SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ભીખુભાઈને ત્રણ પુત્ર અને ત્રણ દીકરી છે. આ બધા જ સંગીત વિદ્યાના જાણકાર છે. ઉપરાંત તેમના ભાઈઓ જસવંતભાઈ, હરેશભાઈ, ધનેશભાઈ પણ સંગીત જાણે છે. આમ આખું કુટુંબ સંગીત જાણતું હોય એવો વિરલયોગ વલસાડના ભાવસાર કુટુંબને મળેલો છે. માત્ર શાસ્ત્રીય સંગીત નહિ ભજન-લોકગીત-સુગમસંગીત-નાટ્યગીત, સીનેસંગીત બધા જ પ્રકારો તેમના ઘરમાં શોખથી ગવાય છે. સંગીતાચાર્ય મહારાણા કુમારશ્રી પ્રભાતદેવજી (સને ૧૮૮૨- ૧૯૪૩) ગુજરાતના રાજવી કુટુંબોએ માત્ર સંગીત વિદ્યાને આશ્રય જ નહિ પ્રચાર અને પ્રસાર દ્વારા જીવંત રાખી આજની પેઢી પર જે ઉપકાર કર્યો છે તે ત્યાર પછીની સ્વતંત્ર ભારતની રાજસત્તાએ હજી કરવાનો બાકી છે. આવું એક રાજવી કુટુંબ એટલે ગુજરાતના દક્ષિણ છેડે ડુંગરોની વનરાજીમાં આવેલું ધરમપુર. અહીં સૂર્યવંશી સિસોદિયા મહારાજા મહારાણાશ્રી નારણદેવજીને ત્યાં બીજા પુત્રરત્નનો જન્મ થયો. એ હતા કુમાર શ્રી પ્રભાતદેવજી ધરમપુર આમ તો વલસાડ અને મુંબઈથી નજીક થાય. પરંતુ એમના જન્મ સને ૧૮૮૨ના સમયની કેળવણી પદ્ધતિ રાજવી કુટુંબો માટે રાજકોટમાં અલગ હતી. એ હતી ત્યાંની રાજકુમાર કોલેજ. આજે જેમ દહેરાદુન અને પૂના બેંગ્લોરની શિક્ષણ સંસ્થાઓની પ્રતિષ્ઠા છે તેથી અદકી રાજકોટની રાજકુમાર કોલેજની હતી. અભ્યાસકાળ દરમિયાન જામનગરના પંડિત આદિતરામજી પાસેથી સંગીતની તાલીમ લીધી. ત્યારબાદ બંદેઅલીખાનનાં શિષ્યા ચૂન્નાજી અને ઉ. કાદરબક્ષ પાસેથી બીનની (રુદ્ર વીણા) શીખ્યા, બીનવાદનમાં પ્રાવિણ્ય મેળવવા પ્રખ્યાત બીનકાર રહીમખાન પાસે ભાવનગર જઈ તાલીમ લીધી. ખુદ ખાંસાહેબ બંદેઅલીખાં, ઉસ્તાદ જલાલુદ્દીનખાં, ઉસ્તાદ રહીમખાન પાસેથી મેળવેલી વિદ્યા દ્વારા તેમણે પોતાનું અને ગુરુઓનું નામ રોશન કર્યું. લલિતકળા પૈકી મંચ પર પ્રસ્તુત થતી સંગીત કળા વિશેષ ક્રિયા પ્રધાન છે. પરંતુ જ્યારે લાંબા સમય સુધી કોઈ કલા જીવંત રહે ત્યારે સમયે સમયે તેમાં થતાં ફેરફારોની નોંધ તેનું શાસ્ત્ર બને છે. ભારતીય સંગીતની પરંપરા પ્રાચીન છે અને તેના શાસ્ત્રનો અભ્યાસ જરૂરી હતો તે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે ડાહ્યાલાલ શિવરામ અને અન્ય દ્વારા ગ્રંથ રૂપે રજૂ થવા લાગ્યો. સંગીત વિદ્યામાં બે ત્રણ મુદ્દા હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. ૧. રાગનું શુદ્ધ સ્વરૂપ શું? ૨. રાગને થાટ પદ્ધતિથી વર્ગીકરણ Jain Education International ૪૩૩ કરી સમજવા, ૩. શ્રુતિસંબંધી નિર્ણય. આ બધામાં શ્રુતિ વિષે સામાન્ય જન સમજી ન શકે એવો વિજ્ઞાન અને કલાનો વિષય છે. પ્રભાતદેવજીએ જુદા જુદા ઘરાનાના સંગીતના નિષ્ણાતોને ધ્યાનથી સાંભળ્યા. એક જ રાગની એક જ ચીજ બે જુદા ઘરાનાવાળા કેવી રીતે પ્રસ્તુત કરે છે તેનો ઊંડો અભ્યાસ કર્યો અને ત્યારબાદ પંડિત ભાતખંડેની થાટ પદ્ધતિનું અવલોકન કર્યું. ભારતમાં વ્યંકર મખીના ૭૨ ઘાટ, વિષ્ણુ દિગંબર પદ્ધતિના થાટ અને ભાતખંડેના થાટ પ્રચલિત છે તે પૈકી પંડિત ભાતખંડેના દસ થાટ વિશેષ પ્રચલિત છે. પ્રભાતદેવજીને વિવાદાસ્પદ પીલુ રાગને થાટ પદ્ધતિમાં જે રીતે ભાતખંડેએ સ્થાન આપેલું તે યોગ્ય ન જણાયું. આથી તેમણે બાર થાટની યોજના કરી અને ઝીણવટભર્યા અભ્યાસ દ્વારા રાગોનું વર્ગીકરણ કર્યું. હવે આ બધા અભ્યાસને લોકો સુધી પહોંચાડવા પ્રકાશન, પુસ્તકોની પ્રસિદ્ધિ અને સંગીત શિક્ષણ આવશ્યક બને છે. પ્રભાતદેવજીએ ‘મ્યુઝીક મેગેઝીન' સામયિક પ્રસિદ્ધ કર્યું ને તેમાં હિન્દુસ્તાની રાગોને પાશ્ચાત્ય નોટેશન દ્વારા પ્રસ્તુત કરી પશ્ચિમી દેશો સુધી રાગ પદ્ધતિનું જ્ઞાન ફેલાવ્યું. લગભગ ત્રણ દાયકાઓ સામયિક ચાલ્યું. એ સાથે ગ્રંથ સ્વરૂપે શાસ્ત્રચર્ચા અને રાગની ચીજોનું નોટેશન, રાગ રાગિણી વ્યવસ્થા તથા રાગમાલાનાં ચિત્રોને રાગસ્વરૂપ સાથેનો સંબંધ પણ તેમણે વાંચ્યો, વિચાર્યો. એના ફળ સ્વરૂપે ‘સંગીતપ્રકાશ’ ગ્રંથનું સર્જન થયું. શિક્ષણ કાર્યને ધ્યાનમાં રાખી ‘રાગ પ્રવેશિકા' લખી વિદ્યાર્થીઓને તે મુજબ શિક્ષણ કાર્ય પણ કર્યું. આ ઉપરાંત તેઓશ્રીના ભત્રીજા ભૂતપૂર્વ મહારાજા વિજયદેવજી પ્રકાશિત ‘સંગીત ભાવ’ ભાગ ૧લો પ્રકાશિત થયો. પહેલા ભાગમાં રાગ ભૈરવ મુખ્ય રાગ હતો. બીજો ભાગ રાગશ્રી અને પાંચ રાગિણીઓનો સમાવેશ કર્યો. આ ગ્રંથો ભારત અને ભારત બહાર લોકો વાંચી સમજી શકે તે માટે ‘સ્ટાફ નોટેશન' (પાશ્ચાત્ય) પદ્ધતિથી ગીતોના સ્વરો લખ્યા. વચ્ચે વચ્ચે પરદેશથી બ્રિટીશ મ્યુઝીયમમાંથી રાગોનાં ચિત્રો મંગાવી છાપ્યાં જે તે સમયમાં રંગીન ચિત્રો ભારતમાં છાપવાની આજના જેવી સગવડ ન હતી ત્યારે આ છપાઈ થઈ છે. શાસ્ત્રીય સંગીતના રાગોમાં શ્રુતિ સ્વરનો ઉપયોગ વિશિષ્ટ રીતે થાય છે. જેમ કે તોડી, યમન, મુલતાની અને શ્રી રાગમાં તીવ્ર મધ્યમ ઉપયોગમાં લેવાય છે. તે પ્રત્યેક રાગમાં તીવ્ર મધ્યમની શ્રુતિ જુદી છે એવું જ કોમળગાંધાર આવતા રાગોમાં દરબારી-ભૈરવી-આસાવરી-કાફી રાગના ગાંધારમાં સુક્ષ્મ ફેર છે આ ધ્યાનમાં રાખી તેમણે શ્રુતિસહિત ત્રણ સપ્તકનું એક ખાસ હાર્મોનિયમ ફ્રાન્સના ‘પારિસ’ શહેરના વિખ્યાત હાર્મોનિયમ અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy