SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સાહિત્યસભા” “મહાવીર જન્મશતાબ્દી' જેવી સ્થાનિક સંસ્થાઓ સાથે રહીને પણ સહયોગ કરતા રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગુજરાતી ભાષા સાહિત્ય ભવન ડૉ. બળવંત જાનીની દીર્ધદૃષ્ટિથી આયોજિત પ્રવૃત્તિઓથી ધમધમતું રહ્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ભિન્ન ભિન્ન શાખાના ઊંડા અભ્યાસી અને સંશોધક, વિશ્વ સાહિત્યના લોકસાહિત્યના પ્રવાહોથી પરિષ્કૃત થયેલા એવા ડૉ. બળવંત જાની વિભિન્ન ઉચ્ચ હોદ્દાઓથી વિભૂષિત હોવા છતાં સંશોધન ક્ષેત્રે નિઃશેષ રીતે સમર્પિત છે. સાહિત્ય સંશોધન અને અન્ય સાહિત્યિક પ્રવૃત્તિ જોતાં કહી શકાય કે તેઓ એક સંસ્થા કરી શકે તેટલું અને તેવું કામ કરી રહ્યા છે. તેમની દીર્ધદૃષ્ટિ અને પ્રતિભાવંત સજ્જનતાની નિશ્રામાં અનેક સંશોધકો-વિદ્યાર્થીઓ દિશા પ્રાપ્ત કરી રહ્યાં છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ લેવા જેવી ઘટના છે. સંકલનકાર ડો. રમેશ મહેતા શ્રી કનુભાઈ જાની (જન્મ તા. ૪-૨-૧૯૨૫) ગુજરાતમાં લોકસાહિત્ય ક્ષેત્રે શ્રી ઝવેરચંદ મેઘાણીના કાર્યને આગળ ધપાવવામાં જે વિદ્વાનો જહેમત ઉઠાવી રહ્યાં છે, તેમાં પોતાની લગની અને નિષ્ઠાથી, શ્રી કનુભાઈ જાની પણ સૌનું ધ્યાન ખેંચી રહ્યાં છે. શ્રી કનુભાઈ જાનીનો જન્મ, તા. ૪-૨-૧૯૨૫ના રોજ જૂનાગઢ જિલ્લાના કોડીનાર તાલુકામાં થયો હતો. પિતા છોટાલાલ ત્રિભુવન જાની વિરમગામની શ્રી એમ. જે. હાઈસ્કૂલમાં શિક્ષક–આચાર્ય હોવાથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતન વિરમગામમાં જ પૂર્ણ કર્યું. બાદમાં ઉચ્ચ અભ્યાસાર્થે તેઓ મુંબઈ ગયા. ત્યાં મુંબઈ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. (૧૯૪૭) અને એમ.એ. (૧૯૪૯) ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં પાલનપુર રેવન્યુ ખાતામાં નોકરી મળતા જોડાયા. પરંતુ શિક્ષક જીવને આ ખાતું માફક ન આવતા નોકરી છોડી, પેટલાદની કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. બાદમાં શિક્ષણને જ જીવન કાર્ય બનાવી, ઈ. સ. ૧૯૫૦ થી ૧૯૬૬ સુધી રાજકોટ, જામનગર અને ભૂજની સરકારી કોલેજોમાં અધ્યાપક, પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકેની ફરજો બજાવી. ઇ. સ. ૧૯૬૬માં સરકારી નોકરી છોડી, શ્રી મ. દે. મહાવિદ્યાલય, ૪૬૦ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં રીડર તરીકે જોડાયા અને અહીંથી જ ઈ. સ. ૧૯૮૫માં ૬૦ વર્ષ પૂરા થતાં ઉપાચાર્ય પદેથી નિવૃત્ત થયા. | ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા ઉપરાંત ભૂગોળમાં વિદ્વાન તેમ જ સાહિત્ય સર્જક એવા પિતા પાસેથી મળેલું ઈતર વાંચન અને લેખનનું ભાથું, માતા પ્રભાબહેન અને મોટાબહેનના કંઠેથી સાંભળેલી વ્રતકથાઓ અને લોકગીતો, કવિ લલિત સાથેની સંગોષ્ઠિ, રેવન્યુમાં નોકરી કરતાં નાના (બાના બાપુ) તથા મોટા મામા દ્વારા નજીકથી થયેલો ઉત્તર ગુજરાતના ગામડાઓનો પરિચય તેમ જ વિદ્યાપીઠના કાર્યકાળ દરમ્યાન આદિવાસી વિદ્યાર્થીઓનો થયેલો આત્મિય સંપર્ક વગેરે બાબતોએ લોકવાડમય'ના સર્જકને ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ગ્રીક ટ્રેજેડી અને ભારતીય પુરાકલ્પનકથાઓના અભ્યાસુ શ્રી કનુભાઈનું લોકસાહિત્યક્ષેત્રે પદાર્પણ તેમના ‘લોકવામય’ (૧૯૯૨) ગ્રંથથી થાય છે. પરંતુ તેમનો વિશેષાર્થ મેઘાણીને આત્મસાત કરવામાં રહ્યો છે. પરિણામે લોકસાહિત્ય સંશોધનસંપાદન કરતાં, લોકસાહિત્યના સંશોધક-સંપાદક શ્રી મેઘાણી ઉપર તેમની કલમ વધારે ચાલે છે. જેના ફળ સ્વરૂપ તેમની પાસેથી ‘ઝવેરચંદ મેઘાણી' (૧૯૯૩), “મેઘાણી છબી’ (૧૯૯૬), “શબદનો સોદાગર' (૧૯૯૭), “મેઘાણી–શતાબ્દી વંદના' (૧૯૯૯), “મેઘાણી ચરિત' (૨૦૦૨) વગેરે મેઘાણી જીવન–સાહિત્ય સંદર્ભ વિષયક પુસ્તકો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત “માયાલોક' (૧૯૫૭) અને “શબ્દ નિમિત્ત' (૧૯૭૯) જેવા વિવેચનાત્મક પુસ્તકો પણ તેમની પાસેથી ગુજરાતી સાહિત્ય સમાજને પ્રાપ્ત થાય છે. શ્રી કનુભાઈ પાસેથી પ્રાપ્ત થતાં આ ગ્રંથોની સાથે સાથે તેમનું મૂલ્યવાન ગણાવી શકાય તેવું કાર્ય તો એ છે કે–તેમના વિદ્યાપીઠના કાર્યકાળ દરમ્યાન તેમણે ગુજરાતમાં સૌપ્રથમ દાખલ કરાવેલો લોક-વાડમયનો અભ્યાસક્રમ, લોકસાહિત્યને અપાયેલા આ પ્રકારના શૈક્ષણિક દરજ્જાથી આજે પેઢી દર પેઢી અનેક વિધાર્થીઓ, આપણાં આ મોંઘામૂલા લોકધનલોકસાહિત્યને સાચી રીતે સમજતા, પામતા, સાચવતા થયાં છે. કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ઠા હોય તો કેવું સુભગ પરિણામ આવી શકે તેનું કનુભાઈ જાની જીવતું જાગતું ઉદાહરણ છે. આજ ૮૦ વર્ષની ઉંમરે પણ તેઓ કાર્યરત છે. લોકસાહિત્યના કોઈ પણ કાર્યક્રમમાં, કોઈ પણ પ્રકારની સ્પૃહા વિના પુરા ખંતથી તેઓશ્રી જોડાય છે. આ ક્ષેત્રના એમ.એ., એમ.ફિલ. અને Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy