SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પહેલા મેહુલિયે ભીંજવેલી ધરતીની ફટકેલી ફૉરમશા ફૂલગુલાબી લોકગીતો, લગ્નગીતો, રાંદલગીતો, ભજનિકના તંબૂરના તારેથી ટપકતાં દેશી ભજનો અને દુહા-છંદ અસલ રાગ અને ઢંગઢાળમાં રાજશ્રીદેવીએ મન મૂકીને ગાયાં..... આ સાંભળીને પ્રસન્ન થયેલા અભિનયસમ્રાટ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ અહોભાવથી આટલા જ શબ્દો કહ્યા : આપણે ત્યાં એમ કહેવાય છે કે કાઠિયાવાડની ધરતીનુ પાણી પીનાર કન્યાનો અવાજ રૂપાની ઘંટડીરેખો મધુર અને માનવીના હૈયાં પર કામણ કરનારો હોય છે. જાદવ પરિવારનાં સુપુત્રી રાજશ્રીદેવીએ તો ત્રણ ત્રણ ધરતીનાં પાણી પીધાં છે. એમનું વતન ભાલપ્રદેશ, મોસાળ મારવાડ અને સાસરું સૌરાષ્ટ્ર. આમ ત્રણેય પખા (કૂળ) ને ઊજળાં કરી બતાવનાર રાજશ્રીદેવી ગુજરાતના લોકસંગીતનું નમણું નજરાણું છે. મોઘું ઘરાણું છે. એમના પિતા શ્રી જોરાવરસિંહજીએ કાળજાના કટકારોખી દીકરીને સાહિત્ય, સંસ્કાર, લોકસંગીત, સંસ્કૃતિ અને લોકકલાઓરૂપી કરિયાવર ગાડાંમોઢે કરીને સાસરે વળાવ્યાં છે. સમગ્ર રાજપૂત સમાજ એમને માટે ગૌરવ લઈ શકે એમ છે. આઠમા ધોરણના અભ્યાસથી આરંભાયેલો રાજશ્રીદેવીનો લોકસંગીતનો શોખ કૉલેજકાળમાં તો પ્રચ્છન્નપણે પાંગરી ઊઠ્યો. કૉલેજના પ્રત્યેક કાર્યક્રમોમાં એમનો સહયોગ અને ગીતોની ગૌરવપૂર્ણ રજૂઆત મૂલ્યવાન મનાવા લાગ્યા. ત્યાર પછીથી તેઓ ગુજરાત લોકકલા ફાઉન્ડેશનમાં જોડાયાં. એ પછી એમના કાર્યક્રમોને જાણે કે પાંખો પ્રગટી. લોકસંગીતની મૂળ પરંપરાઓને જાળવવાના આગ્રહી શ્રીમતી પરમાર ગુજરાતી ફિલ્મીગીતો ગાવાના અનેક નિમંત્રણો મળવા છતાં આજ સુધી એનાથી અળગાં રહ્યાં છે. વન મેન શૉ અને કેસેટોની રજૂઆત બાદ બેંગ્લોરના ગુજરાતી સમાજના નિમંત્રણથી ગુજરાત રાજ્યના ઉપક્રમે તેઓ બેંગ્લોર ગયાં. ત્યાં યોજાયેલ ડાયરામાં લોકસંગીતની રજૂઆત કરી. વર્ષો પછી ગુજરાતી લોકગીતો સાંભળનાર ગુજરાતી પ્રજાએ એને ભારે દાદ દીધી. આજે પણ એ સુજ્ઞ શ્રોતાઓના ઢગલાબંધ પત્રો અને નિમંત્રણપત્રો તેમને પ્રાપ્ત થતાં રહે છે. વર્ષો પછીયે બેંગ્લોરના ગુજરાતીઓ એમને વીસરી શક્યાં નથી. દિલ્હી, બેંગ્લોર ઉપરાંત રાજશ્રીદેવી કલકત્તા, પૂના, મદ્રાસ, સુરત, ભાવનગર, કંડલા, રાજકોટ, ભૂજ જેવા અનેક નગરોમાં સંખ્યાબંધ કાર્યક્રમો રજૂ કરી જબરદસ્ત લોકચાહના પ્રાપ્ત કરી ચૂક્યાં છે. અમદાવાદ ખાતે યોજાયેલા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ' પ્રસંગે તથા હસ્તકલા કારીગરોને એવોર્ડ્ઝ આપવા Jain Education Intemational ૪૪૯ નિમિત્તે યોજાયેલ સમારંભોમાં હાજર રહેલાં એ સમયના ગુજરાતના ગવર્નરશ્રી રામકૃષ્ણ ત્રિવેદીએ રાજશ્રીદેવીના સુરીલા કંઠે લોકગીતો સાંભળીને એમને આનંદપૂર્વક અભિનંદન આપ્યાં હતાં. વિશ્વના ૭૫ જેટલા દેશોમાં રત્નની પેઢીઓ ધરાવનાર મુંબઈના વિશ્વવિખ્યાત ઝવેરી શ્રી કીર્તિલાલ મહેતાના પરિવારમાં લગ્નોત્સવ પ્રસંગે કાઠિયાવાડી લગ્નગીતો ગાવા માટે રાજશ્રીદેવીને ખાસ નોતર્યાં હતાં. ત્યારથી મુંબઈના ઉચ્ચ પરિવારોમાં પણ તેઓ અત્યંત માનીતાં કલાકાર બની ગયાં છે. ગુજરાતને ‘વિશાલા’ હૉટલ આપનાર શ્રી સુરેન્દ્ર પટેલનાં દીકરીના લગ્નપ્રસંગે રાજશ્રીદેવીએ લગ્નગીતો અને ફટાણાં રજૂ કરી જાનૈયા અને માંડવિયા સૌને ભારે મોજ કરાવી હતી. આ પ્રસંગે હલકદાર ફટાણાં સાંભળીને જાણીતા લોકકલાકાર શ્રી મીઠાભાઈ પરસાણાએ મોજમાં આવીને રાજશ્રીદેવીને ખોબામોઢે ધન્યવાદ આપ્યા હતા. ભાવનગર એ રાજશ્રીદેવીનું સાસરું, લબ્ધપ્રતિષ્ઠિત ચિત્રકાર, લોકસાહિત્યવિદ્ અને રાજ્ય સરકારનો રૂપિયા એક લાખનો ‘ઝવેરચંદ મેઘાણી એવોર્ડ' પ્રાપ્ત કરનાર શ્રી ખોડીદાસભાઈ પરમારનાં એ પુત્રવધૂ છે. રાજપુત પરંપરા પ્રમાણે એમનાં કુટુંબની બહેનો, દીકરીઓ નૃત્ય-સંગીતના જાહેર કાર્યક્રમો આપવાનું સામાન્ય રીતે પસંદ કરતી નથી. પણ સસરા પક્ષના સંસ્કારપ્રેમી પરિવારે એમને જાહેર કાર્યક્રમો કરવા માટે સામેથી પ્રોત્સાહિત કર્યાં છે. એમના પતિ અમુલકુમાર અચ્છા તસવીરકાર અને વિડિયોગ્રાફર છે. એમના જેઠ કિરણકુમાર જાણીતા ચિત્રકાર છે. સ્ક્રીન પ્રિન્ટિંગમાં કલાપૂર્ણ લગ્નકંકોતરીઓ તૈયાર કરવા માટે એમનું નામ ખૂબ જાણીતું છે. અમદાવાદ, ભાવનગર અને મુંબઈના ઉચ્ચ પ્રતિષ્ઠિત પરિવારો લગ્નપ્રસંગે રાજશ્રીદેવીનાં લગ્નગીતો અને ફટાણાંનો કાર્યક્રમ યોજવામાં પોતાનું ગૌરવ સમજે છે. લગ્નની મોસમમાં એમને દૂર દેશાવરોથી ભાવભર્યા નોતરાં આવે છે. એમનાં પાણીદાર કંઠે રજૂ થતાં ગીતો ‘મારા નખના પરવાળા જેવી ચૂંદડી', ‘આવી રૂડી અજવાળી રાત’, ‘માયરામાં પહેલું મંગળિયું વરતાય રે', લગ્નનાં વાતાવરણને ભર્યુંભર્યું બનાવી દે છે. જ્યારે ‘અણવર લજામણો’ ગોરની ફળિયા જેવડી ફાંદ, ‘ક્યા ભઈ બાયડીનો ચેલો મારા વેવાઈઓ રે, જેવા ફટાણાં હાસ્યરસની છોળો ઉડાડે છે. કન્યાવિદાય વેળાએ રાજશ્રીદેવીનાં કંઠે રજૂ થતાં : દાદાને આંગણે આંબલો, આંબલો ઘોર ગંભીર જો દાદાને વહાલા દીકરા અમને દીધાં પરદેશ જો' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy