SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) આવા સ્વધર્મનિષ્ઠ કર્મયોગી અને નિસ્પૃહ વ્યક્તિઓનાં જીવન હંમેશાં પ્રેરણાદાયી બને છે. વિભાગ-૨ અધ્યાત્મમાર્ગના યાત્રીઓ આ વિભાગના કુલ નવ લેખોમાં ચાર લેખો જૈન સંપ્રદાયના અનોખાં જ્યોતિર્ધરો વિશે છે. જેઓ સંપ્રદાયમાં રૂઢ રીત બંધાઈને રહેનારાં નહિ પરંતુ જૈન ધર્મ અનુસાર તપ, સંયમ, ઉપાસનાનું સંપૂર્ણપણે પાલન કરનારાં જૈન સાધુ-સાધ્વીઓ છે. · ‘સ્થાનકવાસી જૈન સંપ્રદાયના જ્યોતિર્ધરો'ના લેખક શ્રી ગુણવન્તભાઈ બરવાળિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જૈન ધર્મ-સાહિત્ય અને દર્શનશાસ્ત્રના અભ્યાસી, આલેખક અને પ્રચારક છે. સ્થાનકવાસી જૈન સંપ્રદાયની ઐતિહાસિક રૂપરેખા આપીને, સંપ્રદાયને વિશિષ્ટતા અર્પનારા નવ જ્યોતિર્ધરો–જૈનમુનિઓ-જેઓ અંધકારભર્યા વાતાવરણમાં પ્રકાશનું કિરણ લઈને આવ્યા તેમ કહીને તેમનો પરિચય આપ્યો છે. જેઓ જ્ઞાન-ઉપાસનાને ધર્મરક્ષાનો માર્ગ ગણે છે. પરમશ્રદ્ધેય જ્ઞાનના ઉપાસક તપસ્વી માણેકચન્દ્રશ્રી મહારાજનાં વચનો લેખકે ટાંક્યાં છે. જે જ્ઞાનમાં સ્વ અને પરના વિવેકની બુદ્ધિ જાગૃત ન થાય તે જ્ઞાન, જ્ઞાનની કોટિમાં આવી ન શકે. જ્ઞાનનું અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ છે.” તો વિશ્વવાત્સલ્યના આરાધક મુનિશ્રી સંતબાલજીએ જૈનધર્મને સાંપ્રદાયિક વાડાબંધીમાંથી મુક્ત કરીને વિશ્વધર્મ બનાવવાની કલ્પના આપી. જ્યારે પૂ. આનંદઋષિજી મહારાજે સાધુ એકતાનું વ્યાપક ચિંતન રજૂ કર્યું તેની વાત લેખકે કરી છે. તેરાપંથ સંપ્રદાયના ધુરંધર આચાર્યો'ના લેખક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી રશ્મિભાઈ ઝવેરીએ ૬૫ વર્ષની ઉંમરે જૈનોલોજીમાં એમ.એ.ની ડીગ્રી મેળવી છે. હાલમાં પી.એચ.ડી.નો અભ્યાસ કરે છે. અહીં તેમણે જૈન સંપ્રદાયના ત્રણ ક્રાંતિકારી મુનિઓ : આચાર્યશ્રી ભિક્ષુ, યુગપ્રવર્તક આચાર્યશ્રી તુલસી અને અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞની વ્યક્તિ પ્રતિભા અને રૂઢ પરંપરા સામે સુધારાલક્ષી કાર્યોની વિગતો આપી છે. પાનખરમાં ખીલ્યાં ગુલાબ'માં સ્થાનકવાસી સમાજનાં પૂર્વકાલીન સાધ્વીરત્નોનો ગૌરવગાથાનું આલેખન કરનારાં શ્રીમતી પ્રવીણાબહેન ગાંધી એમ.એ., બી.એડ્. થયેલ છે. અહીં તેમણે તપસ્વી, પ્રભાવશાળી અને પ્રેરણારૂપ બનતાં ૧૬ પૂ. મહાસતીજીઓનાં વ્યક્તિત્વની સાદર ઝાંખી કરાવી છે. વર્તમાન બને છે ભૂતકાળ’. સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકે શ્રાવક જતીનભાઈ શાહ અને તેમનાં ધર્મપત્ની ભારતીબહેન-જૈઓ જૈનધર્મના પ્રભાવ નીચે સંસારથી વિમુખ અને ધર્મપ્રતિ અભિમુખ બન્યાં, દીક્ષા ગ્રહણ કરી–એવાં અનોખાં દંપતીના આધ્યાત્મિક વિકાસની ગતિવિધિનો સંક્ષેપમાં, પ્રેરણાદાયી પરિચય કરાવ્યો છે. સેવાધર્મની સાધિકાઓ'ના લેખક અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બિપિનચન્દ્ર ૨. ત્રિવેદીને ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ અને લોકસાહિત્યમાં ઊંડો રસ છે. જુદી જ્ઞાતિ, કક્ષા અને પરિસ્થિતિમાંથી સેવાધર્મની જ્યોત પ્રગટાવનારાં ૯ પ્રતિભાશીલ નારીઓનાં વ્યક્તિત્વોનો અર્થપૂર્ણ અને ભાવવાહી શૈલીમાં પરિચય કરાવ્યો છે. જેમાં છે સમાજસેવાનાં ભેખધારી અનુબહેન ઠક્કર, માનવસેવાનાં વ્રતી પૂ. શ્રી મા અનંતાનંદજી, સેવામૂર્તિ કાશીબા વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy