SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) ગુજરાતનાં મહિલા કથાકારો'-માં પ્રા. બિપિનચન્દ્ર ત્રિવેદી અને કિશોરચન્દ્ર ત્રિવેદીએ સંયુક્તરૂપે ૧૧ મહિલા કથાકારોનો સંક્ષેપમાં પરિચય આપી, ૩૦ જેટલાં મહિલા કથાકારોનો નામોલ્લેખ કર્યો છે. હવે ધાર્મિક ક્ષેત્રે ક્ષિતિજો વિસ્તરતી જાય છે. હવે માત્ર પુરુષો જ ધાર્મિક પ્રવચનકાર નથી રહ્યા મહિલાઓ પણ ઉત્તમ કથાકાર બની છે. લેખકો કહે છે તેમ “વિવિધ ધર્મગ્રંથો સામાન્ય માણસ કયાં વાંચવા જાય? એ તો એક સામટા મળે છે કથામંડપમાંથી! ધર્મભાવનાની દઢતા, ઐકય, મિલન, શ્રદ્ધાસહિત સદ્ગુણોનું સિંચન કથાથી શક્ય બને છે. ગુજરાતી પ્રણામી મનીષીઓ'ના લેખક ડૉ. મહેશચન્દ્ર પંડ્યા પ્રાધ્યાપક, સંશોધક અને કવિ છે. જામનગરમાં સ્થપાયેલ “પ્રણામી’ ધર્મના જાણકાર છે. અહીં તેમણે ૧૪ પ્રણામી મનીષીઓએ ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કઈ રીતે કર્યો હતો તેનો સંક્ષેપમાં છતાં વિગતપૂર્ણ પરિચય કરાવ્યો છે. ‘વંદનીય મુસ્લિમ સંતો'માં પત્રકાર અને સાહિત્ય સંશોધનમાં રસ ધરાવતા નૌતમભાઈ દવેએ કોમી એકતાના પ્રતીકસમાં ૨૦ મુસ્લિમ રામ, કૃષ્ણ ભક્તોનો પરિચય સદેખાત્ત કરાવ્યો છે. ભારતની–ગુજરાતની એક વિશેષતા એ રહી છે કે અધ્યાત્મની ઉપાસના અને જ્ઞાનના મરમી સંતો જેમ હિન્દુ છે તેમ મુસ્લિમ પણ છે. વળી તેઓ રામ, કૃષ્ણ, હનુમાનજીના ભક્તો છે. તેના સૌથી પહેલા પ્રતિનિધિ કબીર છે. જ્યાં કોઈ ધર્મ-સંપ્રદાયનાં બંધનો નથી. અધ્યાત્મ ઉપાસનાની આ જ સાચી દિશા છે ને! ગુજરાતના તંબૂર એવી ભજનિકો'માં ભજનસાહિત્યના અભ્યાસી ડૉ. નિરંજન રાજયગુરુએ, તીર્થસ્થળોમાં અને લોકમેળાઓમાં લોકગીતો, ભક્તિસંગીતની રમઝટ બોલાવનારા તંબૂરસેવી ભજનિકોનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો છે. અધ્યાત્મ ઉપાસનામાં ભજનો જીવનને પ્રેરણારૂપ બનતાં હોય છે. વિભાગ-૩ બહુવિધ ક્ષેત્રે સમર્પિત જીવનદર્શન આ વિભાગના ૧૧ લેખોમાં જુદાં જુદાં ક્ષેત્રના મહાનુભાવોના મહત્ત્વના યોગદાનની અને પ્રભાવશાળી વ્યક્તિત્વની સંક્ષિપ્ત છતાં વિગતસભર ઝાંખી કરાવવામાં આવી છે. ગુજરાત અને ગુજરાત બહાર નાગર પ્રતિભાઓ'ના લેખક પ્રા. કિરીટભાઈ બક્ષી અર્થશાસ્ત્રના અધ્યાપક અને પછી આચાર્ય. અધ્યયન, અધ્યાપન, લોકસંપર્ક એ ગમતી પ્રવૃત્તિઓ. સમાજને કંઈક આપી જવાની ભાવના અને મહત્ત્વાકાંક્ષા. કુશાગ્ર બુદ્ધિ અને સાહસિક પ્રકૃતિના નાગર મહાનુભાવોનું ગુજરાતના વિકાસમાં ઉલ્લેખનીય પ્રદાન છે. લેખકે નોંધ્યું છે કે “નાગરોએ સાહિત્ય, સંગીત, લલિતકલા, સમાજ સુધારણા (મધ્યકાળમાં યુદ્ધક્ષેત્રમાં પણ) રમતગમત, અધ્યાત્મ વિદ્યા, રાજકારણ, વહીવટી સેવાઓ, સનદી નોકરીમોમાં પોતાનું હીર ઝળકાવ્યું છે.” વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહીને ગણનાપાત્ર કામ કરનાર વ્યક્તિઓનો અહી રસવાહી શૈલીમાં પરિચય કરાવ્યો છે. ‘ભારતના યશસ્વી કલાધરો રચતિ, મુત્રધાર, શિલ્પી”માં વિદ્વાન પ્રાધ્યાપક, કલામર્મજ્ઞ, અને ભારતીય સંસ્કૃતિના વિષયમાં અધ્યય . સંશોધન કરનાર ડૉ. આર. ટી. સાવલિયાએ પ્રાચીન કાળના સ્થપતિશિલ્પીઓનો ભૂમિકારૂપ નિ ૬ ૨૪ કરીને ગુજરાતના કલાધરોનાં કાર્ય અને વિશેષતાઓ વર્ણવ્યાં છે. - ‘વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ' + કે પિપીનચન્દ્ર યુ. પરીખ વ્યવસાયે ઇજનેર. સામાજિક અનિષ્ટો સામે ( ર એવા ના પાન નક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy