SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨. ગાયક હતા. બસ ત્યારથી ત્યાં સંગીતનો જે માહોલ જામ્યો તે વખત જતાં ગ્વાલિયર ગાયકી નામે સુપ્રસિદ્ધ થઈ. ગ્વાલિયર ગાયકીની ચીજો શુદ્ધિતાનો આલાપ અને રાગનાં સ્વરૂપો આજે પણ આદર્શ ગણાય છે. ભીખુભાઈ પાસે ગ્વાલિયર ગાયકીના કિંમતી રત્નો છે. તેમાં મેવાતી ઘરાનાની રાગ સમૃદ્ધિ વધવાથી સોનામાં સુગંધ ભળી. સંગીત સાધનાએ ભીખુભાઈને દક્ષિણ ગુજરાતના જ નહિ સમગ્ર ગુજરાતના આગેવાન ગાયક તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પ્રથમ મુંબઈ પછી વડોદરા આકાશવાણી પર તેઓ સંગીત રજૂ કરતા. ઠીકઠીક અનુભવ બાદ તેમની ગાયકીની તેજસ્વિતાએ તેઓ આકાશવાણીના ઉચ્ચ દરજ્જાના ગાયકનું માન પામ્યા. મંગળવારીય સંગીતસભા ઇન્ટર સ્ટેશન સંગીત મહોત્સવ અને નેશનલ પ્રોગ્રામ જેવા કાર્યક્રમોમાં તેમની વરણી થઈ તે ગુજરાતને ગૌરવ લેવા જેવી બાબત છે. ગુજરાત અને ગુજરાતીઓને સંગીત વિદ્યામાં પછાત ગણવામાં આવે છે. એવું માનનારાને માટે પંડિત ઓમકારનાથ, પંડિત શિવકુમાર શુક્લ અને શ્રી ભીખુભાઈ ભાવસારનાં નામ યોગ્ય જવાબ આપનારાં છે. એમનાં સંગીત જ્ઞાનથી પ્રભાવિત થઈ આકાશવાણી વડોદરા અમદાવાદ દ્વારા તેમને સંગીત સ્પર્ધાના નિર્ણાયક, સ્થાનિક ઓડિશન કમિટીના સભ્ય અને છેલ્લે દિલ્હીની ઓડિશન કમિટીના સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બૃહદ્ ગુજરાત સંગીત સમિતિની સંગીત પરીક્ષાઓના પણ તેઓ કેટલોક વખત આગેવાન કાર્ય કરતા રહ્યા હતા. શ્રી ભીખુભાઈએ સંગીતકારો માટે જે સેવા આપી છે તે અન્ય સંગીતકારો માટે બોધપ્રદ છે. તેમણે તેમની સંગીતની સમગ્ર આવક સંગીતનાં કાર્યમાં જ વાપરવાનો સંકલ્પ કર્યો છે. પરિણામે જરૂરતમંદ સંગીતકારો કે જેને ઉત્તેજન મળતું હોય તેવા સંગીતકારોને તે છૂપી રીતે મદદ કરે છે. અથવા તેમના જાહેર કાર્યક્રમ કરી . આપે છે. વલસાડમાં આવા કાર્યક્રમ યોજના મંડળમાં તેઓ પ્રમુખ પ્રેરક છે. ભારતના જાણીતા ગાયકવાદકોના તેઓ કાર્યક્રમો યોજીને વલસાડ નગરીને સંગીતનગરી બનાવી રહ્યા છે. તેમના હાથે થયેલાં એક શ્રેષ્ઠ કાર્યની નોંધ અહીં લેવી જરૂરી લાગે છે. ભારત સરકારે આકાશવાણીના લોકગીત ને ભજનગાયકો માટે એવો કાયદો બનાવ્યો કે જે કલાકાર ત્રણ વખત નાપાસ થાય તેને આખી જીંદગી સુધી તક ન આપવી. આવો અતિ કડક-નિર્દય-કાયદો સમગ્ર ભારતમાં કોઈના ધ્યાનમાં આવ્યો નહિ!! કોઈએ વિરોધ કર્યો નહિ!! ભીખુભાઈને આ જાણી અતિ દુ:ખ થયું. થોડા વખતમાં તેમના Jain Education Intemational પથપ્રદર્શક પ્રણામી સંપ્રદાયના એક આગેવાન આકાશવાણીના પ્રધાન બન્યા. ભીખુભાઈએ તક ઝડપી લીધી. પ્રધાને ત્રણ મિનિટનો સમય આપ્યો આ ત્રણ મિનિટમાં જ પ્રધાન વાત સમજી ગયા ને તાત્કાલિક અમલથી હુકમ કર્યો કે આ કાયદો રદ કરવો. વાંચકોને જાણવા જેવું છે કે એસ.એસ.સી.ની કે યુનિવર્સિટીની પરીક્ષામાં આવો કાયદો આવે તો કેવું ભયંકર પરિણામ આવે. ભીખુભાઈને સંગીતકારોના મૂક આશીર્વાદ મળ્યા. ધર્મે તેઓ જામનગરના પ્રાણનાથજીએ સ્થાપેલ પ્રણામી સંપ્રદાયના છે. આકાશવાણીના અધિકારી શ્રી અરૂણ શ્રોફે તેમની મંડળીને વલસાડથી બોલાવી પ્રણામી સંપ્રદાયના જૂના કિમંત્તનો (કીર્તન)નું રેકોર્ડીંગ કર્યું છે. ત્યારબાદ શ્રી જયદેવ ભોજકે તેમના શાસ્ત્રીય સંગીતના અછોપ રાગોનું રેકોર્ડીંગ કરી તેમની કાયમી ગાયકી સ્મૃતિ આકાશવાણીના આર્કાઇવ્ઝમાં રાખી છે. ભીખુભાઈ પોતાના ધર્મના મંદિરોમાં ગુપ્તદાન કરે છે. તેમનું મુખ્ય યાત્રાધામ પન્નામાં જઈ ધર્મધ્યાન કરે છે અને સામાજિક અને ધાર્મિક સેવાઓ આપે છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંગીત વિષયની સંસ્થા વલસાડમાં સ્થાપે તો આ એક વ્યક્તિના પુરુષાર્થનો સમગ્ર દક્ષિણ ગુજરાતને લાભ મળે. ભીખુભાઈના માતાજી મંદિરમાં ભજનો મધુર કંઠે ગાતાં હતા. તેમનાં દાદીમા શ્રી માણેકબા પ્રણામી મંદિરના મુખ્ય ગાયિકા હતાં. એમના મામા ત્રિકમભાઈ પણ સંગીતકાર હતા. આમ નાનપણથી જ માતા, દાદીમા, મામાની સાથે મંદિરમાં ભજન ગાવાનો મહાવરો તેમને હતો. સાત વર્ષની વયથી જ તેમણે સ્વતંત્ર કાર્યક્રમો આપવા માંડ્યા હતા. તેમને ભજન ઉપરાંત નાટ્યસંગીત અને ફિલ્મસંગીત પણ સારાં આવડતાં હતાં. પરંતુ સંગીતની વ્યવસ્થિત તાલીમ લેવાનું બાકી હતું. તેમના કાકા ઘેલાભાઈ પાસે તાલીમ લીધી, નવસારીના કુત્તે માસ્તર પાસે પણ થોડી તાલીમ લીધી. એકવાર અમદાવાદથી નટવરલાલ નામના સંગીતકાર તેમના ઘરે આવેલા. તેમનું હાર્મોનિયમ વાદન સાંભળી ભીખુભાઈ ખૂબ પ્રભાવિત થયા. બસ બીજે દિવસથી રેડિયો ચાલુ કરી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં ગાવાનું અને વગાડવાનું ચાલુ કરી દીધું. ત્યારબાદ શ્રી કાશીનાથ તળપુલે અને સને ૧૯૫૬માં પંડિત મણિરામજી અને જસરાજજીના સંપર્કમાં આવ્યા. ૧૯૫૯માં બંને સંગીતકારોને વલસાડ નિમંત્રીને ભીખુભાઈને તાલીમ આપવાનું એમના પિતાશ્રીએ ગોઠવ્યું. ભીખુભાઈની સાથે જ જસરાજજીની તાલીમ ચાલતી. આમ બંને ગુરુભાઈ બન્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy