SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ પ્રેક્ટીસ કરે છે. તેઓ રોજ રાત્રે અર્ધાથી એક કલાક પાવો વગાડે છે. એમ ન કરે ત્યાં સુધી તેમને ઊંઘ નથી આવતી. પાવો તો એમનો પ્રાણ છે. એમનો ૧૧ વર્ષનો નાનો દીકરો લોકગીતો, ભજન, દુહા, છંદ, પેટી વગાડીને ગાય છે. એનાં ભજનના કાર્યક્રમમાં પોતે સંગીત પાવા માથે ભજન વગાડે એટલે ચોકમાં કિડિયારું ઉભરાણું હોય એમ મનેખ ક્યાંય માય નંઈ. સૌરાષ્ટ્રના છેલ્લા સુરંદાવાદક સિદ્દિકભાઈ જત ૨૭ નવેમ્બર ૧૯૮૮ નો એ દિવસ હતો. નવી દિલ્હીમાં આવેલા પ્રગતિ મેદાન ખાતે ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર શેળામાં ‘ગુજરાત દિન' ની ઉજવણી થઈ રહી હતી. માહિતીખાતાના ઉપક્રમે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન તરફથી ગુજરાતી લોકસંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હૈયેહૈયું દળાય એવી માનવમેદનીથી મેળાનું મેદાન હાંફતું હતું. ત્યાં સાંજના પાંચેક વાગ્યાના સુમારે ખુલ્લા રંગમંચ પર બેસીને ગુજરાતના જાજરમાન જત કલાકારે સુરંદા માથે કચ્છી રંગરાગિણીની સુરાવલીઓ વહેતી કરી. તાલના તરવૈયા હાજી રમકડુંએ તબલાં માથે તોડા ફેંકવા માંડ્યા. પછી એણે નાલ હાથમાં લીધી. નાલ અને સુરંદાની જામી પડેલી જુગલબંદીનો અવાજ કાને પડતાં મેળો જોવાનો મોહ પડતો મેલીને રંગમંચ ફરતો માનવ મહેરામણ હેલે ચડ્યો. આમાં બધા ગુજરાતીઓ નહોતા. સંગીતને સમજનારા ય સૌ દોડી આવ્યા હતા. સુરંદો ભારતનું પરંપરિત પ્રાચીન લોકવાદ્ય છે. ઉત્તર ભારતમાં એ ‘સરિન્દા'ના નામે જાણીતું છે. સિંધ-પાકિસ્તાનમાં પણ તારનું આ તંતુવાદ્ય ખૂબ જ લોકપ્રિય છે. સારંગીમાંથી આ વાઘની ઉત્પત્તિ થઈ હોવાનું ભગવદ્ગોમંડલ કોશમાં નોંધાયું છે. અન્ય પ્રદેશોમાં સુરંદાનું જે સ્વરૂપ-આકાર જોવા મળે છે તે કરતાં કચ્છી જતોનો સુરંદો વધુ કલાપૂર્ણ અને કાષ્ઠકોતરણીથી નખશીખ કંડારેલો હોય છે. એનો કલાઘાટ કળા કરેલા મયૂરની કમનીય પ્રતિકૃતિ જ લાગે. વળી સિદ્દિકભાઈ સુરંદાની ફેણ અને ખીલા ઉપર રંગબેરંગી ઊન અને મોતી માં ફૂમતાં ટાંગતાં ત્યારે સુરંદાનું રૂપ વધુ રૂડું લાગતું. સુરંદામાં સ્ટીલના પાંચ અને પિત્તળનો એક મળીને છ તાર હોય છે તેની અટપટી રચના અને ખાસ પ્રકારની આ લડતને કારણે જૂજ લોકો જ તેને વગાડી જાણે છે. સુરંદો વિતત્ વાઘ હોઈ ઘોડાના પૂંછડાના વાળમાંથી બનાવેલા રાજ વડે જ એને વગાડી શકાય છે. સિંધી ભાષાને જેમણે હકીકી પ્રેમના રંગે રંગીને શણગારી Jain Education International પથપ્રદર્શક છે. આજે પણ જેમના બેતો, કાફીઓ, સિંધ અને કચ્છની જનતાને પ્રેમમસ્તીમાં તરબોળ કરી દે છે એવા રસાલો શાહ અબ્દલતીફ ભિટાઈ જો'ના કર્તા શાહ અબ્દુલ લતીફ (સંવત ૧૭૪૫) મહાન સંત અને શાયર હતા. એમણે સૂર કલ્યાણ, ખંભાત, હુસેની, સોરઠ, રામકલી, રાણી, ઢોલ, મારૂઈ, કારાયલ, માઝૂરી, કોહેયારી, દેશી, કામોઢ, કેશરો, બિલાવલ, મારઈ, હીર રાંઝા જેવા છત્રીસ સૂરો (રાગ)માં બ્રહ્મમય જગતને એ મહામંત્રનો નિર્દેશ આપ્યો છે. આ છત્રીસ રાગોમાંથી મોટા ભાગના બારથી પંદર જેટલા રાગોની સાધના સિદ્દિકભાઈએ સાધ્ય કરી હતી. જૂના કાળે કાફી તરીકે ઓળખાતી સંત અબ્દુલ લતીફ ભીટાઈની સૂફી કવિતા વિવિધ શાસ્ત્રીય અથવા હિન્દુસ્તાની સંગીતના કેટલાય શાસ્ત્રીય રાગો માલધારી જતો સુરંદા પર સરસ રીતે વગાડી જાણતા. સુરંદો પણ તેઓ જાતે બનાવી લેતા. એવો સુરંદો બનાવનાર સિદ્દિકભાઈના મામા હબીબભાઈ અને તેમના પિતરાઈ ભાઈ આમદભાઈ સુમારભાઈ જત ભરુચ જિલ્લાના હાંસોટ ગામે રહેતા. તેમના બંનેનાં અવસાન પછી સુરંદો બનાવનાર કોઈ કલાકાર આજે હયાત હોવાનું ઋણમાં નથી. આમદભાઈએ બનાવેલો છેલ્લો સુરંદો સંગીત નાટક અકાદમી નવી દિલ્હીને શ્રી સિદ્દિકભાઈએ મોકલાવી આપ્યાનું આ લેખકની જાણમાં છે. જત સંસ્કૃતિના છડીદાર શ્રી સિદ્દિકભાઈ સાવલાણી જત હતા. કચ્છના અબડાસા તાલુકાનું ગુનાઉ એમના બાપદાદાનું ગામ. બાપદાદા થોડી જમીન, ગાયો, ભેંસોને ઊંટો રાખતા. એના ઉપર જીવન ગુજારો કરતા. સોએક સાંઢિયા બીજાના ચરાવવા રાખતા. એ કાળે ગુલાબ કેહરી ફકીરનું નામ સુરંદાવાદક તરીકે ખૂબ જાણીતું હતું. સિદ્દિકભાઈના કાકા મુસા કરીમ પણ સરસ સુરંદો વગાડતા. શિયાળે ઉનાળે રોજ રાત્રે સૌ આનંદ કરવા ભેગા થતાં. તે વખતે કચ્છી ભેત અને કાફીઓ ગવાતી. સુરંદો, જોડિયો પાવો, કાની (નડ–લાંબો પાવો) ઘડી (માટીનો ઘડો) અને ઢોલક માથે તાલ અને સૂરની રમઝટ જામે ત્યારે ઘડીભર રાત પણ થંભી જાતી. સ્વર્ગના સંધાય સુખો જાણે કે ધરતી પર રમવા ઊતરી આવતા હોય એવા દિવ્ય આનંદની અનુભૂતિ થતી. બસ ત્યારથી સિદ્દિકભાઈનું હૈયું સુરંદા માથે ઓળઘોળ થઈ ગયું. સુરંદાને સમર્પિત કલાકારની સાધના ચાલતી રહી. સને ૧૯૯૦-૯૧ના વર્ષમાં ગુજરાત સરકારે કલાની કદર કરીને એમને ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો. પુરસ્કાર પેટે સૌ પ્રથમવાર એકી સાથે હાથમાં આવેલી મોટી રકમ એમણે પત્નીની માંદગી પાછળ ખર્ચી નાખી. છતાંય એમનાં પત્નીને સુવાણ્ય નો આવી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy