન છે. રામદેવપીર જ્યોત–પાટ ઉપાસના અને તેની સાથે સંકળાયેલા વિધિવિધાન વિશે આ પરંપરા સાથે સંકળાયેલા તજજ્ઞ વિદ્વાનોએ કરેલા અભ્યાસ-લેખો આ પુસ્તકમાં સંપાદિત કરવામાં આવ્યા છે. સંત–સાહિત્ય, લોક પરંપરા, ગુપ્ત સાધના પરંપરા અને Jain Education Intemational પથપ્રદર્શક લોકસાહિત્ય વિશે રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદોમાં ઉપસ્થિત રહી ડૉ. ગોહિલે અનેક વ્યાખ્યાનો આપ્યા છે. સાહિત્ય અકાદમી દીલ્હી દ્વારા (૨૦૦૦) આયોજિત કબીર વિશેના પરિસંવાદમાં “ગુજરાતી સંત સાહિત્ય ઔર કબીર” વિશે તેમ જ એ સંસ્થા દ્વારા આયોજિત અન્ય પરિસંવાદમાં (૨૦૦૧) પાટ ઉપાસના પર પોતાના વિચારો રજૂ કરેલ. એવા અનેક પરિસંવાદો અને વ્યાખ્યાનમાળાઓમાં તેઓ પ્રભાવક રીતે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે જાણીતા છે. ૨૦૦૪ના ગુજરાતી સાહિત્ય પરિષદ (મહુવા)ના અધિવેશનમાં પણ તેમણે સંત સાહિત્ય વિશે પાયાની વિચારણા રજૂ કરેલ. બાળપણથી જ સંતસાહિત્ય એટલે કે ભજન સાથે જેમને અવિનાભાવી નાળ સંબંધ છે અને પાટ-પરંપરા તેમજ અન્ય વિધિ-વિધાન સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે એવા ડૉ. નાથાલાલ ગોહિલ આજના સમયમાં સતત કાર્યશીલ રહેનારા સંશોધક છે. ભવિષ્યમાં તેમની પાસેથી વધુ મૂલ્યવાન ગ્રંથો મળી રહેશે તેથી શ્રદ્ધા જન્મે છે. —સંકલનકાર : ડૉ. રમેશ મહેતા શ્રી નરોત્તમ પલાણ શ્રી નરોત્તમ પલાણ ગુજરાતમાં ઇતિહાસવિદ્, લોક સાહિત્યના ઊંડા અભ્યાસી, શિલ્પ-સ્થાપત્યના જાણકાર, નૃવંશશાસ્ત્રના જ્ઞાતા, ચારણી સાહિત્યના મર્મજ્ઞ, આધુનિક સાહિત્યના વિવેચક અને આજીવન પ્રવાસી તરીકે જાણીતા છે. તેમની જુદાં જુદાં ક્ષેત્રની બહુવિધ પ્રતિભાને કારણે તેઓ સાહિત્ય તેમજ સાહિત્યેતર વિદ્વાનો, સંશોધકો અને વિદ્યાર્થીઓમાં લોકાદર પામ્યા છે. શ્રી નરોત્તમ પલાણનો જન્મ તા. ૧૮-૫-૧૯૩૫ના રોજ પોરબંદર વિસ્તારના રાણાખીરસરા ગામે શ્રીમંત કુટુંબમાં થયો હતો. દાદા જેરામ માધવજી ‘ઘી'ના વેપારી અને પથ્થરની ખાણના માલિક. ઘરમાં પુષ્ટિમાર્ગીય વાતાવરણ. પિતા કાકુ ભાઈ અને માતા રાધા બહેનના તેઓ લાડકા સંતાન. સાતમા ધોરણ પછી સ્કૂલે જવાનું બંધ કરી, ત્રેવીસમા વર્ષે સીધી મેટ્રિકની પરીક્ષા આપી. બહાઉદ્દીન કૉલેજ જૂનાગઢમાંથી બી.એ. ની પી પ્રાપ્ત કરી, ગુજરાત યુનિવર્સિટીમાં ઉમાશંકર જોષી પાસે અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. પ્રારંભમાં નવયુગ વિદ્યાલય, પોરબંદરમાં શિક્ષક તરીકેની સેવા બજાવી, ૧૯૭૨માં ભાયાવદર કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. છેલ્લે રાજકોટની મીનાબેન કુંડલીયા મહિલા કૉલેજના આચાર્ય પદેથી નિવૃત્ત થયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy