SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ મુાતમાં લોકસાહિત્યના સંશોધકો-સંપાદકો —રવજીભાઈ રોકડ પ્રત્યેક પ્રાણી કલ્પનાશીલ હોય છે. અને જીવન જીવવામાં પોતાની કલ્પનાશક્તિને ડગલે ને પગલે કામે લગાડતાં હોય છે. માનવીમાં જ નહિ, પશુપંખીઓમાં પણ આવી કલ્પનાની કરામતો જોવા મળતી હોય છે. અને તેને વ્યક્ત કરવાની સૌ સૌની અલગ અલગ રીત હોય છે. પશુપંખી કરતાં માનવી પાસે ભાષાનું વરદાન વધુ સમૃદ્ધ છે એટલે માનવી જુદી જુદી રીતે પોતાની કલ્પનાની લીલાઓ ભાષાનાં જુદાં જુદાં રૂપોમાં વ્યક્ત કરે છે. મુદ્રણયંત્રોની શોધ થઈ તે પહેલાં કંઠોપકંઠ જીવતું રહેલું સાહિત્ય માનવજીવનની વિધવિધ સંવેદનાને વાચા આપતું રહેલું છે. લોકજીવનના સુખદુઃખના પ્રસંગો ગીતોમાં, ભજનોમાં, કથાવારતાઓમાં લોકોનાં હૃદય સંઘરીને બેઠાં હોય છે એ સાહિત્યમાં જીવનમૂલ્યોની તાસીર છલકાતી હોય છે. એ પ્રજાનાં પ્રેમ અને પરાક્રમ, શૌર્ય અને સાહસ, ધર્મ અને ભક્તિ, ખમીર અને ખાનદાનીના દસ્તાવેજો આ લોકસાહિત્યમાં સંગ્રહાયા હોય છે. નગરજીવનના સમૂહો વચ્ચે અને મીડિયાની ભરમાર વચ્ચે જીવતા આજના માણસને છેક છેવાડે જીવતા અદના માનવીનાં આ સંવેદનોને જાણવા-માણવાપામવાની દરકાર ક્યાં હોય! સંશોધકો-સંપાદકો રખડી ભટકીને આ સાહિત્યને પ્રકાશમાં લાવે છે. ઝવેરચંદ મેઘાણીથી માંડીને ભગવાનદાસ પટેલ સુધીના સંશોધકોનો એક મસમોટો ઇતિહાસ ગુજરાતની ધરતી પર રચાયો છે. ૪૫ સાચે જ સંશોધન-સંપાદનનું કાર્ય ઘણું જ અટપટુ અને દુષ્કર છે. અર્થાત્ ખૂબ જ સજ્જતા માગી લે તેવું છે. આવા કાર્યોમાં ખૂબ જ ધીરજ જોઈએ, સત્યનો પક્ષપાત જોઈએ, બુદ્ધિની ભૂમિકામાં નિરંતર વિદ્યાવ્યાસંગી બની રહેવું જોઈએ. અનેકવિધ વિષયોના જ્ઞાન માહિતી હોવા જોઈએ. આ બધું હોય તો જ કાર્યને સંપૂર્ણ ન્યાય આપી શકાય. વિશ્વમાં આજે જ્યારે સંશોધનનો નાદ ગૂંજતો રહ્યો છે ત્યારે ગુજરાતી સાહિત્યમાં પણ લોકસાહિત્ય અને લોકધનને સમજવા, જાળવવા અને ઉજાગર કરવા જે સાક્ષરોએ એક પ્રકારનો ભેખ ધારણ કરી ધૂળધોયાનું ગજબનું કામ કર્યું છે તેઓના જીવનનો સામાન્ય પરિચય અને તેઓએ આ ક્ષેત્રમાં કરેલા કાર્યનો ચિતાર સંક્ષેપમાં આપવાનો અહીં નમ્ર પ્રયાસ થયો છે. જે ભવિષ્યની પેઢી માટે દીવાદાંડીરૂપ-પથપ્રદર્શકની ગરજ સારે છે. સંશોધનો–સંપાદકો ઉપરની આ લેખમાળા રજૂ કરે છે. અધ્યાપક શ્રી રવજીભાઈ રોકડ. રાજકોટ જિલ્લાના પાંચપીપળા ગામે તા. ૭-૨-૧૯૬૩ના તેમનો જન્મ થયો. રાજકોટ જિલ્લાનું મેવાસા ગામ તેમનું મૂળ વતન. એમ.એ.-એમ.ફીલ. સુધીનો અભ્યાસ કરી હાલમાં શ્રી કે. ઓ. શાહ મ્યુનિસીપલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ધોરાજીમાં ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓ સાહિત્ય પરત્વેની ઊંડી દિલચશ્પી દર્શાવે છે. સાહિત્ય, સંગીત અને સંતવાણીમાં તેમને વિશેષ રસ અને રૂચિ છે. લેખો, કાવ્યો અને વાર્તાઓ લખે છે. જે વિવિધ સંચયો, સામાયિકોમાં પ્રગટ થતા રહ્યાં છે. સાહિત્યની નિસ્વાર્થભાવે સેવા કરનાર આ ઉત્સાહી જીવ છે. મળવા જેવા માણસ છે. —સંપાદક યુનિવર્સિટી ભાષા-સાહિત્ય ભવન–રાજકોટના અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ N.C.E.T.E. ભારતના પશ્ચિમ વિભાગ (ભોપાલ) ના ચેરમેનનું માનભર્યું સ્થાન શોભાવી રહ્યા છે. એ અગાઉ તેઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણના કુલપતિ પદે પણ રહી ચૂક્યા છે. ડૉ. બળવંત જાની સાહિત્ય જગતમાં દૃષ્ટિપૂત સંશોધક તરીકે ખ્યાત છે. મધ્યકાલીન ગુજરાતી ડૉ. બળવંત જાની મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, લોક સાહિત્ય, કંઠસ્થ પરંપરાનું સાહિત્ય, ચારણી સાહિત્ય, સંતસાહિત્ય તથા ભારતીય સાહિત્યના ઊંડા અભ્યાસી, સંનિષ્ઠ સંશોધક તરીકે ખ્યાતિ પામનાર ડૉ. બળવંત જાની (જન્મ : ૨૪-૮-૧૯૫૧) સૌરાષ્ટ્ર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy