SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ જન્મ ૨૩-૯-૧૯૧૫ ના રોજ અમદાવાદમાં થયો હતો. બી.એ. થઈ તેઓ અંબુભાઈ પુરાણી અમદાવાદ ખાતે ફિઝિકલ ઇન્સ્ટ્રકટર તરીકે રહ્યા. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં સાબરમતી અને યરવડા જેલમાં ત્રણ માસની સજા ભોગવેલી. રમતગમત ક્ષેત્રે ઘણી બધી સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતા રહ્યા હતા. વ્યાયામ શિક્ષક તરીકે, ગ્રીષ્મ વ્યાયામ શિબિર સંચાલક તરીકે, ઓલ ઇન્ડિયા એજ્યુકેશન એન્ડ રીક્રીએશનના માનદ્ સહમંત્રી તરીકે, વ્યાયામ પ્રવૃત્તિઓ માટેની રાજ્યની એડવાઈઝરી બોર્ડના સભ્ય તરીકે, છો. પુ. વ્યાયામ મહાવિદ્યાલયમાં માનદ્ મંત્રી તરીકે તેમજ રાજ્યક્રીડા મહોત્સવની પ્રોગ્રામ કમિટીના ચેરમેન તરીકે તેમનો અગત્યનો ફાળો છે. આમ રમતગમતના વહીવટી ક્ષેત્રે તેમનું યોગદાન અનન્ય રહ્યું છે. દીપક જગતાપ રાજપીપળાની શ્રીમતી સુ. ૨. મહિડા કન્યા વિનય મંદિરના શિક્ષક શ્રી દીપકભાઈ શાંતારામભાઈનો જન્મ ૧૧-૫૧૯૬૨ ના રોજ મહારાષ્ટ્રના કાસારા ગામે થયો હતો. બી.એસ.સી. એમ.એડ.ની ડીગ્રી પ્રાપ્ત કરી વિજ્ઞાનના શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. સાહિત્ય ક્ષેત્રે તેમનું વિશિષ્ટ પ્રદાન છે. “અસ્તિત્વ' તેમનો કાવ્યસંગ્રહ છે. “ચાલો અંધારાં ઉલેચીએ' વિજ્ઞાન પુસ્તકોની શ્રેણી છે. ૧૦ થી વધુ પુસ્તકોનું સંપાદન કર્યું છે. વિવિધ વર્તમાનપત્રો અને સામયિકોમાં એક હજારથી વધુ લેખો પ્રકાશિત થયા છે. તેમના સો ઉપરાંત રેડિયો કાર્યક્રમો પ્રસારિત થયા છે. ૪૨૧ શ્રી જગતાપને સંસ્કાર એવોર્ડ, મમતા પારિતોષિક એવોર્ડ એનાયત થયેલ છે. મરાઠી માતૃભાષા હોવા છતાં ગુજરાતી ભાષામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સંદેશ (વડોદરા) અને નવગુજરાત ટાઈમ્સ (સુરત) ના પત્રકાર છે. તેમજ રાજપીપળા ટાઈમ્સ (સાપ્તાહિક) ના સંપાદક અને લેખક છે. અંબુભાઈ પટેલ ગુજરાતી પુસ્તકાલય મંડળમાં સેવાઓ આપી પુસ્તકાલય પ્રવૃત્તિને વેગ આપનાર અંબુભાઈ ડી. પટેલનો જન્મ ૧૨-૭૧૯૨૪ સંખેડા તાલુકાના કોસિન્દ્રા ગામે થયો હતો. ગ્રંથાલય વિકાસ બોર્ડ, ભારત સંઘ જેવી વિવિધ સંસ્થાઓના મહત્ત્વના હોદ્દા પર રહી સેવા બજાવી છે. ગુજરાતી સાહિત્ય પ્રકાશકવિક્રેતાના પ્રમુખ, સહકારી સંસ્થાને ચેરમેન તેમ જ ગુજરાતી પુસ્તક વ્યવસાયી મહામંડળના પ્રમુખ તરીકે સેવાઓ આપે છે. લેખનક્ષેત્રે તેમણે પાંત્રીસથી વધુ પુસ્તકોનું ખેડાણ કર્યું છે. પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસ માટે તેમની કદર સ્વરૂપે “એકલવીર’ સન્માનગ્રંથ તથા એક લાખની થેલી અર્પણ થયેલી તેમાં તેમણે એક હજાર રૂપિયા ઉમેરી તે રકમ પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસ અર્થે અર્પણ કરી દીધી હતી. તેમને ઇન્ટરનેશનલ લાયબ્રેરી મુવમેન્ટનો “સૂર્ય' એવોર્ડ, રાષ્ટ્રપતિ એવોર્ડ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી, દિલ્હી દ્વારા અપાતો “વિજયરત્ન” એવોર્ડ ઉપરાંત સંખ્યાબંધ સન્માનપત્રો તેમને એનાયત થયા છે. 54 Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy