SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ (સાબરકાંઠા) ખાતે થયો હતો. તેમના પિતાશ્રી કડી (ઉ.ગુજ.)ના મૂળ વતની હતા. બાલ્યાવસ્થામાંથી જ શ્રી સીતારામભાઈના શિર પરથી પિતાની છત્રછાયા છિનવાઈ જતાં તેઓ મોસાળમાં જ ઊછર્યા હતા. વર્નાક્યુલર–ફાઈનલ તથા અંગ્રેજીના અભ્યાસ બાદ તેઓશ્રી પ્રાથમિક શિક્ષકની નોકરીમાં જોડાઈ ગયા. તક મળતાં મુંબઈ જઈ નામું લખવાથી માંડીને ગુજરાતી નાટક મંડળીમાં પોતાનાં રસ-રુચિ મુજબનું કામ કરતા થયા. અહીં એમનો વાંચન-લેખન શોખ પોષાયો. શર્માજીને બચપણથી જ કવિતા-વાર્તા લખવાનો શોખ. પ્રથમ વાર્તા તત્કાલીન સામાજિક કુરિવાજ પર કુઠારાઘાત સમી હતી. તેમાં પ્રેતભોજનની કુરૂઢી પર આકરા પ્રહાર-વ્યંગ હતા. જે સ્વજ્ઞાતિ પત્ર ‘બ્રહ્મભટ્ટ શુભેચ્છક’માં છપાઈ. પ્રોત્સાહિત થઈ. ‘વડોદરા વર્તમાન’માં સળંગ વાર્તા લખી. તે દરમ્યાન ‘મહિકાંઠા એજન્સી'માં સરકારી નોકરી મળી. પરંતુ કલમનું આકર્ષણ ન ખાળી શકતાં, ‘વડોદરા વર્તમાન'માં તંત્રીપદે જોડાયા. તે પછી ‘ગુજરાતી પંચ’ (ઇ.સ. ૧૯૧૪) અને ‘હિન્દુસ્તાન' સાપ્તાહિક (ઇ.સ. ૧૯૧૭)માં સહતંત્રી તરીકે જોડાયા. સાથે સાથે ‘વાર્તામંદિર ’ નામનું વાર્તામાસિક પણ સંભાળ્યું. ત્યારબાદ સ્વજ્ઞાતિપત્ર ‘સુભટ્ટ’ શરૂ કર્યું. (૧૯૨૦-૨૨) જેને પ્રારંભે ‘ત્રિમાસિક’ પછી ‘દ્વિમાસિક' અને સારો પ્રતિસાદ મળતાં છેવટે ‘માસિકપત્ર’ બનાવ્યું. આ જ્ઞાતિપત્રે તત્કાલીન સમાજમાં પ્રવર્તમાન કુરિવાજોના ઉન્મૂલન, કન્યાકેળવણી, સ્ત્રી અને દલિતોદ્ધાર પ્રવૃત્તિ, ખાદીપ્રવૃત્તિ, સ્વદેશભક્તિ જેવા વિષયોમાં ગુજરાતની પ્રજાને પોતાની ઉત્કૃષ્ટ કલમપ્રસાદી પીરસી. એ અરસામાં અન્ય સ્વજ્ઞાતિપત્ર ‘ભટ્ટભાસ્કર'ના સંપાદક પ્રખર ગાંધીવાદી–અંતેવાસી અને સ્વાતંત્ર્યસેનાની શ્રી ચૂ. પુ. બારોટ જેલયાત્રાએ જતાં એમની જવાબદારીપણ શ્રી શર્માજીએ ખૂબી અને ખંતપૂર્વક નિભાવી. સાથે સાથે અન્ય જ્ઞાતિપત્રો ‘બ્રહ્મભટ્ટ શુભેચ્છક’, ‘બ્રહ્મભટ્ટ મિત્ર’, ‘બ્રહ્મભટ્ટ યુવક’ વગેરેમાં પણ તેઓ પોતાની કલમપ્રસાદી પીરસતા રહ્યા. આ ઉપરાંત ‘જન્મભૂમિ', ‘વંદેમાતરમ્’, ‘મુંબઈ સમાચાર' જેવાં સમાચારપત્રોની પણ તેમણે સારી એવી સેવા બજાવી. આ સમયે મોટાભાગે રાષ્ટ્રવાદી–ગાંધીવાદી વિચારોનો પ્રભાવ સાર્વત્રિક હોવાથી શર્માજી પણ એનાથી મુક્ત કેમ રહી શકે? વળી ગાંધીવાદી-રાષ્ટ્રવાદી વિચારો તો એમની કલમને પ્રિય એવા વિષયો હતા. પરિણામે તેમની છાપ એક નિડર, સ્વાતંત્ર્ય પ્રિય, મૂલ્યનિષ્ઠ અને ગાંધીવાદી પત્રકાર, સાહિત્યકાર તરીકે અત્યંત પ્રચલિત બની. Jain Education International પથપ્રદર્શક શ્રી બચુભાઈ લોટવાળા સાથે મળીને ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર' સાપ્તાહિક મુંબઈ અને ગુજરાતમાં અત્યંત લોકપ્રિય બનાવવામાં તેમણે સિંહફાળો નોંધાવ્યો. મુંબઈ ખાતે સાંતાક્રુઝ વિસ્તારમાંથી કોંગ્રેસ તથા તેની અસ્પૃશ્યતા નિવારણ, ખાદીપ્રચાર વગેરે સંસ્થાગત પ્રવૃત્તિઓમાં તેમણે અવિરત સેવાઓ નોંધાવી. ‘હોમરૂલ લીગ’–વોલેટિયરકોરને (ત્રણ વર્ષ માટે) પણ તેમણે સેવાઓ આપી. આ ઉપરાંત મુંબઈ કોંગ્રેસ અધિવેશન (ઇ.સ. ૧૯૧૮) ‘અમૃતસર અધિવેશન' (ઇ.સ. ૧૯૧૯) તથા ઇન્ફ્લુએન્ઝાના રોગચાળા (ઇ.સ. ૧૯૧૮) નિવારણ અર્થે પણ સ્વયમ્સેવક તરીકે તેમણે નોંધપાત્ર સેવાઓ બજાવી. આ બદલ મુંબઈ તેમજ અમદાવાદના નાગરિકો તરફથી તથા ગીતામંદિર ટ્રસ્ટ'–અમદાવાદ તરફથી તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું. તેમની આ સેવાપ્રવૃત્તિઓ પૂરતા જોમ અને ધગશ સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિપર્યંત ચાલુ જ રહી. સ્વાતંત્ર્યોત્તર કાળમાં તેમણે મુખ્યત્વે સ્વદેશ અને સ્વજ્ઞાતિ પ્રેમને લગતી કેટલીક પ્રવૃત્તિઓને જ વિશેષ પ્રાધાન્ય આપ્યું. આમ પત્રકારત્વ, સ્વદેશ-સ્વજ્ઞાતિ સેવા, અને સમાજ સુધારણા એમ ત્રિવિધ પ્રવૃત્તિઓ કરનાર શર્માજી સ્વભાવથી જ સ્વતંત્રમિજાજી અને નિજાનંદી હોવાથી ‘ફરમાસુલેખક’ બનવાને બદલે સ્વયંસ્ફૂરણા દ્વારા સાહિત્યસર્જન કરવાના હઠાગ્રહી હતા. તેમની કલમ ધારદાર, સ્પષ્ટ અને બેધડક હતી. કોઈપણ વાતને માર્મિક-કટાક્ષયુક્ત કે હળવાશની રીતે કહેવામાં તેમને મહારથ હાંસલ હતું. મુંબઈને (નિવૃત્તિવય ટાણે) અલવિદા કહ્યા પછી એમણે પૈતૃક ગામ કડીના લુહારકૂઈ ખાતે આવેલ ‘પર્ણકુટી’ નામના નિવાસસ્થાનને કલમબાજોના અખાડામાં પલટાવી નાંખ્યું. કડી ખાતે લેખક-સર્જક-વર્તુળની સ્થાપના કરી નવા-જૂના લોકોને હુંફાળું વાતાવરણ પ્રદાન કરવા સાથે સાહિત્યજગતમાં પા પા-પગલી માંડવા માડે માર્ગદર્શક કેડી પણ કંડારી આપી. સાહિત્યસર્જન ઉપરાંત સમાજ સુધારણા, ‘પર્ણકુટી’ સદાય પ્રવૃત્ત રહેતી હતી. જેમાં કોઈપણ એક જ્ઞાતિ વિશેની નહીં પણ સમગ્ર સમાજની પ્રવૃત્તિઓને પ્રાથમિકતા આપવામાં આવતી. ધર્મપત્નિ મણીબેન નિસંતાન અવસ્થામાં જ ઘણાં વ્હેલાં જ ગુજરી ગયાં હોવા છતાં શર્માજીએ પોતાના ઘરને એકલવાયું કે સૂનું પડવા જ દીધું ન હતું. ઉપરોક્ત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કોઈને કોઈ બાળક એમના નિવાસસ્થાનને પ્રવૃત્તિમય બનાવતું જ રહ્યું. અંતે શ્રી શર્માજીએ ૧૯૬૫માં દેહાવસાન પૂર્વે એમણે પોતાની તમામ મિલ્કત સમાજની સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને દાન આપી તેમની સ્મૃતિમાં કાયમીસ્થાન મેળવી લીધું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy