SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ આકર્ષાયું. મુંબઈના રહેવાસ દરમિયાન ગુણી લોકોને સાંભળવા, સંભળાવવા તથા શાસ્ત્રીય રીતે વાદવિવાદ કરવાની વિવિધ તક ઝડપી સંગીતના અંગો પર થતા વાદવિવાદમાંથી જે સિદ્ધાંતો સ્થિર થતા તેમાં જ ભાવિ ‘સંગીત કલાધર' ગ્રંથનાં બીજ હતાં. પણ નાટકનો સહવાસ ટૂંકમાં જ આટોપી લેવો પડ્યો. કારણ કે પિતાના સ્વર્ગવાસ પછી મહારાજા તખ્તસિંહજીના જીવનકાળમાં અને મહારાજા ભાવસિંહજીના શૈશવકાળમાં પિતાની વંશપરંપરાની રાજ્યગાયકની જગ્યા સંભાળી લીધી અને સંકલ્પ કર્યો કે ભજવવા કરતાં ગીતો બાંધવાં, નાટકો લખવાં, કાવ્યો બનાવવાં અને પિતા કરતાં કંઈક અપૂર્વ કરી બતાવી રાજ્યસેવામાં જીવન સમર્પણ કરવું. આથી જ વડોદરાના ગાયકવાડી રાજ્યના રાજ્યગાયક પદનો અસ્વીકાર કરતાં તેમણે ખુમારીથી કહ્યું કે મારું જીવન ભાવનગર નરેશ મહારાજા ભાવસિંહજીને સમર્પિત છે. તેમનો સાથ જીવનભર નિભાવીશ અને પોતાનું એ વચન પાળ્યું. તેમને એકાન્તમાં ફરવું ગમતું. એક વખત ગીચ ઝાડીમાંથી એક કોયલનો ટહૂકો અને બીજી કોયલનો પ્રત્યુત્તર સાંભળીને તેમને પ્રશ્ન થયો કે આ ટહુકારને સંગીતલિપિમાં ઉતારતાં તેનો ભાવાર્થ સમજાય કે નહિ? તેમણે કોયલના ટહૂકા અને તેના પ્રત્યુત્તરને કાગળ પર પેન્સિલનાં થોડાંક ટપકાંથી ઉતારી ગળેથી બેચાર ટહુકાર કર્યા અને થોડી જ ક્ષણોમાં કોયલોએ ટહૂકાર કરી આકાશને ભરી દીધું. આ હતી તેમની સંગીતની સૂઝ અને સમજ. આ દિવસો દરમિયાન સંગીતના જટિલ પ્રશ્નો—જેવા કે હિન્દુસ્તાની સંગીતને નિયમિત કરવા સર્વસંમત નોટેશન પદ્ધતિની જરૂરિયાત, સ્વર સાથે પ્રકાશનો, ધ્વનિ સાથે હવાનો, સ્વરની ઉત્પત્તિ અને ગતિનો, સ્વર સાથે રસ નિષ્પત્તિનો, આધુનિક શાસ્ત્રો સાથે સંગીતનો—એ તેમના હૃદયમાં તુમુલ યુદ્ધ જગાડ્યું. એ જ અરસામાં શામળદાસ કોલેજના પ્રીન્સીપાલ જમશેદજી નવરોજી ઊનવાળાએ ઇંગ્લીશ નોટેશન, ઓલ્ડ નોટેશન, ટોનિક સેલ્ફ નોટેશન, વગેરેની સમજ આપતાં તેમની પાસેથી અંગ્રેજી ભાષાનો અને પછી એ જ કોલેજના પર્શિયન વિષયના પ્રોફેસર શેખ મહમ્મદ ઇરફાન પાસેથી અગાઉ પિતા પાસેથી શીખેલી ફારસી ભાષાનો અભ્યાસ વધારવા માંડ્યો. આ સર્વ અભ્યાસને વીરપુરી બાવાના મઢ નામે ઓળખાતા દરબારી મકાનના એક શાંત ઓરડામાં તંબૂર અને પુસ્તકો સહિત ટમટમ બળતા દીવા પાસે બેસી મોટો ગ્રંથ રચવા કલમ હાથમાં લીધી. Jain Education Intemational પથપ્રદર્શક તેમણે મહારાજા ભાવસિંહજીએ રચેલાં ઇલિયડનાં ગીતોનું નોટેશન કર્યું હતું. એ ઉપરાંત મણિલાલ કરુણાશંકર માટે નાટકનાં ગીતોનું નોટેશન પણ કરી આપ્યું હતું. જે હાર્મોનિયમ શિક્ષક ભાગ-૧ અને ભાગ-૨માં જળવાયું છે. વળી તેમણે મનહરકુંવરબાને ગાયન ઉપરાંત સિતારવાદનનું શિક્ષણ પણ આપ્યું હતું. તેમણે રાજકોટ રાજકુમાર કોલેજમાં રાજકુમારોને એક મહિના સુધી સંગીત શીખવ્યું હતું તેનો પ્રિન્સીપાલ C. Mayueના પત્રમાં નિર્દેશ છે. ધ્રાંગધ્રાના રાજાસાહેબ અજીતસિંહજીએ તેમના સંગીત વિષયક જ્ઞાનને બિરદાવ્યું હતું. ‘સંગીત કલાધર' સંબંધી વિવિધ અભિપ્રાયોની એક પુસ્તિકા ૧૯૧૮માં ભાવનગર દરબારી છાપખાનાએ પ્રગટ કરી છે. રાજવી સંગીતજ્ઞ મહારાજા ભાવસિંહજી (૧૮૯૬–૧૯૧૯) ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ભારતમાં ચારસો નાનાં મોટાં રજવાડાં હતાં જેમાં ગુજરાતમાં સૌથી વધારે. આ બધા રાજવીઓને અંગ્રેજ સરકારે સંગઠિત કરી મહારાજા, રાણા, ઠાકોરસાહેબ, રાજસાહેબ ઇત્યાદિ ઓળખ આપેલી. ભાવનગરના ભાવસિંહજી મહારાજા તરીકે ઓળખાતા. ગુજરાતમાં ત્રણ મોટાં રાજ્ય ગાયકવાડનું વડોદરાનું, જુનાગઢનું નવાબ સાહેબનું અને ભાવનગરનું. આ રાજ્યો અને નાના રાજવીઓ પણ સંગીત અને સંગીતકારને આશ્રય આપતા. ઉપરના મોટાં રાજ્યો ઉપરાંત જામનગર, રાજપીપળા, વાંસદા, ધરમપુર, મોરબી, પાલીતાણા, વળાના રાજવીઓએ સંગીતકારોને આશ્રય આપી સંગીત વિદ્યાને ઉત્તેજન આપેલું. તે બધામાં વડોદરા અને ભાવનગર અગ્રણી હતા. આજનું ભાવનગર એક વખત નાનું વડવા ગામ હતું. શિહોરથી ભાવનગર રાજધાની સ્થપાઈ પછી અને બંદરનો વેપાર ખીલ્યો એટલે ભાવનગર સમૃદ્ધ થવા માંડ્યું. મહારાજા તખ્તસિંહજીના વખતમાં ગામની મધ્યમાં આરસની ગંગાદેરી બંધાઈ. ભાવનગરથી વઢવાણ રેલ્વેલાઈન બંધાઈ, બાર્ટન લાયબ્રેરી સ્થપાઈ, જુવાનસિંહજી દવાખાનું, શામળદાસ કોલેજ, તખ્તસિંહજી હોસ્પિટલ, હાઈસ્કૂલ, હાઈકોર્ટ, બોરતળાવ, દરબારીકોઠાર અને તખ્તેશ્વરનું મંદિર બન્યાં જે આજે પણ ભાવનગરનાં મુખ્ય જોવાલાયક સ્થળો છે. એમણે જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy