SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩). કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યથી આરંભીને આજપર્યંતના સાહિત્યસર્જકોનો સંક્ષેપમાં પરિચય કરાવવાનું અઘરું કાર્ય શ્રી રમેશભાઈ શાહે સફળ રીતે કર્યું છે. સર્જકોનાં શબ્દચિત્રોની સાથે હૂબહૂ રેખાંકનો કરી આપ્યા છે ચિત્રકાર સવજીભાઈ છાયાએ. જે સર્જકના વ્યક્તિત્વને પ્રત્યક્ષ કરાવી આપે છે. શ્રી સવજીભાઈ દ્વારકાધીશના ભક્તિભર્યા સાનિધ્યમાં વસે છે. લેખકે નોંધ્યું છે તેમ “સવજીભાઈની ચિત્રકળાને એમના સ્નેહભૂખ્યા સ્વભાવની મીઠાશના ચાર ચાંદ લાગેલા છે.” ગુજરાત બહાર ગુજરાતનું ગૌરવ' માં શ્રી દોલત ભટ્ટ ગુજરાત બહાર જઈને વસેલા ૧૯ મહાનુભાવોના વ્યક્તિત્વની ઝાંખી કરાવી છે. હતા મનેખ'ના લેખક શ્રી રાઘવજી માધડ “કાઠિયાવાડની સગંધ વહેંચતા સર્જક' છે. તેમણે મૈત્રી. ઉદારતા, ટેકના પ્રતીકસમાં ઠાકોર, રાજવીઓનો આલંકારિક શૈલીમાં પરિચય કરાવ્યો છે. ‘ગાંધી પથના, પ્રેરક દીપકોનાં લેખકો શ્રી મનુભાઈ પંડિત અને શ્રીમતી ભારતીબહેન પંડિત ગાંધી વિચારધારાને જીવનમાં ઉતારીને સાહિત્યલેખન, પ્રવૃત્તિ કરનારાં દંપતી છે. અહીં ગાંધી ચીંધ્યા માર્ગે લોકસેવાને સમર્પિત એવા ૪૦ મહાનુભાવોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. ‘દક્ષિણ ગુજરાતના ગાંધી વિચારના પ્રેરકોમાં ઇતિહાસવિદ્દ વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. પંકજભાઈ દેસાઈએ સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ અને રચનાત્મક કાર્યકરો એવાં ૧૧ વ્યક્તિચિત્રો આલેખ્યાં છે. લેખકે જણાવ્યું છે તેમ “આ લેખમાળામાં લડતોમાં ભાગ લેનારા કેટલાક પાયાના કાર્યકરો (આગેવાનો) વિશેની જીવનરેખા આપવામાં આવી છે તે સાથે એમાં સ્વાતંત્ર્ય ઇતિહાસના તાણાવાણા પણ જોડાઈ ગયા છે.” નારી ગૌરવ'નાં લેખિકા વિશે સંપાદકે નોંધ્યું છે કે “બહુઆયામી સમાજસેવિકા જ નહિ પણ સમાજલેખિકા પન્નાબહેન ગુજરાતનું ગૌરવ છે.” સમાજક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનારાં ૧૫ મહિલા આગેવાનોનો પરિચય આપતાં પનાબહેને કહ્યું છે કે “ગુજરાતને અને સ્ત્રીસંસ્થાઓને આવાં દેશસેવિકાની આજે તાતી જરૂર છે.” ‘ગુર્જરમાતાનાં ગૌરવશાળી અમરસંતાનોમાં ગુજરાતી ભાષાના અધ્યાપક પ્રા. ઘનશ્યામ ટી. માંગુકિયાએ અલ્પપરિચિત પણ જીવનમાં એકાદ વિશિષ્ટ કાર્ય દ્વારા ઊજળી લકીર અંકિત કરી જનારા ૧૦ વ્યક્તિઓનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જેમના જીવનની નાનકડી એવી ઘટના-વિગત પાછળ જબરજસ્ત આંતરિક તાકાત જોવા મળે છે. ભાવનગર રાજ્યના દીવાન શ્રી પ્રભાશંકર પટ્ટણીનાં કર્મઠ રતનફઈએ દળણાં દળીને ગૃહસ્થાશ્રમ ચલાવ્યો, તેમને મદદરૂપે દીવાન ભત્રીજાએ મોકલેલું મનીઓર્ડર પરત કરતાં તેમણે લખાવ્યું કે “મેં મારો ભાર ભગવાન પર નાખ્યો છે, એ (ભગવાન) બીજા પર ન નાખે તેમ માગું છું. તું મારા જેવી બધી પથરા તાણનારીને તારી ફઈ સમજી એમને સુખી કરે તેવો થા અને સદા રહે તેવા મારા આશીર્વાદ છે.” ત્રિકમબાપા (ભટ્ટ) સમર્થ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટના પ્રપિતામહ. રાજવૈદ્ય અને ભાગવત કથાકાર. તેમનું બહુમાન થાય ત્યારે જે ભેટસોગાદો મળે તે નીલકંઠ મહાદેવના ચરણે ધરી દેતા. એક જૈનમુનિને ઔષધોપચારથી તંદુરસ્ત કર્યા. શ્રાવકોએ વૈદ્યરાજને સોનાનાં કડાં પહેરાવ્યાં. ત્રિકમબાપાએ પહેલાં સીધા મંદિરમાં જઈને કડાં મહાદેવજીનાં ચરણે ધરી દીધાં, અને પછી પોતાને ઘેર ગયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy