SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ પથપ્રદર્શક ઊંચા ગજાના કવિ રોહડિયા ધૂળ, ઢેફાં અને પ્રકૃતિ સાથે મહોબત બાંધીને ચિરંજીવ ગીતોના સર્જક ભગુભાઈ રોહડિયા રાજકોટ જિલ્લાના ધૂના ગામના વતની હતા. સાહિત્ય અને ચારણી સાહિત્યનો વારસો અને વાતાવરણ તેમને ગળથુથીમાંથી મળ્યાં હતાં. કારાણી પચ્ચીસીના દુહાઓ તેનું ઉદાહરણ છે. કવિ દુલા કાગ અને દાદુદાન ગઢવીના પેગડામાં પગ ઘાલીને અધિકારપૂર્વક ઊભા રહે એવા આ કવિએ નીતર્યા નીર જેવાં માત્ર એંશી જેટલા જ ગીતો રચ્યાં છે. તેમાં ‘પ્રભાતિયું” અને “સાંજ' ઉત્તમ છે. સૌરાષ્ટ્રની ધરતીની ધૂળમાં આળોટીને ઉછરેલા આ ખેડૂતપુત્રને પ્રકૃતિ, પશુ, ગામડું, ગામડાનું લોકજીવન, તેનાં ખાનપાન, પરોણાગત બધું ખૂબ જ પસંદ હતું. આથી એમનાં ગીતોમાં એમણે એ બધાને સ્થાન આપ્યું. માત્ર દસ ચોપડી ભણેલા આ ખેડૂતપુત્ર ખેતી કરતા કરતા ફતેપર સહકારી મંડળીના મંત્રી બન્યા. પણ કવિતા, નોકરી ને ખેતી એ ત્રણ ઘોડાની સવારી કરવા જેવું કઠિન કામ હતું. આથી થોડા વરસ નોકરી કરી મંડળી મૂકી દઈ મા સરસ્વતીને ચરણે કાવ્યસાધના શરૂ કરી. ઘરના ફળિયામાં બેઠક બનાવી મામાના દીકરા કવિ દાદ સાથે કાવ્યચર્ચા અને ટીકાટિપ્પણ કરે. જબરી કોઠાસૂઝ ધરાવતા મુલાયમ સ્વભાવના અને વાતડાહ્યા આ કવિનું દિલ મોટું અને રોટલો ય મોટો. મહેમાન પરોણા જોઈ તેમણે કયારેય ટૂંકું મન કર્યું ન હતું. વળી વડલાસમાં કુટુંબના વડીલ અને જવાબદાર એવી આ વ્યક્તિને કુટુંબ માટે અપાર પ્રેમ. તેઓ શુભેચ્છકોની લાગણીને માન આપી મુંબઈ ગયા. “સોના ઈંઢોણી રૂપા બેડલું', ‘નમણી નાગરવેલ', ‘ગંગાસતી’, ‘અલખને ઓટલે’ આ ફિલ્મો માટે લોકઢાળનાં ગીતો લખી આપ્યાં. પણ તેમનું મન ન કોળ્યું એટલે મુંબઈથી પોતાને ગામ પાછા આવ્યા અને ૨૫ હજાર રૂપિયાની મળેલ રકમ બચરવાળ ભાઈના દીકરાનાં દવાદારૂમાં વાપરી નાખ્યા. એટલું જ નહીં તેને પોતાની કીડની આપવા પણ તૈયાર થયા. આવા ઉદાર હૃદયી ઉચા ગજાના આ કવિ માત્ર ૬૭ વર્ષની ઉંમરે તા. ૫-૧૧-૨૦૦૨ના રોજ સ્વર્ગે સિધાવ્યા. સૌરાષ્ટ્રના સમર્થ ભજનિક મોહનલાલ રાયાણી રામસાગરના સૂરે કામણગારા કંઠમાંથી સરિલી સંતવાણીથી જનહૈયાને ભીંજવનાર કલાકાર એટલે સૌરાષ્ટ્રના સમર્થ ભજનિક મોહનલાલ રાયાણી. માથે ફાળિયાનો ફેંટો, ઝભલ્મો ને ધોતિયું, પગમાં દેશી ચંપલ ને હાથમાં રામસાગર. ભાવનગર જિલ્લાના સોનગઢના વતની અને દરજીના દીકરા મોહનલાલમાં પૂર્વજન્મના ભક્તિના સંસ્કારે ધંધા કે કુટુંબની માયાનું વળગણ જરાપણ ન રહ્યું. ભણતર તો માત્ર બે ગુજરાતીનું પણ દેશી ભજનની ગાયકીમાં તેમનું ગૌરવપૂર્ણ સ્થાન. નાદબ્રહ્મના ઉપાસકની ગાયકીમાં શબ્દ અને સૂરના સંગાથની સાથે અંતરની આરત ભળેલી હતી. અવાજના વિશિષ્ટ રણકા અને સ્પષ્ટ ઉચ્ચારણને કારણે તેમણે ગાયેલાં ભજનમાંથી પ્રત્યેક શબ્દ મોતીની જેમ વણી શકાતો. તેમના ગળાની હલક, નરવો અવાજ, અંતરની આરઝૂ અને દેશી ગાયકીને કારણે તેઓ શ્રોતાઓનાં હૈયા પર છવાઈ જતા. ગણેશવંદના અને સંધ્યાથી શરૂ થઈ પ્રભાતી અને પ્રભાતિયાથી [એટલે કે રાત્રિના ૧૧ કે ૧૨ કલાકથી શરૂ કરી પરોઢિયે પાંચ વાગ્યા સુધી] તેમનો કાર્યક્રમ પૂર્ણ થતો. વિવિધ ભજનિકોની પ્રગટ, અપ્રગટ અને અલ્પ પરિચિત ભજનવાણીથી તેમનો કંઠ ખીલી ઊઠતો. તેમણે જીવનભર ગાયેલાં ત્રણેક હજાર ભજનોની હાથે લખેલી નોટોનો સંગ્રહ તેમના મરણ પછી તેમના ભત્રીજા પ્રભુદાસભાઈએ જોરાવરસિંહ જાદવને હાથોહાથ પહોંચાડ્યા. ઇ.સ. ૧૯૮૯માં સંતસુધા ભાગ-૧માં તેનું સંપાદન પ્રગટ થયું. આકાશવાણી રાજકોટના આ લોકગાયક રેડિયોના રાષ્ટ્રીય સંગીત સંમેલનમાંથી પાછા ફરતા સ્ટેશન પર પગથિયું ચૂકી જવાથી પડી ગયા. પગના થાપામાં ફ્રેકચર થયું અને ૬-૩૧૯૮૪ના રોજ આયખાના એંશીમા વર્ષે પ્રભુને પ્યારા થયા. ( સૌરાષ્ટ્રની ભવાઈનું ઘાટીલું ઘરેણું બાબુલાલ વ્યાસ ભવાઈના પિતામહ અસાઈતની ૨૨મી પેઢીના વંશજ બાબુલાલ વ્યાસ મૂળ કડી-કલોલ પાસેના પીજ ગામના વતની. ત્યાંથી તેમના વડવા જજમાનો સાથે સૌરાષ્ટ્રમાં મચ્છુકાંઠાના ખાખરામાં આવી વસ્યા હોવાથી તેઓ ‘મજોકઠિયા વ્યાસ' તરીકે ઓળખાવા માંડ્યા. બાબુભાઈના કુટુંબમાં ૧૧ પેઢીથી ભવાઈની પરંપરા ચાલતી આવે છે. ૨૬-૧૨-૩૩ના રોજ જન્મેલા બાબુલાલને ભવાઈનો વારસો ગળથૂથીમાંથી જ સાંપડ્યો. નાનપણમાં ટોળાની ભવાઈ જોતાં જોતાં બાળકે બાબુલાલ મનમાં તાલ, નૃત્ય, લય ગોઠવવા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy