SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ જેવાં હૃદયસ્પર્શી વિદાયગીતો સાંભળીને કૈંક માંડવિયા અને જાનૈયાઓને ડળક ડળક આંસુડાં પાડતાં આ લેખકે અનેકવાર નિહાળ્યા છે. લગ્નપ્રસંગે, ડાયરામાં અને રાસગરબાની રમઝટમાં રાજશ્રીદેવીને સાંભળવા એ જીવનનું એક યાદગાર સંભારણું બની રહે છે. સંપર્ક : ‘પરમાણંદભવન' કાળુભા બસ સ્ટેન્ડ સામે, કાળાનાળા ભાવનગર-૨. ફોન : ૯૫૨૭૮-૨૫૧૨૨૮૨ લોકસંસ્કૃતિપથના પ્રવાસી : હરકાન્ત શુક્લ ૨૨ એપ્રિલ ૧૯૦૯ ના રોજ રાજકોટ મુકામે જન્મેલા શ્રી હરકાન્ત શુક્લના પિતા શ્રી ભવાનીશંકર શુક્લ સંસ્કૃતના વિદ્વાન પંડિત હતા. લબ્ધપ્રતિષ્ઠ શાસ્ત્રીઓમાં તેમની ગણના થતી. સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના અભ્યાસના સંસ્કારો આ રીતે હરકાન્તભાઈને વારસામાં મળ્યા હતા. આજથી પાંચ દાયકા પૂર્વે બી.એ.; એલ.એલ.બી. થઈને જૂના લાઠી રાજ્યના ન્યાયાધીશ તરીકે એમણે ઉજ્જ્વળ કારકિર્દીનો આરંભ કર્યો. એ પછી સૌરાષ્ટ્રના એ વખતના કોટડાસાંગાણી રાજ્યના દીવાન બન્યા. સૌરાષ્ટ્રનું રાજ્ય અસ્તિત્વમાં આવતાં સૌરાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન, સૌરાષ્ટ્રની વિધાનસભાના અને સૌરાષ્ટ્ર લલિતકલા અકાદમીના સેક્રેટરી બન્યા. સને ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થતાં વિધાનસભાના સૌ પ્રથમ સચિવ બન્યા અને સાત વર્ષની મૂલ્યવાન સેવાઓ આપીને '૬૭માં નિવૃત્ત થયા. હરકાન્તભાઈની નિવૃત્તિ એ નિવૃત્તિ નહીં પણ પ્રવૃત્તિ હતી. ખરેખર તો નિવૃત્ત થયા પછી સાહિત્ય કળા, સંગીત અને સંસ્કૃતિના ક્ષેત્રે વધુ પ્રવૃત્ત થયા હતા. સંગીતનો શોખ તો બહુ નાની વયે તેમને સ્પર્શી ગયો હતો. દેશી રજવાડામાં રહ્યા હોવાથી આ શોખને પોષી શક્યા હતા. પોતે શાસ્ત્રીય સંગીતના પ્રથમ કક્ષાના જાણકાર અને વિવેચક હતા. સંગીતમાં અમુક ‘ઘરાના’ તરફ તેમને પ્રેમ હોવા છતાં સુગમસંગીત, લોકસંગીત અને સંગીતના બીજા પ્રકારો અને ‘ઘરાના’ તરફ એમનું મન હંમેશા ખુલ્લું રહેતું. ઊગતા સંગીતકારોને તેઓ ઉમળકાપૂર્વક આવકારતા એટલું જ નહીં, પણ તેમના વિકાસમાં મદદરૂપ બનતા; કારણ પોતે ‘સંગીતના જીવ' હતા. વાઘોમાં સિતાર એમને અત્યંત પ્રિય. સમયને અભાવે આ શોખને અળગો કરી દીધા બાદ પણ મિત્રો અને સ્નેહીઓના આગ્રહથી તેમને મૉજ આવે ત્યારે હાથમાં સિતાર લઈને એકાદ બેઠક કરી સૌને આનંદવિભોર કરી દેતા. જનસત્તાની ‘ચક્રનેમિ' કટારના પ્રશંસકોનો પાર નહોતો. Jain Education International પથપ્રદર્શક કલાગુરૂ રવિશંકર રાવળ કલાવિવેચક તરીકેની સ્વ. શ્રી હરકાંતભાઈની શક્તિને હંમેશા પ્રશંસાનાં પુષ્પોથી વધાવતા. ‘ચક્રનેમિ’કટારમાં શુક્લ સાહેબે સંગીત, કળા, સાહિત્ય, લોકસંસ્કૃતિ, લોકજીવન, લોકકળા, શિલ્પસ્થાપત્ય, ચિત્રકળા, ધર્મ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ અંગેના અભ્યાસી અને સચિત્ર લેખો પ્રસિદ્ધ કરીને સાંસ્કૃતિક જગત પર બહુ મોટો ઉપકાર કર્યો છે. આમાંથી પસંદ કરાયેલા લેખો ‘ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાહો' નામના ગ્રંથમાં ગ્રંથસ્થ થયા છે. આ એમનો છેલ્લો પણ અતિમૂલ્યવાન ગ્રંથ છે. આ અગાઉ તેમણે ‘ગુજરાતનું સંગીત અને સંગીતકારો' પર નાનકડી પણ અભ્યાસ અને સંશોધનલક્ષી પુસ્તિકા આપી છે. તેમાં સામવેદના સંગીતથી માંડીને આજ સુધી થયેલા સંગીતકારો અને વિધવિધ ‘સંગીતઘરાના’નો સુપેરે પરિચય કરાવ્યો છે. એમાં અલભ્ય તસ્વીરો મૂકી છે એ એનું બહુ મોટું જમા પાસું છે. એ પૂર્વે પ્રગટ કરેલ ‘ફોક ડાન્સિઝ ઑફ ગુજરાત’ અને ફેર્સ એન્ડ ફેસ્ટીવલ્સ ઑફ ગુજરાત'માં પણ એમનો લોકજીવનનો ઊંડો અભ્યાસ અને વૈજ્ઞાનિક સંશોધન દૃષ્ટિ ઊડીને આંખે વળગે છે. સંગીત અને કળા સાથે મહોબ્બત બાંધીને બેઠેલા માનવીઓમાંના શ્રી હરકાન્તભાઈ એક હતા. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું ત્યારે સૌરાષ્ટ્ર સંગીત નૃત્ય અકાદમીના ઉદ્ભવ પાછળ તેમણે લીધેલો પરિશ્રમ એમની સંગીત અને કળા તરફનો પ્રેમ અને આદર સૂચવે છે. આ અકાદમી દ્વારા આજથી બે અઢી દાયકા પૂર્વે સૌરાષ્ટ્રની લોકકળાઓ, લોકસંગીત અને લોકનૃત્યને વધુ વ્યવસ્થિત કરી, વિકસાવી છેક દિલ્હી સુધી એનો ડંકો વગાડ્યો. એ પછી સૌરાષ્ટ્રનાં લોકનૃત્યો અને સંગીતકળાનો સાચો પરિચય દેશને મળ્યો. (નવી દિલ્હીમાં સૌરાષ્ટ્રનું લોકનૃત્ય પ્રથમ આવતાં શ્રી હરકાન્ત શુક્લને તત્કાલીન રાષ્ટ્રપતિ સ્વ. રાધાકૃષ્ણનને હસ્તે પારિતોષિક અપાયેલું.) આ રીતે લોકકલાના રંગે રંગાઈ ગયેલા હરકાન્તભાઈએ એના ઉપર અંગ્રેજીગુજરાતીમાં શ્રેણીબદ્ધ લેખો લખ્યા. ગુજરાતના કમભાગ્યે એ બધા લેખો ગ્રંથસ્થ થયા નથી. એ લેખો ગ્રંથસ્થ કરીને હજુ પણ પ્રગટ થાય તો આ સંસ્કારસ્વામીની શક્તિનો સાચો પરિચય આપણને મળે; અને સાહિત્ય જગતમાં મૂલ્યવાન અભ્યાસી ગ્રંથોનો ઉમેરો થાય. હરકાન્તભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પોતે સાહિત્ય, સંગીત અને કળાના અનુરાગી હોવા ઉપરાંત સંસદીય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy