SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ તો એક કાર્યક્રમ પ્રસંગે ઊભા થઈને જાહેર પણ કર્યું કે “સુલેમાનજી જુમા નોબતવાદનના એક મહાન કલાકાર છે.” સંગીતની દુનિયામાં જબરી ખ્યાતિ મેળવવા છતાં તેઓ સાદગી અને સૌજન્યની જીવંત મૂર્તિસમા હતા. યશકીર્તિની વરમાળા પહેરવા છતાં અભિમાનને એમણે નજીક આવવા દીધું નહોતું. પ્રથમ નજરે જોઈએ તો તેઓ સીધાસાદા માણસ જ લાગે. વાત કરે ત્યારે કોઈ આકર્ષણ ભલે ઊભું ન કરે, પણ નિખાલસતા એમના મોં પર નીતરતી જોવા મળતી. એમને નોબત વગાડતા જોઈએ ત્યારે કલાના વિદ્યાધર લાગે. વર્ષો પૂર્વે ભૂતપૂર્વ વાઈસરોય લોર્ડ ઇર્વિને કચ્છની મુલાકાત લીધેલી, ત્યારે એમના સ્વાગત પ્રસંગે સુલેમાન જુમાની નોબત ગૂંજી ઊઠી હતી. કચ્છના ભૂતપૂર્વ મહારાજા મદનસિંહજી બાવાના લગ્નપ્રસંગે સુલેમાન જુમાનું નોબતવાદન સાંભળીને અન્ય મહારાજાઓ પણ આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા અને જુમાને બક્ષિસો આપીને નવાજ્યા હતા. પોતાની કલાને નોબતમાં ઉતારનાર આ કામણગારા કસબીની કદર કરીને ભારત સરકારે એમને પદ્મશ્રીનો ઇલકાબ એનાયત કર્યો. ગુજરાત સરકારે ૧૯૮૪માં ગૌરવપુરસ્કાર દ્વારા એમની કલાનું બહુમાન કર્યું. એંસી એસી વરસ સુધી કચ્છી પ્રજાનું મનોરંજન કરનાર જૈફ કલાકાર શ્રી સુલેમાન જુમાનું ૧૪ ડિસેમ્બર ’૮૬ના રોજ દુઃખદ અવસાન થયું. ગુજરાતના લોકકલા-ક્ષેત્રને વર્ષો સુધી ન પૂરી શકાય તેવી ખોટ પડી. નોબતવાદનનો મૂલ્યવાન વારસો તેઓ તેમના પુત્ર-પરિવારને આપી ગયા છે એ કંઈ ઓછું આશ્વાસન નથી. ગુજરાતની જૂની રંગભૂમિના કલાકાર પ્રાણસુખ નાયક સાડા છ દાયકા કરતાંયે વધુ સમયની સુદીર્ઘ કારકિર્દી દરમ્યાન રંગદેવતાના ઉપાસક રહી, ૨૨૪૫૫ નાટ્યપ્રયોગો દ્વારા હાસ્ય અને કરુણરસની છોળો ઉડાડતા રહી ‘ગીનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ ૧૯૮૯'માં પોતાનું નામ સુવર્ણઅક્ષરે અંકિત કરી ગુજરાતી રંગભૂમિનો વિજયવાવટો વિશ્વભરમાં લહેરાવનાર અભિનયસમ્રાટ શ્રી પ્રાણસુખ નાયકનું તા. ૧૧મી માર્ચે, ૭૯ વર્ષની જૈફ વયે દુ:ખદ અવસાન થતાં જૂની રંગભૂમિના ઇતિહાસનો એક ઝળહળતો સુવર્ણદીપ બુઝાઈ ગયો. ગુજરાતના ગૌરવસમા નાટ્યકાર શ્રી જયશંકર ‘સુંદરી'ના પ્રતિભાશાળી Jain Education International પથપ્રદર્શક શિષ્ય શ્રી પ્રાણસુખભાઈ નાયકનું જયશંકર સુંદરી જન્મશતાબ્દી વર્ષના પ્રારંભે અવસાન થયું એ પણ એક યોગાનુયોગ ગણાય પોતાના અંતિમ દિવસોમાં તેમણે ગુરુ જયશંકર સુંદરીની તસવીર નીચે જ મૃત્યુ મળે એવી મનોકામના વ્યક્ત કરેલી. કેટકેટલાં પાત્રોને–સાક્ષરોના માનસસંતાનોને આગવી અભિનયસૂઝ વડે જીવંત કરનાર નખશીખ અભિનેતા શ્રી પ્રાણસુખભાઈનો જન્મ ૨૩ એપ્રિલ, ૧૯૧૦ના રોજ મહેસાણા જિલ્લાના જગુદણ તળાવની ભાગોળે દાંતરડાં યુદ્ધ કરી યાદવાસ્થળીનાં દશ્યો ભજવેલાં. ભોળી મા શોધવા નીકળે. નટખટ પ્રાણસુખ ઝાડ પર ચડી જાય. પોતાને ઘેર ભવાઈ કલાકારો આવે એટલે એમને મઝા જ મઝા. ભવાઈવેશની વાર્તાઓ સાંભળવી. સંવાદો લ્હેરથી બોલવા એ એમનો રસનો વિષય. પિતા મણિલાલ નાયક ભવાઈના ખ્યાતનામ કલાકાર. છેલબટાઉ અને રામાપીરના વેશ માટે તેઓ ખૂબ વખણાતા. એમનો અવાજ પણ એવો પહાડી. રાત્રે ગાતા હોય ત્યારે બબે ગાઉ માથે એમનો અવાજ રેલાતો. આમ પિતાજીનો સંસ્કારવારસો પ્રાણસુખ નાયકમાં નૈસર્ગિક રીતે જ ઊતરી આવ્યો. બે ગુજરાતી ચોપડીનો અભ્યાસ કરી નવ વર્ષની નાનકડી વયે રંગદેવતાની ઉપાસનાનો એમણે આરંભ કર્યો. શ્રી સુરજરામ નાયકનાં માર્ગદર્શનથી કલાકારની શક્તિને નીખરવાની તક મળી. પંદર વર્ષની વયે તો મુંબઈ ગુજરાતી નાટક મંડળીના નાટકોમાં સ્ત્રીની ભૂમિકામાં પ્રાણસુખભાઈ ખૂબ જ ખીલી ઊઠ્યા. એ પછી દોઢ દાયકા લગી આ કંપનીનાં નાટકોમાં સ્ત્રીપાત્ર ભજવીને તખતા પર રજૂ થયેલ વિખ્યાત સ્ત્રીપાત્ર કરનાર કલાકારોમાં પ્રથમ હરોળનું સ્થાન પામ્યા. ગુજરાતી રંગભૂમિ પ્રાણસુખભાઈના અભિનય અને અવાજથી વર્ષો લગી એકધારી ગૂંજતી રહી. પાછળથી એમને જયશંકર ‘સુંદરી' જેવા ગુરુનો સથવારો સાંપડ્યો. દીનાબહેન પાઠકનું માર્ગદર્શન મળ્યું. પછી તો પ્રાણસુખભાઈ પ્રેક્ષકોના મનોરાજ્યના નટસમ્રાટ બની રહ્યા. એમ કહેવાતું કે પ્રાણસુખ નાયક તખતા ઉપર પગ મૂકે એટલે તખતાનું યૌવન પાંગરવા માંડતું. પ્રાણસુખભાઈ કલાકાર આત્મા હતા. રંગભૂમિ તરફની એમની નિષ્ઠા અને ભક્તિ અજોડ હતાં. વર્ષો પૂર્વે એમની નાટક મંડળીના ખેલો અમદાવાદમાં ચાલતા. રવિવારનો દિવસ. ખેલ હાઉસફૂલ. એ જ દિવસે એમનાં ધર્મપત્નીનું અવસાન થયું. બપોરે અગ્નિદાહ દઈને સાંજે રંગમંચ પર હાજર થયા. જયશંકરભાઈ અને બાપુલાલ નાયકે ઠપકો આપ્યો : ‘આજ તારાથી નાટક ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy