SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ જનતા સમક્ષ મૂકવાના એમના નિષ્ઠાભર્યા પ્રયત્નો દાદ માગી લે એવા રહ્યા હતા. મધુભાઈએ પોતાની આ બધી વિશિષ્ટ નૃત્યરચનાઓ ઇન્દિરા ગાંધી, પંડિત રવિશંકર, ફિલ્મી સિતારાઓ રાજકપૂર, સંજીવકુમાર, હેમામાલિની, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, પ્રતિમા બેદી, વિનોદ ખન્ના, આશા પારેખ, રીટા ભાદુરી અને સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકર સમક્ષ એક યા બીજા પ્રસંગે રજૂ કરી હતી. નેપાળના રાજવીના જન્મદિનની ઉજવણી પ્રસંગે તેમનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ભારતના ઇતિહાસમાં યાદગાર બની રહેલ પ્રસંગ એશિયાડ '૮૩ના ઉદ્ઘાટન પ્રસંગે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ૮૦૦૦ નૃત્યકારોએ જે અવનવા કાર્યક્રમો આપેલા તેમાં ગુજરાત તરફથી દાંડિયારાસ રજૂ કરવાની મહત્ત્વની જવાબદારી ગુજરાત સરકારે મધુભાઈને સોંપેલી. એ સમયે એમણે સૌરાષ્ટ્રનાં ગામડાં ખૂંદીને તમામ મંડળીઓના કાર્યક્રમો જોઈ, એમાંથી ૫૦૦ કલાકારોની પસંદગી કરીને એમણે રાસની નૃત્યરચના, રમનારની વેશભૂષા નક્કી કરીને એ બધાને દિલ્હીમાં રાખી ૩ મહિનાની તાલીમ આપીને એમાંથી ૨૫૦ જેટલા ચુનંદા જુવાનિયાઓનો રાસ રજૂ થયો. શક્તિ અને સ્વસ્તિક જેવા મંગલ પ્રતિકોના નાવીન્યપૂર્ણ પ્રયોગોને જોઈને એમની રાસની રચના પર લાખ્ખો પ્રેક્ષકો ઓળઘોળ થઈ ગયા. વિશ્વના કરોડો પ્રેક્ષકોએ દૂરદર્શન પર એશિયાડના ઉદ્ઘાટન પ્રસંગનો આ રાસ માણ્યો. આ પ્રસંગે હાજર રહેલા આઠ હજાર જેટલા નૃત્યકલાકારો ગુજરાતના રાસની રંગત માણી આનંદથી ઝૂમી ઊઠ્યા. વિદેશી મહેમાનોએ તાળીઓના ગડગડાટથી સ્ટેડિયમ અને આકાશ બંને ગજાવી મૂક્યાં. મધુભાઈના મુગટમાં એશિયાડના દાંડિયારાસે એક વધુ યશકલગી ઊમેરી આપી. આ માટે એશિયાડનો ખાસ એવોર્ડ એમને એનાયત થયો. ચોતરફથી પ્રશંસાના પુષ્પોનો વરસાદ વરસ્યો. ભારત સરકારની સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજના અન્વયે મધુભાઈ પટેલ મધુરજ્યોતિના નેજા હેઠળ જમ્મુ, કાશ્મીર, મધ્યપ્રદેશ, મદ્રાસ, દિલ્હી વગેરે રાજ્યો તથા ઉત્તર પ્રદેશનાં અગ્રીમ નગરોમાં સફળતાપૂર્વક પોતાના કાર્યક્રમો રજૂ કરી ભારે લોકચાહના મેળવી હતી. ગુજરાતી ફિલ્મોમાં રાસગરબાનું ધોરણ સુધરે એવા શુભાષી અનેક ચિત્રપટોમાં ‘મધુર જ્યોતિ’ના રાસગરબા રજૂ થ છે. છેલ્લે ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ માનવીની ભવાઈ'માં યમના દ્વારા રજૂ થયેલા ગરબા વિશેષ ધ્યાન ખેંચે છે. દૂરદર્શન પર અવારનવાર રજૂઆત પામતા ‘મધુર જ્યોતિ'ના ગરબાની Jain Education International પથપ્રદર્શક વેશભૂષા, સંગીત, ગતિ, તાલ, લય અને પદચલન હંમેશા નોખાં તરી આવે છે. ત્રીસ ત્રીસ વરસની મધુ પટેલની નૃત્યક્ષેત્રની સમર્પિત કામગીરીની કદર પણ થઈ છે. એમને ગુજરાત સંગીત નાટક અકાદમી તરફથી ૧૯૮૩ના વર્ષનો ગૌરવ પુરસ્કાર, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનો ૧૯૮૪ના વર્ષનો લોકકલા એવોર્ડ, ત્રિવેણી સંસ્થાનો એવોર્ડ જેવા ગૌરવ પુરસ્કારો એનાયત થયા હતા. સન ૧૯૯૫ના વર્ષમાં વડોદરાની અભિનવ ચાર્ટ એકેડેમી તરફથી આ લેખકને હસ્તે મધુ પટેલ, પ્રતિભા પંડિત અને રમા શ્રીકાંતને તેમની મૂલ્યવાન સેવાઓ બદલ ગૌરવ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. લાડીલા લોકગાયક રતિકુમાર વ્યાસ છંદ, દુહા ને સોરઠા, ભજન, ગીત, લલકાર; એટલાં આજ સૂનાં થયાં, જાતા રતિકુમાર.' ૧૦ ઑગષ્ટ ૧૯૨૧ના રોજ ગોંડલમાં તેમના મામા સ્વ. શ્રી દામોદર લાઘવભાઈને ત્યાં રતિકુમાર વ્યાસનો જન્મ. સૌરાષ્ટ્ર અને સોરઠી સંસ્કૃતિના સંસ્કારો તેમને ગળથૂંથીમાંથી જ મળ્યા. તેમનાં માતાનું નામ શાંતાબહેન અને પિતાનું નામ ભોળાશંકર પ્રેમજી વ્યાસ. પિતા એ સમયે વિનતા આશ્રમના પ્રાથમિક વિભાગમાં મુખ્યશિક્ષક હતા. આવા નિષ્ઠાવાન, સાદા અને સરળ સ્વભાવના શિક્ષક પિતાની છત્રછાયા નીચે ભાખરભરિયાં ચાલતાં ચાલતાં, પાપા પગલી ભરતાં, બા પાસે ચાનકી માંગતાં માંગતાં, કાલીકાલી વાતું કરતાં કરતાં ને હસતાં રડતાં નાનકડા રિતકુમાર છ વર્ષના થયા એટલે નવી શરૂ થયેલી રાષ્ટ્રીય શાળામાં દાખલ કર્યા. એ પછી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ સડસડાટ પૂરો કરી નાખ્યો. એ સમયે પિતા ભોળાશંકરના હૃદયમાં એવી ભાવના ખરી કે દીકરો કલાકાર બને અને કીર્તિ તથા કલદાર મેળવે. પિતાનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા કૉલેજનો અભ્યાસ શરૂ કરવાને બદલે ઉત્સાહથી થનગનતા રિતકુમારે મુંબઈ (દાદર)માં જાણીતા સંગીતકાર શ્રી નારાયણરાવ વ્યાસના વ્યાસ એકેડેમી ઑફ મ્યુઝિકમાં જોડાઈને શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ આરંભ્યો. લાગલગાટ ત્રણ વર્ષ સુધી તાલ અને સ્વરનું પૂર્ણ જ્ઞાન ખંતપૂર્વક પ્રાપ્ત કરી ગોકળીબાઈ હાઈસ્કૂલ વીલેપાર્લેમાં શિક્ષક તરીકે જોડાઈ ગયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy