SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ અર્જીત કરી છે. આમ અનેક વિષયોમાં વિદ્વત્તા હાંસલ કરી ગુજરાતને ખ્યાતિ અપાવનાર આ સપૂતને આપણા સૌના વંદન. પ્રખર-પુરાત્વવિદ્-ઇતિહાસવિદ્ ડૉ. રમણલાલ ના. મહેતા (ઇ.સ. ૧૯૨૨-’૯૭) પુરાવસ્તુવિદ્યા તેમજ ઇતિહાસના ક્ષેત્રમાં સ્થાનિક, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની કીર્તિના કાંગરા ખડા કરનાર શ્રી રમણલાલ નાગરજી મહેતા જેટલા મહાન વિદ્વાન એટલા જ નિખાલસ, વિનમ્ર, પિતૃવત્સલ્ય ખેલદિલ અને સાવ સરળ માણસ હતા. પ્રખર બુદ્ધિશક્તિ, અદ્ભુત અને તર્કશુદ્ધ વાક્છટા, સચોટ સંશોધનવૃત્તિ અને ત્વરિત નિર્ણયશક્તિ ધરાવતા આવા મહામાનવ હોવા છતાં સાવ હાથવગા-Down to earth—કોઈપણ જિજ્ઞાસુ, વિદ્યાર્થી, વાચક, વિચારક, શિક્ષક કે તજજ્ઞને એજ ઉમળકાથી આવકારનાર. આ વિદ્વાનને મળવું, એમની સાથે વાતો કરવી એ એક અદ્ભુત લ્હાવો ગણાય. સદ્ભાગ્યે ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુપારંગત (M. Phil.) કક્ષાના મારા અભ્યાસકાળ દરમ્યાન મને આ રીતે લાભાન્વિત થવાની તક મળી હોવાથી અત્રે એ વાત નોંધ્યા વિના રહી શકતો નથી.) આવા વિદ્વાનશ્રી રમણલાલ મહેતાનો જન્મ તા. ૧૫ ડિસે. ૧૯૨૨ના રોજ કતારગામ (સુરત) ખાતે થયો હતો. પિતાશ્રી નાગરજી મહેતા મરોલી (દક્ષિણ ગુજ.)ના એક અનાવિલ બ્રાહ્મણ સદ્ગૃહસ્થ હતા. શ્રી રમણલાલનું પ્રારંભિક શિક્ષણ મરોલી ખાતે સંપન્ન થયું. ત્યારબાદ નવસારી અને તે પછી સ્નાતક (૧૯૪૪) અનુસ્નાતક (૧૯૪૭) મ્યુઝિયોલોજીડિપ્લોમા (૧૯૫૪) અને Ph.D. (૧૯૫૭) કક્ષાનો તમામ અભ્યાસ મ.સ. યુનિ. વડોદરા ખાતે સંપન્ન થવા પામ્યો. કારકિર્દીના પ્રારંભ ટાણે તેમણે વડોદરા ખાતે શિક્ષકની નોકરી સ્વીકારી (૧૯૪૪) પરંતુ કેલિકો મિલ્સ, અમદાવાદમાં ટેક્સટાઈલ મ્યુઝિયમ ક્યૂરેટર' ની જગ્યા મળતાં (૧૯૪૯) થોડો સમય એ અનુભવ પણ મેળવ્યો. તેમણે ફરી મ.સ. યુનિ. વડોદરાના પુરાવસ્તુવિદ્યા વિભાગમાં રિસર્ચ સ્કોલરની નોકરી મળી જેમાં ક્રમશઃ આગળ વધતાં વધતાં અધ્યાપક, પ્રાધ્યાપક અને ફેકલ્ટીના ડીન સુધી પહોંચી વયમર્યાદાને કારણે નિવૃત્ત (૧૯૮૨) થયા ત્યાં સુધી મન મૂકીને પઠન-પાઠન તથા સંશોધકની પ્રવૃત્તિમાં ગળાડૂબ રહ્યા. ખાસ કરીને ચાંપાનેર (પાવાગઢ) અને દેવની મોરી (શામળાજી) જેવાં કેટલાંક Jain Education International ૪૫૭ પુરાતત્ત્વીય સ્થળોએ ઉત્ખનન, તેમજ સંશોધનની વિશિષ્ટ પ્રવૃત્તિઓએ એમને દેશવિદેશમાં ખ્યાતિ અપાવી. સાથે સાથે પુરાતત્ત્વવિદ્યા, ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ જેવા વિષયોના તજજ્ઞ તરીકે મ. સ. યુનિ., ગુજ. યુનિ., સૌરાષ્ટ્ર યુનિ., દ. ગુજ. યુનિ., સરદાર પટેલ યુનિ., નાગપુર યુનિ., પુણે યુનિ., જોધપુર યુનિ., કુરૂક્ષેત્રીય યુનિ. જેવી શિક્ષણ સંસ્થાઓમાં પોતાની પ્રખર અને વિચક્ષણ શિક્ષણ સેવાઓ આપી ચૂક્યા હતા. નિવૃત્ત થતાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે પણ મુલાકાતી પ્રાધ્યાપકની જગ્યા પ૨ (૧૯૮૪) જોડાવા ઉપરાંત અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં સભ્યથી માંડી અધ્યક્ષપદ સુધીની સેવાઓ પણ બજાવી ચૂક્યા હતા. સાથે સાથે પઠન-પાઠન અને સંશોધનના વિશિષ્ટ હેતુસર દેશ-વિદેશ (રશિયા, અમેરિકા વગેરે)ના પ્રવાસ તથા વિદ્વવ્યાખ્યાનમાં પણ જોડાઈ બધાને પોતાની વિશેષતાઓથી વાકેફ કરી ચૂક્યા હતા. આ સમય દરમ્યાન અનેક પુસ્તકો અને ત્રણસો જેટલા શોધલેખો તૈયાર કરવા ઉપરાંત ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને Ph.D. કક્ષાનું માર્ગદર્શન પણ આપી શક્યા. પોતાની કારકિર્દીના પ્રારંભથી સમાપન સુધીમાં શ્રી મહેતાસાહેબે પુરાવસ્તુ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિને ક્ષેત્રે અનેક આયામો સર કર્યા. ઘણાં બધાં પ્રાચ્ય સ્થળોનાં ઉત્ખનન અને સંશોધન દ્વારા એમણે દેશ-વિદેશમાં નામના ખ્યાતિ અર્જીત કરી. તેમનાં આ કામોમાં મુખ્યત્વે ચાંપાનેર, દેવની મોરી, વલ્લભીપુર અને નગરા જેવાં પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉત્ખનન અને સંશોધનની જાત માહિતી આપતા તેમના વિદ્વત્તાપૂર્ણ ગ્રંથોએ તેમને દેશ-વિદેશના પ્રથમકક્ષાના પુરાતત્વિદોની હરોળમાં સ્થાન અપાવ્યું છે. સાથે સાથે અમદાવાદ, વિસનગર, વડોદરા, વલ્લભીપુર, વડનગર અને નગરા જેવાં સ્થળોનાં સ્થળનામોમાં તેમનું વિશિષ્ટપ્રદાન છે. (મારા ‘કલોલનાં સ્થળનામ' સંશોધનમાં સ્થળ તપાસ માટે તે જાતે મારી સાથે ફર્યા. એક પિતાની માફક વિશિષ્ટ સમજ આપવા ઉપરાંત મને મહત્ત્વના ફોટોગ્રાફ્સ પણ એમણે જાતે જ લઈ આપ્યા, તે વાત હું ક્યારેય ભૂલી શકીશ નહી) આ ઉપરાંત અંગ્રેજી, પ્રાચીન ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, અરબી અને અર્ધમાગધી જેવી લગભગ દસેક ભાષાઓના તે જાણકાર હતા. જે એમના શોધકાર્યમાં સ્પષ્ટ જણાઈ આવે છે. તેમના આટલા વિશદ અને મહત્ત્વપૂર્ણ પ્રદાનને લીધે તેમને નર્મદ સુવર્ણચંદ્રક’, રણજીતરામ સુવર્ણચંદ્રક અને રાજ્યસરકાર દ્વારા પુરાતત્ત્વવિદ તરીકેનો એવોર્ડ મળી ચૂક્યો હતો. આવા સદા યાદગાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy