SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ શબ્દો, “એક સંસ્થા ન કરી શકે એવડું મોટું કામ આ મુઠ્ઠીભર હાડકાંના માનવીએ એકલે હાથે કરી ગુજરાત અને ગુજરાતી ભાષા પર....ક્યારેય ન ફેડી શકાય એવું મોટું ઋણ ચડાવી દીધું છે.” ટાંકીને આ મહામાનવને નમન કરી, વિરમશું. બહુશ્રુત વિદ્વાન પ્રા. શ્રી મધુસૂદન ઢાંકી (ઈ.સ. ૧૯૨૭) | ગુજરાતના બહુશ્રુત વિદ્વાનોમાં અગ્રીમ પંક્તિમાં જેમને મૂકી શકાય તેવા શ્રી મધુસૂદન ઢાંકીનો જન્મ તા. ૩૧ જુલાઈ, ૧૯૨૭ના રોજ ગુજરાત-સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ-પોરબંદર ખાતે થયો હતો. શ્રી ઢાકી; બાલ્યાવસ્થાથી જ તેજ બુદ્ધિશક્તિ તથા ઉત્કટ જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા હતા. એકવડો બાંધો તથા સાદગી, સરળતા અને ઉદારતાનાં લક્ષણો એમને જન્મજાત મળ્યાં હતાં. પ્રારંભિક અવસ્થામાં એમણે “સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા” ની નોકરી સ્વીકારી. સાથે સાથે સ્થાપત્યકલા, પુરાવસ્તુવિધા, ઇતિહાસ તેમજ ભારતીય સંસ્કૃતિ જેવા પોતાના શોખના વિષયોમાં વિદ્વાનોનાં પુસ્તકો અને લખાણોનું અધ્યયન પણ ચાલુ રાખ્યું. જેમાં ડૉ. હસમુખ સાંકળિયા તેમજ પાશ્ચાત્ય વિદ્વાનો બર્જેસ અને કઝિન્સનાં કલા-સ્થાપત્ય અને સંસ્કૃતિને લગતાં પુસ્તકોએ એમની અંદર રહેલા સંશોધકને ઢંઢોળીને જાગૃત કર્યો. પરિણામે એક મિત્રવૃંદ સાથે પોરબંદરના સમયવર્તી વિસ્તારોમાં આવેલાં પ્રાચીન અને પુરાતત્ત્વીય અવશેષોથી સમૃદ્ધ એવાં સ્થળો જેવાં કે–નંદેશ્વર, ખીમેશ્વર, ગોપ, ઘૂમલી, શ્રીનગર, મિયાણી તથા કિંદરખેડા વગેરેની વારંવાર મુલાકાતો-પ્રવાસો ગોઠવી તેને લગતી વિશદ્ માહિતી અને ફોટોગ્રાફસ સંકલિત કર્યા. તેમની આ પ્રવૃત્તિને તજજ્ઞો દ્વારા બિરદાવવામાં આવતાં પ્રોત્સાહન મળ્યું. તેથી વૃત્તિ અને પ્રવૃત્તિ બંને પ્રબળ બન્યાં. સદ્ભાગ્યે આ અરસામાં જૂનાગઢ મ્યુઝિયમ સંરક્ષકના સ્થાન પર ઇચ્છિત નોકરી મળતાં આંતરિક વૃત્તિ અને પ્રવૃત્તિઓને જાણે કે પાંખો ફૂટી. આગળ જતાં જામનગર મ્યુઝિયમ અને રાજકોટના વોટ્સન મ્યુઝિયમ ખાતે આવી જ મનગમતી નોકરી કરી. જેને કારણે પ્રભાસ પાટણ, રોઝડી, આમરા અને લાખાવળ જેવાં સ્થળોએ ઉત્પનન કાર્ય કરવાની તક મળી. આ અરસામાં શ્રી જયેન્દ્ર નાણાવટી સાથે ‘સિલિંઝ ઓફ ધ ટેમ્પલ ઓફ ગુજરાત' નામનો શોધગ્રંથ તૈયાર કરવાની તેમજ “સોલંકીકાલીન મંદિરનો કાળક્રમ' નામનો શોધનિબંધ તૈયાર કરવાની તક પણ મળી. ઉપરોક્ત તમામ શોધકાર્યોને વિદ્વાનોનો ખૂબ જ આદરપૂર્વકનો પથપ્રદર્શક આવકાર મળતાં શ્રી ઢાંકીસાહેબની ગણના એક સારા વિદ્વાન, સંશોધક અને નિષ્ણાત લેખક તરીકે થવા લાગી. ઉપરોક્ત પ્રોત્સાહનને લીધે શ્રી ઢાંકીસાહેબની પ્રવૃત્તિઓમાં વિશેષ વેગ આવ્યો. એમણે હવે સ્થાનિકને બદલે રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાં આવેલાં પુરાતત્ત્વીય સ્થળો, કલા-સ્થાપત્યો, ઉબનિત પુરાવશેષો કે મંદિરો-મૂર્તિઓને પોતાના સંશોધનનાં કેન્દ્રસ્થાન બનાવ્યાં. રાજસ્થાનમાં મુખ્યત્વે વકરાણા અને રાણકપુર જૈન તીર્થ ખાતે એમણે વિશેષ કામ કર્યું. આ દરમ્યાન “અમેરિકન એકેડેમી’—બનારસ ખાતે સેવા બજાવવાની તક મળી; ત્યારે મંદિર (મૂર્તિ) સ્થાપત્ય પરના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ‘મરુ-ગુર્જર સ્થાપત્યશેલીનાં મૂળ અને વિકાસક્રમ' એ વિષય પર એક વિદ્વત્તાપૂર્ણ શોધપત્ર રજૂ કર્યું. જેમાં શ્રી ઢાંકીસાહેબની વિદ્વત્તા અને તજજ્ઞતાનાં ઊંડાણ સાફ જણાઈ આવતાં હોવાથી તે ખૂબ જ પ્રશંસા પામ્યું. આમ દિનપ્રતિદિન શ્રી ઢાંકીસાહેબનો રસ અને મહેનત રંગ લાવવા લાગ્યાં. આ અરસામાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના આમંત્રણથી ‘એલ. ડી. ઇન્ડોલોજી-અમદાવાદ ખાતે જોડાયા. અત્રે મળેલ ઇચ્છિત વાતાવરણને પરિણામે એમની શોધવૃત્તિ સોળેકળાએ ખીલી ઊઠી. આમ ગુજરાત અને ગુજરાત બહારની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પોતાનાં આયુષ્યના ચાર દાયકા વિતાવી પુષ્કળ જ્ઞાન, માહિતી અને તજજ્ઞતા અર્જીત કરનાર શ્રી ઢાંકીસાહેબે દેશનાં ઘણાં બધાં સ્થાપત્યો પર કામ કર્યું. મંદિર-સ્થાપત્યોના ઝીણવટભર્યા અભ્યાસે તેમને દેશભરમાં ખ્યાતી અપાવી. સમય જતાં અર્જીત થયેલ તેમનું જ્ઞાન સંકલિત સ્વરૂપ ધારણ કરી વિવિધ પુસ્તક સ્વરૂપે આકાર પામ્યું. જેમાં “એનસાયક્લોપિડીયા ઓફ ટેમ્પલ આર્કિટેક્સર' (આઠ ભાગની ગ્રંથશ્રેણી) જેવાં ગ્રંથોનો વિશેષ ઉલ્લેખ કરી શકાય તેમ છે. આગળ જતાં શ્રી ઢાંકીસાહેબના જ્ઞાનની સાથે સાથે એમના કાર્યક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું. આ સંદર્ભે એમણે શ્રીલંકા (૧૯૭૭) અને ઇન્ડોનેશિયા (૧૯૮૩)નાં મંદિરો-સ્થાપત્યો પર ઘણું કામ કરી, ફિલાડેલ્ફીયા અને હાવર્ડ (U.S.A.), ઓક્સફર્ડ (બ્રિટન), હીડેનબર્ગ (જર્મની) જેવી યુનિવર્સિટીઓમાં પોતાનાં વિદ્ધતુ શોધપત્રો વાંચી; પ્રકાશિત કર્યા. હવે તેઓ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય વિદ્વાન બની ચૂક્યા છતાં શિલ્પ-સ્થાપત્ય ઉપરાંત ઇતિહાસ, સંગીત વગેરે ક્ષેત્રે પણ કામ કરી એમણે બહુશ્રુત વિદ્વાનની કીર્તિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy