SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સાહિત્યની વિધવિધ શાખાઓના સંશોધનક્ષેત્રે તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત છે. તેમના સંશોધન-અધ્યયનની ફલશ્રુતિરૂપે તેમની પાસેથી પંચાવન જેટલા પુસ્તકો પ્રાપ્ત થયા છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર ગામે કર્મકાંડી બ્રાહ્મણ પરિવારમાં તેઓ જન્મ્યા. બાળપણમાં દાદાજીનો જબરો પ્રભાવ. બાલ્યાવસ્થા-કિશોરાવસ્થા અને યુવાવસ્થાના પ્રારંભ સુધી તેઓ કમળાપુરમાં ઉછર્યા. દાદાજીને પૂજાના દ્રવ્યો તૈયાર કરી આપવાથી માંડી અષ્ટાધ્યાયી રુદ્રી, ચંડીપાઠ અને મહિમ્નસ્તોત્રને શુદ્ધ ઉચ્ચારણથી કંઠસ્થ કરવાના દાદાજીના આગ્રહથી અજાણપણે ડૉ. જાનીનું વ્યક્તિત્વ ભવિષ્યના સંશોધકને તૈયાર કરતું રહ્યું. ઘરનું ધાર્મિક વાતાવરણ, આસપાસનો તળપદો ગ્રામીણ સમાજ અને તેમના વિધિવિધાનો, સંતવાણીનો પ્રત્યક્ષ અનુભવ, અને લોકબોલીનો નિબિડ સ્પર્શ તેઓએ અનુભવ્યો. આ વરસોમાં ‘લોક' નો સમગ્ર સંદર્ભ તેમનામાં ધરબાયો, જે પછીથી તેમને સંશોધનમાં અનુકૂળતા કરી આપનારો બન્યો. પ્રાથમિક, માધ્યમિક અને સ્નાતક સુધીનું શિક્ષણ કમળાપુર, બોટાદ અને રાજકોટની સંસ્થામાં પૂર્ણ કરી સૌરાષ્ટ્ર યુનિ.-રાજકોટના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. અને પી.એચ.ડી. ની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજથી તેમણે અધ્યાપક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. એ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક રીડર અને પ્રોફેસર બન્યા. વિદ્યાર્થી—પ્રિય અધ્યાપક તરીકેની તેમની વ્યક્તિતા આજે પણ અકબંધ છે. તેમના માર્ગદર્શન હેઠળ પચાસેક વિદ્યાર્થીઓએ M.Phil અને Ph.D. ની પદવી પ્રાપ્ત કરી છે. આ બધા સંશોધનાર્થીએ લોકસાહિત્ય ચારણી સાહિત્ય, કંઠસ્થ પરંપરાનું સાહિત્ય, ધર્માન્તરિત પ્રજાનું સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યના વણસ્પર્ધા વિષયો પ્રત્યે અભિમુખ કરીને આપણા લુપ્ત થતા જતા સમૃદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાનું તેઓએ જતન કર્યું છે, તેમ કહી શકાય. ડૉ. બળવંત જાનીનું સંશોધક-વ્યક્તિત્વ પ્રતિભાવંત અને વિશિષ્ટ રહ્યું છે. ‘લોક’ નો પ્રત્યક્ષ અનુભવ, ગુજરાતી-ભારતીય અને વિશ્વકક્ષાએ આ ક્ષેત્રમાં થયેલા સંશોધન કાર્યોનો અભ્યાસ અને પરિશીલન, સંશોધનની મૌલિક સૂઝ અને પ્રતિભાનો સમન્વય તેમના સંશોધનોમાં થયો હોવાને કારણે તેમના સંશોધનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરીને તેમની વિદ્વતાના પરિચાયક બન્યા છે. પાંચ આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં, પંદરેક Jain Education Intemational પથપ્રદર્શક રાષ્ટ્રીય પરિસંવાદોમાં અને ત્રીસેક રાજ્યસ્તરીય પરિસંવાદોમાં તેમણે રજૂ કરેલા સંશોધનપત્રો તેમની સંશોધનક્ષેત્રની એકનિષ્ઠ સક્રિયતા સૂચવે છે. તેઓએ પેરિસની સોરોબોન યુનિવર્સિટીના શોધાર્થી સમક્ષ એક માસ સુધી મુલાકાતી અધ્યાપક તરીકે સંશોધનમૂલક વ્યાખ્યાનો આપ્યાં છે. મધ્યકાલીન સાહિત્યના સંશોધન-વિવેચનક્ષેત્રે સતત સક્રિય રહીને તેમની પાસેથી અત્યંત મૂલ્યવાન ગ્રંથો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિકોમાં તેમના સો ઉપરાંત સંશોધન-વિવેચન લેખો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમજ ‘સમકાલીન’ દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘રતન સવાયા લાખ' નામની કોલમમાં તેમણે નિયમિત રીતે કંઠસ્થ પરંપરાના સાહિત્યનો પરિચય કરાવતા લેખો લખ્યા છે. વિદ્યુત ભોગ્ય સામગ્રીને લોકભોગ્યરૂપ આપતા આ લેખો અત્યંત લોકપ્રિય થયેલા. અતીતની સ્મૃતિને સર્જનાત્મક નિબંધમાં વ્યક્ત કરતા તેમના ‘નિબંધો' પણ સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થયેલા સર્જનાત્મક વ્યક્તિત્વની શક્યતાનો પણ પરિચય કરાવે છે. ડૉ. બળવંત જાની સાહિત્ય સંશોધનની તેમજ શિક્ષણની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સ્થાનિક, પ્રાદેશિક, રાજ્યસ્તરીય, રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ સાથેનું તેમનું અનુસંધાન ગુજરાતી મધ્યકાલીન સાહિત્યને દેશ-વિદેશના સીમાડાઓ ઓળંગાવનારું બન્યું છે. તેઓ ‘ઇન્ડિયન એસોસિએશન ફોર કોમનવેલ્થ લિટરેચર એન્ડ લેંગ્વેજ સ્ટડીઝ’–લંડન; ‘ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ એશિયન એન્ડ નોર્થ આફ્રિકન સ્ટડીઝ’–કેનેડા; ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ધી હિસ્ટ્રી ઓફ રિલિઝિયન્સ'–કેનેડા; ‘ઇન્ટરનેશનલ ભક્તિ કોંગ્રેસ’–પેરિસ–ફ્રાંસ, જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સભ્ય છે. આ સાથે તેઓ ‘કમ્પેરેટીવ લિટરેચર એસોસિએશન ઓફ ઇન્ડિયા’–દિલ્હી; ‘ઇન્ડિયન ફોક્લોર કોંગ્રેસ'–મૈસૂર; ‘ભારતીય સાંસ્કૃતિક વિભાગ’–દિલ્હી; ‘અખિલ ભારતીય સાહિત્ય પરિષદ'–દિલ્હી જેવી રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓના સભ્ય, મહામંત્રી અને અધ્યક્ષ તરીકે જોડાઈને સક્રિય રહ્યા છે. તદ્ ઉપરાંત ‘ગુજરાત લોકસાહિત્ય સમિતિ', ‘ગુજરાત સાહિત્ય અકાદમી’, ‘ગુજરાતી અધ્યાપકસંઘ’ ‘લોકકલા એકેડેમી’ સૌરાષ્ટ્ર સાહિત્ય સભા', ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી અધ્યાપક સંઘ’, ‘આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘ' જેવી રાજ્યસ્તરની કેલેંગ લાયબ્રેરી’‘શીશુમંદિર ’લેંગ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy