SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સને ૧૯૪૦માં જાણીતા લોકસાહિત્યકાર શ્રી ગોકળદાસ રાયચુરાનો સુવર્ણમહોત્સવ ઊજવાયો. એ પ્રસંગે રાયચુરાએ રતિકુમારને ભક્તકવિ દુલા કાગનો પરિચય કરાવ્યો. પૂર્વજન્મની જાણે કે લેણ-દેણ હોય એમ પ્રથમ પરિચયે જ શ્રી વ્યાસે ભક્તકવિ દુલાભાઈ કાગને ગુરુપદે સ્થાપ્યા. એ પછી કવિ કાગ, મેરુભા અને રતિકુમારની ત્રિપુટીએ લોકસાહિત્ય, કંઠ અને કહેણી વડે લોકસંગીતની ણે કે ગંગોત્રી પ્રગટાવી. ગુજરાત -સૌરાષ્ટ્રમાં એમનો એક જબરજસ્ત ચાહક વર્ગ ઊભો થયો. કાગવાણીનાં ગીતો ચિંતકુમારના કામણગારા કંઠે ચડીને જનતાજનાર્દનના અંતરના ઊંડાણ સુધી પહોંચ્યાં. લોકગીતો અને લોકઢાળના ગીતોના ગાયક તરીકે તેમની કીર્તિ ચોતરફ ફેલાવા લાગી. કીર્તિનાં ભારે ચડાણો ચડ્યા બાદ ૧૯૪૪ના નવેમ્બર માસમાં ગોંડલ રેલ્વેના સ્ટેશનમાસ્તર શ્રી દેવશંકર ઉપાધ્યાયની દીકરી ચંદ્રિકાબહેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. લગ્ન પછી તરત જ એમના દોસ્ત આપા હમીરની સાથે કલકત્તા, ઝરિયા, જમશેદપુર, દિલ્હી અને લાહોરનો પ્રવાસ કર્યો. સને ૧૯૪૯માં મદ્રાસના ગવર્નર શ્રી કૃષ્ણકુમારસિંહજીના નિમંત્રણથી મદ્રાસ, મૈસુર, ઉટી, પોંડીચેરી વગેરે દક્ષિણ ભારતનો પ્રવાસ કરી ગુજરાતી સમાજના ઉપક્રમે લોકસંગીતના સંખ્યાબંધ કાર્યક્રમો કર્યા. સને ૧૯૫૦માં આ લોકગાયકે એડન, જીબુટી, કેનિયા, દીદેવા, એડીસબાબા, અસ્મારા, ખાર્કુમ, પોર્ટ–સુદાન, યુગાન્ડા અને ઝાંઝીબારનો ૧૧ માસનો પ્રવાસ કર્યો. ૧૯૯૦માં લંડનના પ્રવાસે જઈને ગુજરાતીઓને લોકસંગીતની રસલ્હાણ પીરસી. સને ૧૯૫૫માં શ્રી વ્યાસે દિલ્હીમાં યોજાયેલ રેડિયો લોકસંગીતમાં ભાગ લીધો. સ્વ. પં. જવાહરલાલ નહેરુજીએ શ્રી વ્યાસના કામણગારા કંઠનાં ભારોભાર વખાણ કર્યાં, એટલું જ નહિ, પણ જ્યારે જ્યારે દિલ્હીમાં પરદેશી મહેમાનો આવતા ત્યારે શ્રી નહેરુજી રતિકુમારને સંભારીને તેડાવતા. છેલ્લે મિસિસ કેનેડી ભારતમાં આવ્યાં ત્યારે તીનમૂર્તિ ભવનમાં સ્વ. પંડિતજીએ હોળી પ્રસંગે એકમાત્ર રતિકુમાર વ્યાસને જ નોતરેલા. સ્વ. રવિશંકરદાદાના હસ્તે ૧૯૭૨માં શ્રી રતિકુમાર વ્યાસનો વનપ્રવેશ મહોત્સવ ઉજવાયો. ૧૯૮૧માં દિલ્હીના ગુજરાતી સમાજે અને ૧૯૮૩માં ગુજરાતે એમની ષષ્ટિપૂર્તિ ઊજવી. ૬૦ હજાર રૂપિયાની થેલી આપી સમાજે પોતાનું ઋણ અદા કર્યું. છેલ્લાં ૧૧ વર્ષથી તેઓ ગુજરાત લોકકલા કેન્દ્રના ઉપાધ્યક્ષ હતા. સંસ્થાને વિકસાવવામાં એમનું મૂલ્યવાન યોગદાન Jain Education Intemational ૪૪૩ રહ્યું હતું. લોકસંગીત માટેનો ગુજરાત લોકકલા કેન્દ્રનો ગૌરવપુરસ્કાર પણ શ્રી રતિકુમારભાઈને પ્રાપ્ત થયો હતો. અગાઉ વડોદરાની ત્રિવેણી સંસ્થાએ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના હાથે ગુજરાતના શ્રેષ્ઠ લોકસંગીતકાર તરીકે એવોર્ડ આપીને બિરદાવ્યા. ૧૯૯૦ના ૧૨મી માર્ચે તેમનું અવસાન થયું. ગુજરાતે લાડીલા લોકગાયક ગુમાવ્યા છે. લોકનૃત્યનું બીજું નામ એટલે કુ. પ્રતિભા પંડિત રાજસ્થાન પ્રવાસન વિભાગ યોજિત જેસલમેરન રણમહોત્સવ હોય, કુલુમનાલી ઉત્સવ હાય પણ. નો મેળ હોય કે પછી ડાંગનો લોકઉત્સવ હોય ! એમાં યોજાત લોકનૃત્યોમાં રાજસ્થાની, ઝાલાવાડી કે ડાંગી ઢબછબથી અદલ નાચતાં જાજરમાન સન્નારીને જોતાંવેંત જ કલાના રસિયાઓ આનંદવિભોર બનીને બોલી ઊઠે છે : ‘અરે ! આ તો વડોદરાવાળા પ્રતિભા પંડિત આદિવાસી લોકનારીઓ સાથે કેવા એકાકાર થઈ ગયાં છે? આ વેશમાં તો ઓળખાતાંયે નથી.’ જેમનાં હૃદયનો પ્રત્યેક ધબકાર અને પગનો ઠેકો લોકનૃત્યોની સાથે અદ્ભુત રીતે એકાકાર બનીને તાલ મિલાવે છે એવા ઉંબરાના દીવા જેવા કુ. પ્રતિભા પંડિતે રાસ, ગરબા અને લોકનૃત્યોને ભારતભરનાં રાજ્યોમાં અને વિશ્વના અનેક દેશોમાં સફળતાપૂર્વક રજૂ કરી ગુજરાતને અને ભારતને ગૌરવ અપાવ્યું છે. લોકકલાના ક્ષેત્રમાં કુ. પ્રતિભાનો પાંત્રીસ, પાંત્રીસ વરસનો પુરુષાર્થ ધબકતો પડ્યો છે. એક દૈનિકે એના કલાવિભાગમાં નોંધ્યું છે કે ‘ગુજરાતમાં લોકો નવરાત્રી દરમ્યાન નવ દિવસ ગરબા ગાય છે પણ પ્રતિભા પંડિતે ગુજરાતના ગરબાને બારે મહિના જાગતો ને ઘૂમતો રાખ્યો છે. ગરબા અને લોકનૃત્યનું બીજું નામ એટલે કું. પ્રતિભા પંડિત.' આર્યકન્યા લલિકતલા મહાવિદ્યાલય વડોદરાનાં વર્ષો સુધી તેઓ આચાર્ય રહેલાં. પંડિત આનંદપ્રિયજીનાં સુપુત્રી કલાધરિત્રી કુ. પ્રતિભાનો ઉછેર ઘરઆંગણે ગુંજતા વેદમંત્રોના ધાર્મિક વાતાવરણ વચ્ચે થયેલો. પૂર્વજન્મના કલાસંસ્કારો લઈને જન્મ્યાં હોય એમ ગીત, સંગીત અને નૃત્ય જેવી લલિત કલાઓમાં એમને નાનપણથી જ ઊંડી અભિરુચિ. અભ્યાસમાં અત્યંત તેજસ્વી. સ્નાતક થયા પછી એમ. એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં જોડાઈને છ વર્ષ સુધી શ્રી કુબેરનાથ તાંજોરકરજીની પાસે ભરતનાટ્યમ્ની For Private & Personal Use Only www.jainelibrarv.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy