SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૪૩૫ લોકકલાઓના વૈવાલિકો – જોરાવરસિંહ જાદવ આ પૃથ્વી પર પ્રાણી માત્રને સૌંદર્યવૃત્તિ વળગેલી છે. સુંદર દેખાવું, સુંદર અનુભવવું, સુંદરતાની ખેવના કરવી એ દરેકની હંમેશની ઊંડી ઇચ્છા રહી હોય છે. એટલે તો માત્ર નગરજીવનની રૂપકડી કલાઓમાં જ નહિ, પરંતુ સીમવગડાના છેવાડાના માણસમાં પણ રોજબરોજની જિંદગીમાં કલા કસબનાં દર્શન થતાં હોય છે. આમ નહિ, પણ આમ કરવાથી તે વધુ સુંદર લાગશે એવી દૃષ્ટિ દરેકમાં હોય છે. એમાંથી જ લોકકલાઓ જન્મી છે અને વિકસી છે. પછી તે ભલે ઓસરીની ઓકળીઓ હોય કે આંગણાની રંગોળીઓ હોય. ભરતગૂંથણ, વેશભૂષા અને માટીકામ હોય કે ગાયન-વાદન-નર્તન-નાટકના મેળાવડા હોય. કથાકારોની કહેણીઓમાં, ભવાયાની ભજવણીમાં, રાસગરબાની રમઝટમાં, ગીતભજનના લલકારમાં અને વાદ્ય-ગાનની સૂરાવલિઓમાં આ લોકકલાઓનાં દર્શન થાય છે. સામાન્ય માનવને આ સૌંદર્યની આરાધનાએ કેવાં કેવાં પ્રેરણાપીયૂષ પાયાં હશે એ તો ઊંડો વિચાર કરીએ તો જ સમજાય. [ આ લેખમાળા રજૂ કરનાર લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરનાર શ્રી જોરાવરસિંહજીભાઈ જાદવનો જન્મ આકરૂ (તાલુકા ધંધુકા) મુકામે શ્રી દાનુભાઈ હાલુભાઈના ખાનદાન ખેડૂતને ખોરડે ૧૦મી જાન્યુઆરી ૧૯૪૭ના રોજ થયો. ૧૯૫૭માં ગુજરાત વિદ્યાપીઠમાં એસ.એસ.સી. ની પરીક્ષા અને તે પછી અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાંથી બી.એ. ની પરીક્ષા પાસ કરી. ૧૯૬૩માં ભો. જે. વિદ્યાભવનમાંથી એમ.એ. થયા. સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં થોડો સમય માનદ્ અધ્યાપક તરીકે સેવા આપી, ૧૯૬૪માં ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી તરીકે જોડાયા. સહકાર સાપ્તાહિક અને ગ્રામ સ્વરાજ માલિકના સંપાદક અને સહતંત્રી બન્યા. તેમની મહત્ત્વની કામગીરીમાં ગુજરાતમાં વસતા ૩૦૦૦ ઉપરાંત લોકકલાકારોનું સર્વેક્ષણ કર્યું અને તેમાંથી ૨૦૦૦ જેટલા કલાકારો તેમની રાહબરી નીચે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ઉપક્રમે દેશભરના રાજ્યોમાં અને નગરોમાં નિયમીત રીતે લોકસાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રંગમંચ ગજવે છે. લોકકલાકારોના ડાયરાઓનું સંચાલન પણ બે દાયકાથી સફળતાપૂર્વક કરી રહ્યા છે. લોકવિદ્યાના ક્ષેત્રે પણ તેમનું મહત્ત્વનું પ્રદાન છે. “નૂતન ગુજરાતમાં ૫૦૦ જેટલા લેખો લોકસંસ્કૃતિ ઉપર લખ્યા. અનેક માસિકોમાં ગુજરાતના લોકકલાકારો વિષે પરિચય કરાવતા રહ્યા છે. ગુજરાતની લોકસાંસ્કૃતિક પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર મૂકી છે. પુરાતત્ત્વમાં પણ તેઓ ઊંડો અભ્યાસ ધરાવે છે. સિંધ-પાકિસ્તાનથી ભાલ સૌરાષ્ટ્ર સુધી વિસ્તરેલા હડપ્પા સામ્રાજ્યની વધુ કડીઓ તેમણે મેળવી આપી છે. અમદાવાદ દૂરદર્શન, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સમિતિ, ગુજરાત લોકકલા પરિષદ, ગુજરાત સંગીત નાટક અકાદમી, શ્રેયસ લોકકલા સંગ્રહસ્થાન, ગુર્જર ગ્રંથ ભવન ટ્રસ્ટ, ભારતીય સાહિત્ય સંસદ વગેરે સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. આ પુરુષાર્થી સંશોધકને અનેક એવોર્ડ્સ મળ્યા છે. લોકકથાઓના તેમના ગ્રંથો અભ્યાસક્રમમાં પણ મૂકાયા છે. તેમણે ૮૫ જેટલાં સચિત્ર પુસ્તકો પ્રગટ કર્યા છે. ઉત્સાહથી લોકસંસ્કૃતિના ક્ષેત્રને ચેતનવંતુ રાખનાર શ્રી જોરાવરસિંહજીભાઈ અત્યારે ગુજરાત લોકકલા કેન્દ્ર અને ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક, માનદમંત્રી અને મેનેજીંગ ટ્રસ્ટી તરીકેની સેવાઓ આપી રહ્યા છે. ધન્યવાદ. – સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy