SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ શ્રી રામભાઈ કાગની કાવ્ય રચનાઓ એમની ડાયરીનાં પાનાં પર જ વિરામ પામવા માંડેલી. કાગબાપુ દેવલોક પામ્યા પછી રામભાઈ કાગે એમના વારસાને બરાબર જાળવ્યો. અમદાવાદ અને મુંબઈના આંગણે યોજાતા લોકસાહિત્યના ડાયરાઓમાં લોકગીતો, લોકવાતો, ચારણી ગીતો, દૂહા, છંદ અને રસપ્રદ વર્ણનો દ્વારા તેઓ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેતા તિકુમાર વ્યાસના ગયા પછી કાગબાપુનાં ગીતોને જનતાજનાર્દનની વચ્ચે વહેતા રાખી શ્રી રામભાઈએ ચારણી સાહિત્યના વારસદાર બનીને સાચા અર્થમાં પિતૃતર્પણ કર્યું. એમણે કાગબાપુના વારસાને જાળવી રાખવા માટે ‘કાગ મેમોરિયલ ટ્રસ્ટ 'ની રચના કરી. મુંબઇના કાગબાપુના ચાહકોએ એમને પ્રેમભર્યો પ્રતિસાદ આપ્યો. એ પછી રામભાઈએ કાગબાપુની સ્મૃતિમાં કાર્યક્રમો કર્યા અને સ્મૃતિઅંકો પણ પ્રસિદ્ધ કર્યા. દાક્તરનો દીકરો દાક્તર થાય એવું તો બને પણ કવિનો દીકરો વિ થાય એવો કો'ક જ અપવાદ હોય છે. એવા અપવાદરૂપ બનીને વારસામાં મળેલા ચારણી સાહિત્યને એમણે ઊજળું કરી બતાવ્યું. રામભાઈને કાગબાપુની ડેલી અને ડાયરાનું વાતાવરણ સમજણા થયા ત્યારથી માણવા મળ્યું હતું. કુદરતે એમને લોકઢાળનાં ગીતો રચવાની, માણવાની અને રજૂઆત કરવાની નૈસર્ગિક શક્તિ બક્ષી હતી. મોટી ઉંમર સુધી કાગબાપુની છાયામાં એ ઢંકાઈ રહ્યા પણ કહેવત છે ને ‘સૂરજ છાબડે ન ઢંકાય' કાગબાપુનાં અવસાન પછી રામભાઈએ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના મેદાનમાં રજૂઆતરૂપી ઘોડાને વાગદડા વાગદડા કરતા દોડાવવા માંડ્યા. એમની શક્તિ આ ક્ષેત્રમાં પ્રસન્નપણે ખીલી ઊઠી. રામભાઈ ખીલે એટલે લોકસાહિત્યનો દરિયો હિલોળા લેવા માંડે. મધરાતના ભાંગીને બે કટકા થાય. પ્રાગવડના દોરા ફૂટે પણ રામભાઈના અતાગ કૂવાના વિર ન ખૂટે. એ જેવા સાહિત્યપ્રેમી હતા એવા મિત્રપ્રેમી પણ હતા. મિત્રોની સંગતમાં એમને ભારે મૉજ આવતી. વર્ષ દરમ્યાન કોઈ કારણસર એમને મળાય કે ન મળાય તો પણ દિવાળીનું ટાણું આવે ને બેસતું વર્ષ આરંભાય એટલે પોસ્ટકાર્ડ પર સરસ મજાનો દૂહો ટાંકેલું સૌ પ્રથમ દિવાળીકાર્ડ રામભાઈનું આવે. આ ક્રમ એમણે જીવનભર જાળવ્યો હતો. ઋતુચક્ર મુજબ દિવાળી અને નૂતનવર્ષ આવશે. અસંખ્ય સ્નેહીઓ, મુરબ્બીઓ અને મિત્રોના ઢગલાબંધ શુભેચ્છાપત્રો સાંપડશે પણ એ પત્રમાં ક્યાંય ‘રામ કાગ’ એવું વાંચવા નંઈ મળે. કાગ પરિવાર સાથેના નાતાને કારણે જરૂર અપેક્ષા રાખું કે ‘રામ કાગ'નું સ્થાન હવે ‘રાજવીર કાગ' લે. Jain Education Intemational પથપ્રદર્શક લોકસંગીતની દુનિયાનો એક અષાઢી અવાજ : રાજશ્રીદેવી પરમાર ભારતની ખ્યાતનામ સંસ્થા ગુજરાત લોકકલા ફાઉન્ડેશને ગુજરાતને સંખ્યાબંધ લોકકલાકારોની અણમોલ ભેટ આપી છે. એમાં સંગીતરસિયાઓની જીભે રમતું એક નામ શ્રીમતી રાજશ્રીદેવી પરમારનું છે. લોકસંગીતની કલામય કેડીએ અધિકારપૂર્વક પ્રયાણ કરી વાવાઝોડાની જેમ પ્રેક્ષકો પર છવાઈ જનાર રાજશ્રીદેવી ગુજરાતના લોકસંગીતનું મોંઘું ઘરાણું છે. લોકસંગીતના આકાશમાં અષાઢી વાદળની જેમ વિહાર કરી પોતાના કામણગારા કંઠ વડે હજારો શ્રોતાઓનાં હૈયાને આનંદથી તરબોળ કરી મૂકનાર આ કલાકારને ઈશ્વરે ખાનદાન રાજપૂત પરિવારમાં જન્મ આપ્યો. લોકસંગીતનો વારસો એને ગળથૂથીમાંથી સાંપડ્યો. લબ્ધપ્રતિષ્ઠિત લોકકલાવિદ્ અને ખ્યાતનામ લોકસાહિત્યકાર શ્રી જોરાવરસિંહ જાદવ અને માતા હેમકુંવરબાએ એને કલા અને સંસ્કારનો વિરલ એવો વારસો આપ્યો. કુદરતે એને કોયલ જેવો મધુર કંઠ આપ્યો. ગુજરાતના લોકજીવન અને લોકઉત્સવોએ એને લોકગીતો, રાંદલગીતો, લગ્નગીતો, ભજન, દુહા અને છંદોની છાબ ભરી આપી પછી તો રાજશ્રીદેવીએ પોતાના ફૂલગુલાબી કંઠ વડે સોરઠી પરંપરિત ગીતોના અબીલગુલાલ ઉડાડી લાખો પ્રેક્ષકોનાં હૈયાને ડોલાવી દીધાં. લગ્ન જેવા મંગલ પ્રસંગે, ખાનગી બેઠકોમાં અને જાહેર ડાયરાઓમાં અષાઢી કંઠે લોકગીતોની સરવાણી વહાવનાર આ કલાકારને પ્રતિષ્ઠા કંઈ રાતોરાત પ્રાપ્ત નથી થઈ. એની પાછળ એમનો દોઢ દોઢ દાયકાનાં રિયાઝ, ખંત અને પરિશ્રમ ધબકતા પડેલાં જોઈ શકાય છે. ગુજરાત સરકારનું માહિતીખાતું અને ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ઉપક્રમે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં ‘ગુજરાત દિન’ ની ઉજવણી પ્રસંગે રાજશ્રીદેવીએ ગુજરાતી લોકસંગીતની રસલ્હાણ પીરસીને ગુજરાતી અને બિનગુજરાતી શ્રોતાઓને મંગમુગ્ધ કર્યા હતા. રાજશ્રીદેવીએ લોકસંગીતના ક્ષેત્રે ડંકો વગાડ્યો. પોતાના ‘વન વિમેન શૉ’ દ્વારા ૨૫ ઑગષ્ટ ૧૯૮૯ ની સોહામણી સાંજે અમદાવાદમાં ૭૫૦ શ્રોતાઓને સમાવવાની ક્ષમતા ધરાવતો ટાગોરહોલ તે દિ' ૧૪૦૦ જેટલા લોકસાહિત્યપ્રેમી પ્રેક્ષકોથી હાંફતો હતો. અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના અતિશિવિશેષપદે યોજાયેલ ‘લોકસંગીતના સથવારે એક સાજ' કાર્યક્રમમાં મોસમના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy