SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૪૨૩ રચનાઓ, ભાગવતનાં ગીતો, પુષ્ટિ સંપ્રદાયના સ્તોત્રો, કીર્તનો, વગેરે કેસેટ, સીડી દ્વારા પ્રસારિત કર્યા છે. ગરના મહારાજા શ્રી વીરભદ્રસિંહ તેમજ વડોદરા નરેશ શ્રીમંત રણજિતસિંહ ગાયકવાડે પણ શ્રી જયદેવભાઈ દ્વારા સ્વરાંકનો તૈયાર કરાવ્યા છે. જેમાં પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિના કંઠનો ઉપયોગ કર્યો છે. પાજોદ દરબાર સસ્થા મઝલૂમીની “મદિરા” અને કવિશ્રી અનામીની ગીત સુધા' કેસેટને ઘણી પ્રસિદ્ધિ મળી છે. સંગીતના આ અદના સાધકે નિવૃત્તિ પછી પણ સુગમ સંગીતના પ્રચાર પ્રસાર અર્થે શિક્ષણનો યજ્ઞ ચાલુ જ રાખ્યો છે. આજે પણ સંગીત માટે અલખ જગાવી બેઠા છે. શ્રી જયદેવભાઈ સૂરનો સહારો લઈ શબ્દની આરપાર જીવી રહ્યા છે. સુગમ સંગીતને ઘેર ઘેર પહોંચાડવાના એક મીશનના ભાગરૂપે વડોદરા, ભાવનગર, સુરત, ભરૂચ, ઊંઝા, મહેસાણા મુકામે શબ્દની આરપાર, સ્વર રેવાને તીર, સૂર ક્ષિતિજને પાર, જેવા ગઝલ સંધ્યા અને ભજન સંધ્યાના કાર્યક્રમો આયોજિત કર્યા છે અને સમગ્ર ભોજક પરિવાર આ સાથે જોડાયું છે. સુગમ સંગીત ક્ષેત્રે યોગ્ય શિક્ષણનો અભાવ છે. તેવા સંજોગોમાં પુસ્તકની ગરજ સારે તેવી સુગમ સંગીત શિક્ષણ માટેની ૨૨ જેટલી કેસેટોની શ્રેણી પ્રગટ કરી છે. હાલમાં પંચોતેર વર્ષની જૈફ વયે ગુજરાતમાં “સુગમ સંગીતની ઉત્ક્રાંતિ” વિષયક પુસ્તક લખી રહ્યા છે. પીઢ અને ખાસ નવોદિતોને પ્રગતિ માટે હૃદ આપનાર સુગમ સંગીતના સાચા પથદર્શક અને સાધક બની રહ્યા છે. સુગમ સંગીતને સાચા અર્થમાં લોક હૃદય સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્ય તેઓ કરી રહ્યા છે. –સંપાદક સંપર્ક : એ-૧૦, જનતાનગર, શબરી સ્કુલ પાસે, વાસણા રોડ, વડોદરા-૩૯૦૦૧૫ ટેલીફોન : (૦૨૬૫) ૨૨૫૦૪૬૭ સંગીતશાસ્ત્રી ડાહ્યાલાલ શિવરામ સંગીતશાસ્ત્રી ડાહ્યાલાલના વડદાદા ગવૈયા બહેચરદાસ મહારાજા વખતસિંહજી, હિન્દી વગેરે કવિતા અને સંગીત ગીતોના રચયિતા મનસુખરામ, મહારાજા વિજયસિંહજી તથા ગેય ગીતો ગુજરાતી તેમ જ વ્રજભાષામાં કાવ્યો અને આખ્યાનોના સર્જક શિવરામ, મહારાજા જસવંતસિંહજી અને તખ્તસિંહજીના રાજ્યકાળ દરમ્યાન રાજ્યગાયક તરીકે કાર્ય કરતા હતા. આવા વંશપરંપરાના રાજ્યગાયક કુળમાં શિવરામને ત્યાં ઇ.સ. ૧૮૬૯માં માતા શિવકોરની કૂખે ડાહ્યાલાલનો જન્મ થયો. સંગીત અને સાહિત્યના પયપાનમાં ઉછરતા આ બાળકને આધુનિક કેળવણીની સાથોસાથ પિતાનો ઝોક, ગાયન, વાદન અને કવિતા તરફ વિશેષ હોવાથી એ પ્રકારનું શિક્ષણ આપવાનું શરૂ થયું. પ્રારંભમાં પ્રત્યક્ષ સંગીતની કઠિન સ્વરસાધનાની સાથોસાથ દિવસરાત્રિના વિવિધ સમયના વિવિધ રાગરાગિણીઓ એ જ સમય દરમિયાન શીખવાય એ પ્રકારે શિક્ષણ આપવું શરૂ કર્યું. વળી વિવિધ વાદ્યો ઉપર કાબુ અને કુશળતા મેળવવાનું શિક્ષણ અપાવું પણ શરૂ કર્યું. તેમનામાં પિતાના આનુવંશિક ગુણોની સહજ અને કુદરતી બક્ષિસ હતી. આથી બાળવયમાં જ સ્વરજ્ઞાન અને સ્વરસાધનાનું ઘણું જ સારું જ્ઞાન પ્રાપ્ત થયું. પરિણામે રાગરૂપો ધ્યાનમાં રાખવામાં, ગળેથી કાઢવામાં અને કાનથી પરખવામાં વાર લાગતી નહિ. તેઓ અનેક વાદ્યો કુશળતાથી વગાડી શકતા. વય વધતી ગઈ તેમ તેમ શિક્ષણની સાથોસાથ વડીલોના સંગ્રહિત સંગીત અને કાવ્યના હસ્તલિખિત ગ્રંથોનું પરિશીલન તેમ જ અન્ય પ્રાચીન અર્વાચીન સંગીતનાં પુસ્તકોનું મનન કરવામાં ગાળતા. કદાવર અને મજબૂત દેહ, ઘાટીલો અને મધુર કંઠ, ચિંતનશીલ સ્વભાવ, કુટુંબપ્રેમી, મિતભાષી, શાંત અને સંતોષી ડાહ્યાલાલને કોઈપણ જાતનો આઘાત જલદી અસર કરતો. સાહિત્ય અને સંગીતનો પ્રત્યક્ષ અનુભવ કરી જોવા યુવાનીમાં તેમણે રંગભૂમિનો અનુભવ પણ લીધો હતો. “સંગીત લીલાવતી'ના પ્રયોગમાં તેમણે સુમતિવિલાસની ભૂમિકા પ્રશંસનીય રીતે ભજવી હતી. ગાયનના શોખે તેમનું ધ્યાન મુંબઈની તે સમયની પ્રખ્યાત દાદાભાઈ ઠૂંઠીની ઉદ્દે કંપની તરફ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy